SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ | માણિભદ્રજીની મૂર્તિઓમાં ભિન્નતાઓ અમારા આ સંપાદનકાર્યદરમિયાન ભારતનાં વિવિધ સ્થાનોમાંથી માણિભદ્રદાદાની મૂર્તિઓની જે છબીઓ પ્રાપ્ત કરી શક્યા છીએ તેનો પ્રભાવ અને પ્રતાપ, પ્રકાર અને પ્રસાર, પાવકતા અને પવિત્રતા, પરિણામ અને પરિણતિમાં સહાય થનાર માણિભદ્રજીની વિવિધ મુદ્રાઓવાળો પૂજ્ય મુનિ શ્રી કલ્યાણબોધવિજયજી મહારાજશ્રીએ ભાવોલ્લાસ સાથે લખેલો લેખ ખાસ વાંચવા જેવો છે. રાજસ્થાનના જયપુરના આર્ટિસ્ટ શ્રી ચંપાલાલજીએ જૈન ધર્મનાં માન્ય દેવ-દેવીઓની સેંકડો મૂર્તિઓ આજ સુધીમાં તૈયાર કરી છે, જેમાં માણિભદ્રદાદાની જે જે સ્થળની મૂર્તિઓનું તેમના હાથે સર્જન થયું તે આ પ્રમાણે : ધોળકા, કોબા, અમદાવાદ, મુંબઈ. ચાંદખેડા, કાત્રજ (પુના), દિલ્હી એવાં અસંખ્ય શહેરોની યાદી બહુ લાંબી છે. બંગાળ અને સંયુક્ત પ્રાન્તનાં દેવાલયોમાં કેટલીક ભિન્નતાઓ દષ્ટિગોચર થાય છે. તે સંબંધ નીચે લખેલ બાબતો ખાસ ધ્યાન ખેંચે છે : ગુજરાત તરફનાં દેરાસરો ઉપાશ્રયમાં માણિભદ્રજીનું સ્થાન જવલ્લે જ હોય છે; જ્યારે મહારાષ્ટ્રમાં કોઈક જ મંદિર એમના સ્થાનકથી વંચિત હશે. માનભદ્ર કે માણિભદ્રના નામે ખ્યાતિ ધરાવનાર આ યક્ષની મુર્તિ તો એક-બે સ્થળે જ જોવામાં આવી; બાકી ઘણી જગ્યાએ, મૂળમાં જાડી અને ઊંચી વધતાં પાતળી પડતી શિખા જેવા કદની રક્ત યા સિંદૂરિયા રંગની આકૃતિઓ જ મોટે ભાગે હોય છે. અમુક જગ્યાએ તો ઝાડની ડાળી માફક વૃદ્ધિ પામતી ને મૂળ ગોખલા કે સ્થાનકથી બહાર નીકળી ઠીક વિસ્તાર પામેલી માનભદ્રની આકૃતિ પણ જોઈ. તેના ઉપર વરખ ચોડાય છે અને સમીપમાં જ દીપક પ્રજ્વલતો હોય છે. માણિભદ્રજીનું મહત્ત્વ આ પ્રદેશમાં અતિશય જણાય છે. સુરતમાં ઘણી જગ્યાએ માણિભદ્રજીની મૂર્તિઓની સ્થાપના થયેલી જોવા મળે છે. છેલ્લાં દસેક વર્ષમાં આવી સ્થાપના થઈ હોય તેવી પણ છે અને સો વર્ષ કે તેથી વધુ વર્ષ પહેલાંની પ્રાચીન મૂર્તિઓ પણ છે. નવસારીમાં સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી આદીશ્વરજી ભગવાનનું મંદિર છે. એ દેરાસરજીમાં માણિભદ્રજીની સ્વતંત્ર દેરી છે. તેમાંની મૂર્તિ ખૂબ જ અલૌકિક હોવાનું તજજ્ઞો સાથેના પત્રવ્યવહારથી જાણી શકાયું છે. તેનો આકાર પણ વિલક્ષણ છે. આરસની પ્રતિમા છે. વાહન હાથીનું છે. હાથીનું મોટું દર્શકની સામે આવે તે મુજબ છે. આપણી સામે એક જ સૂંઢ આવે. તેની જમણી બાજુ અને ડાબી બાજુના પડખે ૩-૩ સૂંઢ છે. પ્રમાણમાં લગભગ બધું મળીને પ્રાયઃ એકવીસ ઈચ હશે. હાથીની અંબાડી ઉપર બિરાજમાન માણિભદ્રજીનું મોટું પણ આપણી સન્મુખ આવે છે. આમાં મુખ્ય વિલક્ષણતા હાથીની સૂંઢની છે. અમુક પ્રાચીન મૂર્તિઓમાં શ્રી સિદ્ધગિરિનું પ્રતીક અત્યારે જે મૂકવામાં આવે છે તે તદ્દન નથી અથવા તો ફક્ત તે જરાક જ ટેકરા જેવું બતાવેલ હોઈને તેવી મૂર્તિઓ જોવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy