SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ 310 . તપાગચ્છાધિષ્ઠાયક વિઘ્નો-ઉપદ્રવોને દૂર કરો. અમારી રક્ષા કરો, અમારા સંયમમાર્ગમાં આવતાં વિદ્ગોને દૂર કરો. અમને સદા આપનું સાંનિધ્ય હો. સંઘ-શાસનના કાર્યમાં આપ અમને સદા સહાય કરો." આવી પ્રાર્થના ગૃહસ્થ અને સાધુ બંને દ્વારા થઈ શકે. અને કરવી જ જોઈએ. સાંસારિક પદાર્થોની માંગણીઓ તેમની પાસે કરવી અનુચિત છે. આજે બહુધા સમાજ દેવીદેવતાઓ પાસે ભિખારીવેડા કરતો જોવા મળે છે. સ્ત્રી-સંપત્તિ-કુટુંબપરિવાર–ધંધા–ધાપા વગેરે માટે માથું નમાવાય છે. કો'ક સારી છોકરી માટે હાથ જોડે છે તો કો'ક છોકરીનું પતાવવા માટે કરગરે છે. કો'ક શરીરની સ્વસ્થતા માટે ગાંડપણ કરે છે તો કોક ધંધામાં બરકત આવે તે માટે મનામણાં કરે છે. કોક સત્તાના સિંહાસનો સર કરવા દેવીઓને રીઝવતા હોય છે તો કોક શત્રુના સંહાર માટે ય પ્રાર્થના કરતા હોય છે. કો'ક શેરબજારને ઊંચો લાવવા વીનવતા હોય છે તો કો'ક શેરબજારને નીચે લાવવા. શાસ્ત્રદૃષ્ટિએ આ ઉચિત લાગતું નથી. ઓઘથી પ્રાર્થના કરી શકાય કે, "જીવનને સદાચારમય ગુણિયલ – સંતુષ્ટ રાખી શકીએ તે માટે તમે સહાય કરજો, આ માર્ગમાં આવતાં વિનોને તમે દૂર કરજો." બાકી સંઘની રક્ષા કરવાની પ્રાર્થના કરીએ તેમાં આપણી રક્ષા આવી જ ગઈ! વળી એક વાત નિશ્ચિત છે : " જે જિનભક્ત નવિ થયું તે બીજાથી નવિ થાય." અર્થાત્ આપણું જે કાંઈ સારું થવાનું છે તે એક માત્ર પરમાત્માની ભક્તિથી જ થવાનું છે. જે કાર્યસિદ્ધિ પરમાત્મભક્તિથી ના થાય તે દુનિયામાં કોઈનાથી થવાની નથી. એટલે દેવીદેવતાઓની પાછળ ગાંડા બન્યા વિના પરમાત્માની ભક્તિ વધારવાની જરૂર છે. સવાલઃ અધિષ્ઠાયક દેવતાઓ શું સંઘની રક્ષા ખરેખર કરે છે? ભક્તજનોને સહાય કરે છે? જવાબઃ દેવોની સહાય કયારેક પ્રત્યક્ષ હોય તો ક્યારેક પરોક્ષ. પૂર્વકાળમાં તો પ્રત્યક્ષ સહાય ઘણી થતી હતી, કારણ કાળ સારો હતો. આશાતનાઓ થતી ન હતી. મહાત્માઓનાં ચારિત્ર અત્યંત વિશુદ્ધ હતાં. મંત્રબળો, મંત્રોના જાણકારો તથા મંત્રના સાચા આમ્નાયો વિદ્યમાન હતાં, એટલે મંત્ર- તંત્ર- વિધા- ધ્યાન–જાપ વગેરે દ્વારા દેવતાઓને અચૂક ખેંચાઈ આવવું પડતું અને આચાર્યાદિ પુણ્યાત્માઓની આજ્ઞા મુજબનાં કાર્યો કરવા પડતાં, જેમકે – (૧) કૃષ્ણવાસુદેવને પદ્માવતીએ પ્રગટ થઈ પાર્શ્વનાથ પ્રભુનું બિંબ આપ્યું હતું. (૨) શ્રીપાળમયણા પાસે ચક્રેશ્વરી દેવી હાજર થયાં હતાં. (૩) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે અધિષ્ઠાયક દેવીને ધ્યાનબળે આકર્ષી હતી. (૪) જૂનાં દેરાસરોમાં મંદિર માંગલિક થયા બાદ ઘંટાનાદ અને રાસડાના અવાજો ઘણા જૂના માણસોએ સાંભળ્યા છે. દેવતાઓ પ્રભાવક તીર્થમાં આ રીતે ભક્તિ કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy