SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ 308 તપાગચ્છાધિષ્ઠાયક વિજય કરાવવાના શોખીન હોય છે. અધિષ્ઠાયકો સત્ય અને સૌજન્યતાના પ્રેમી છે. મિથ્યાત્વી દેવો ભોગરસિક હોય છે; જ્યારે સમકિતી દેવો ભક્તિરસિક હોય છે. - મિથ્યાત્વી દેવો સારા કાર્યમાં વિઘ્નો નાખનારા હોય છે. તેમનું જોર પણ વધુ હોય છે. અધર્મની વૃદ્ધિ અને ધર્મની હાનિ કરવાના રસવાળા અને ખરાબ વૃત્તિ-પ્રવૃત્તિવાળા હોય છે. ઊંચા ખાનદાન સમ્યગુદષ્ટિ દેવો ધર્મની વૃદ્ધિ કરનારા, ભક્તજનોનાં વિદન હરનારા, સારા કાર્યમાં મદદ કરનારા અને શુભ પ્રવૃત્તિના પ્રેરક હોય છે. શુદ્ર દેવો જલદી રુઝ અને જલદી તુષ્ટ થતા હોય છે. તુષ્ટ થાય ત્યારે કલ્યાણ કરે છે અને રુષ્ટ થાય ત્યારે છોતરાં ઉખેડી નાખે છે. ઘણાના શરીરમાં આવાં ભૂતો પ્રવેશ કરતા જોવા મળે છે. તેમની રાડારાડ, કૂદાકૂદ, લોહીની ઊલટીઓ, બેફામ બકવાસ, મારામારી, તોડફોડ વગરે જોઈ અંદરનાં ભૂતો તામસી આનંદ લૂંટતા હોય છે. સવાલઃ આ વળગાડ દૂર કરવાનો ઉપાય શું? જવાબ: ઘણા લોકો બાવા-ભૂવાને બોલાવે છે. મંત્રતંત્ર પ્રયોગ દ્વારા ભૂતને શરીરમાંથી કાઢી બાટલીમાં સ્થિર કરે છે. ઘણા બાવાઓ ચાબુકના માર મારી ભૂતોને કાઢવાનો પ્રયત્ન કરે છે. ઘણા ધુમાડાઓ કરી ભૂતોને ભગાડવાનો પ્રયાસ કરે છે. ઘણા મસાણમાં જઈ ગતિવિધિ કરે છે. પણ આ બધાથી કેટલે અંશે ફાયદો થાય તે તો ભગવાન જાણે. જૈન દૃષ્ટિએ નમસ્કાર મહામંત્ર, ઉવસગ્ગહરં સ્તોત્ર, સંતિકર સ્તોત્ર, અજિતશાંતિ સ્તોત્ર અને ભક્તામર સ્તોત્ર જેવા મંત્રો ખૂબ જ ચમત્કારી છે. ૨૧, ૨૭ કે ૧૦૮ વાર ભાવથી જાપ કરી તેના દ્વારા મંત્રિત પાણી પીવાથી આવા બધા ઉપદ્રવો નિશ્ચિત દૂર થાય છે. એક દીક્ષાર્થી બહેનનું દીક્ષાનું મુહૂર્ત નીકળ્યા પછી આવો ઉપદ્રવ થયો. સાનભાન ગુમાવ્યું, બકવાસનો પાર નહીં, કપડાં કાઢી નાખવા સુધીનું ગાંડપણ કરવા લાગી. કુટુંબીઓની ચિંતાનો પાર ન રહ્યો. એક ભૂવાને બોલાવ્યો. થોડી ગતિવિધિ કરી, કાગળની ચબરખી પાણીમાં નાખી ત્રણ દિવસ મંત્રિત પાણી પિવડાવતાં ભૂત ગાયબ. ભૂવાને ઉપાય પૂછતાં તેણે જણાવ્યું કે તમારા ધર્મનો નવકારમંત્ર શ્રદ્ધાથી ગણીને પાણી આપ્યા સિવાય કશું જ કર્યું નથી. આવો જ બીજો કિસ્સો સગી આંખે જોયેલો. એક મહારાજને ગાંડપણ થયું. મુસલમાન જાણકારને બોલાવ્યો. માંત્રિક ક્રિયા દ્વારા ૭–૪ દિવસમાં મહાત્મા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. વિધિ શું કરી? એમ આગ્રહપૂર્વક પૂછતાં કહ્યું કે તમારા ભક્તામર સ્તોત્રના પાઠ દ્વારા જ સારું કર્યું છે. નમસ્કાર વગેરે મંત્રો-સ્તોત્રોમાં આવા ઉપદ્રવોને ખાળવાની પ્રચંડ શક્તિ પડેલી જ છે. આપણને શ્રદ્ધા જોઈએ. જ્યાં ત્યાં બાવા–ભૂવાઓ પાસે ભટકવાની જરૂર નથી. સવાલ: અધિષ્ઠાયક દેવોને માનવા કે ન માનવા? જવાબઃ સમકિતદૃષ્ટિદેવોને માનવા, મિથ્યાદૃષ્ટિને નહીં, છતાં તેમના પ્રત્યે દ્વેષ-તિરસ્કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy