SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 659 શ્રી માણિભદ્રજીનો પૂર્વભવ તેઓ આગલા ભવમાં માણેકશાહ નામના શેઠ હતા. તેમનો જન્મ ઉજ્જયિની નગરીમાં થયો હતો. તેમની માતાનું નામ કસ્તુરબા હતું. માણેકશાહ ઉજ્જયિની નગરીના નગરશેઠ બન્યા હતા. તેઓ જૈન ધર્મ પ્રત્યે ઘણી જ શ્રદ્ધા ને પ્રેમ ધરાવતા હતા. - પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હેમવિમલસૂરિજીએ તેમને સચોટ ધર્મોપદેશ દઈ જૈન ધર્મમાં સ્થિર કર્યા હતા. એક વખત ગુરુ મહારાજ આગ્રા શહેરમાં ચોમાસુ હતા. માણેકશાહ વેપાર કરવા ત્યાં ગયા હતા. પછી તેમને ખબર પડતાં ગુરુ મહારાજને વંદન કરવા ગયા ને વ્યાખ્યાનમાં બેઠા. ગુરુ મહારાજ શ્રી સિદ્ધાચલ તીર્થની યાત્રાના મહિમાનું ખૂબ જ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. માણેકશાહને આ વર્ણન સાંભળતાં દર્શન-યાત્રા કરવાની તીવ્ર ઉત્કંઠા જાગી અને એકદમ ઊભા થઈને અભિગ્રહ કર્યો કે, " મારે પગે ચાલીને શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરવી. તેમાં કોઈ પણ જાતનો ઉપસર્ગ થાય તો પણ સહન કરી યાત્રા કરવી." પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ લઈ શ્રી માણેકશાહ શેઠે કારતક મહિનાની અમાસના દિવસે સવારના પહોરમાં આગ્રાથી જ પગે ચાલતાં શ્રી સિદ્ધાચલ તીર્થ તરફ પ્રયાણ શરૂ કર્યું. માણેકશાહશેઠ ધીમે ધીમે આગ્રાથી ચાલતાં ચાલતાં ડીસા-પાલનપુર પ્રદેશમાં મગરવાડા ગામના ભયંકર જંગલ સુધી આવી પહોંચ્યા. આ જંગલ લૂંટારા-ચોર-ડાકુનું મુખ્ય મથક હતું. ચોરોએ જંગલમાં હથિયાર સહિત માણેકશાહ ઉપર હુમલો કર્યો ને મારામારીમાં શેઠના શરીરના ત્રણ ટુકડા કરી નાખ્યા. આ મારામારીમાં અંત સમય સુધી હૃદયમાં પવિત્ર એવા શ્રી સિદ્ધગિરિરાજનું ધ્યાન ચાલુ રહ્યું, તે શુભ ભાવનાને પ્રતાપે શેઠ મરીને ભુવનપતિ દેવોમાં માણિભદ્ર નામે ઇન્દ્ર થયા. આચાર્ય મહારાજ શ્રી હેમવિમલસૂરિજીના શિષ્યો ઉપર કાળભૈરવ દેવનો ઉપસર્ગ થતાં સૂરિજીએ અઠ્ઠમ તપની આરાધના કરી તપના પ્રભાવથી શ્રી માણિભદ્રને પ્રત્યક્ષ કરી તેમની સહાયથી તે ઉપદ્રવ સદાને માટે દૂર કર્યો. ત્યારથી આજ સુધી પરંપરાએ આપણે ત્યાં આપણા સંઘોમાં તેમનું સ્થાન બનાવી શાસનદેવ તરીકે પૂજાય છે. - સાધુઓનો ઉપસર્ગ દૂર કર્યા પછી શ્રી માણિભદ્રવીર ગુરુ મહારાજને કહે છે કે, તપગચ્છની પાટે જે આચાર્ય થશે તેમનું હું રક્ષણ કરીશ. જે વખતે જે દેશમાં આચાર્ય વિચરે, તે વખતે પહેલાં મારા સ્થાને જઈ પછી દેશમાં વિચરશે તો પૂજા વગેરે સારી પામશે, એમ કહી પોતાના પરિવાર સાથે દેવલોકમાં ગયા. છેલ્લામાં છેલ્લી સંવત ૧૭૩૩ની સાલમાં શ્રી શાંતિસોમસૂરિજીએ ૧૨૧ ઉપવાસ કરી પઘાસને બેસી આરાધન કર્યું તે વખતે પ્રગટ થઈને પોતે પોતાનાં ત્રણેય સ્થાનકો ચપટી વગાડતામાં દેખાડી પ્રભાવ બતાવી અદશ્ય થયા હતા. હાલના જમાનામાં જે કોઈ ખરા અંતઃકરણથી, સચ્ચાઈથી સ્મરણ કરે તો આવેલી આપત્તિઓમાં રક્ષણ કરે છે. રોગ-શોક-દુઃખ ઉપાધિઓ–ગમે તેવા આકસ્મિક ભયોને પણ હઠાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy