SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 309 તો ન જ થાય. ઉપેક્ષા જ ઉચિત છે. સવાલઃ અધિષ્ઠાયક દેવોની કઈ પ્રકારની ભક્તિ કરી શકાય? જવાબઃ અધિષ્ઠાયક દેવો પરમાત્માના ભક્ત દેવો છે. પોતાની નહિ પણ પરમાત્માની ભક્તિ કરનારા ઉપર ખુશ થનાર હોય છે. પરમાત્મા કરતાં દેવીદેવતાનું મહત્ત્વ વધારવું ઉચિત નથી. સાંસારિક મનોકામનાઓ પૂરી કરવા માટે દેવીદેવતાઓની પાછળ પડવું એક જાતનું ગાંડપણ છે. આપણા સ્વાર્થ ખાતર દેવીદેવતાઓને પરમાત્મા કરતાં ચઢિયાતા માની તેમના જ ગુણગાન ગાવાં, પરમાત્માની ઉપેક્ષા કરી તેમની પાસે કલાકો સુધી માળા ફેરવવી, ઊંચી ઊંચી બોલીઓ બોલી તેમને રીઝવવાનો પ્રયાસ કરવો એ આપણી અજ્ઞાનતા અને પરમાત્માના ઘોર અપમાનનું સૂચક છે. પરમાત્મા તો વીતરાગ છે; તેથી ભક્તિથી રીઝી કામનાઓ પૂર્ણ કરવાનું કામ દેવીદેવતાઓ દ્વારા જ થાય છે. આવી ભ્રામક માન્યતાના કારણે દેવીદેવતાઓને જ કામિતપૂરણ – સર્વસ્વ માની લેવાની ભૂલ બહુજન સમાજ કરતો હોય છે. - અજ્ઞાત સમાજને ખ્યાલ નહીં હોય કે પરમાત્મા પ્રાઈમ મિનિસ્ટરના સ્થાને છે જ્યારે દેવીદેવતા તેમના સેવકના સ્થાને. દેવીદેવતાઓ તો પરમાત્માના અદના સેવક છે. પરમાત્માની ચરણરજ માથે ચઢાવનાર છે. પરમાત્મા ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી સર્વસ્વનું સમર્પણ કરનારાઓનું જ રક્ષણ કરનારાં છે. દેવીદેવતાઓનો આદરસત્કાર જરૂર કરવાનો; પણ ભૂમિકાને અનુરૂપ જ. એક વાત ખાસ સમજી રાખો કે દેવી-દેવતાઓ શાસનના રક્ષક છે. પરમાત્માના ભક્ત હોવાના નાતે આપણા સાધર્મિક બંધ થયા. તેથી તેઓ આપણા માટે આદરણીય જરૂર છે. તેઓ ગુણિયલ હોઈ ગુણાનુરાગના કારણે તેમને પ્રણામ કરીએ ત્યાં સુધી વાંધો નહીં, પણ તેમને પ્રભુણાં પ્રભુ' માની સાષ્ટાંગ નમસ્કાર તો ન જ થાય. તેઓ નથી વીતરાગી કે નથી નિષ્કવાયી. આપણા જેવા જ રાગ-દ્વેષ-કષાય વગેરે દોષો ઓછેવત્તે અંશે તેમનામાં પણ ભરેલા છે. એટલે તેમને ભગવાન માની લેવાની ભૂલ તો ન જ થાય. તેમની પાસે પ્રાર્થના જરૂર કરી શકાય, પણ માંગણી હરગિજ નહીં. સવાલઃ ગુરુ ભગવંતો તો દેવીદેવતાઓથી ઊંચા સ્થાને (બ્રા ગુણસ્થાનકે) રહેલા છે, તો તેઓ તેમને પ્રણામ કરે? તેમને પ્રાર્થના કરે? પ્રાર્થના કરે તો શું કરે? જવાબઃ ગુણવંતતણી ઉપબૃહણા ન કરીએ તો અતિચાર લાગે એવું શાસ્ત્રીય ફરમાન છે. તેથી દેવીદેવતાઓ જ્યારે શાસનરક્ષાનું અનુપમ કાર્ય કરતાં હોય તો તેમની અનુમોદના પ્રશંસા કરવી જ જોઈએ. આ ગુણથી રજિત થઈ તેમને પ્રણામ કરવામાં પણ બાધ જણાતો નથી. ટૂંકમાં તેઓ શાસનના રક્ષક છે માટે તેમને માની શકાય. તેઓ ગુણિયલ છે માટે નમી શકાય. મહાત્માઓ જેવી રીતે સમર્થ શ્રાવકોને શાસનની પ્રભાવના કરવાની અને હાલના અટકાવવા માટેની પ્રેરણા કરે છે તેમ દેવી-દેવતાઓને પણ પ્રાર્થના કરી શકે. "હે અધિષ્ઠાયક દેવતાઓ ! તમે સંઘ-શાસનની રક્ષા કરો. શાસનમાં આવતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy