SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 323 સાગરોપમ છે. નવમા-દસમા બંને દેવલોકના ઈન્દ્ર એક છે, જેનું નામ પ્રાણેન્દ્ર છે. નવમા-દસમા દેવલોકમાં ૪૦૦-૪૦૦ જિનપ્રાસાદ અને ૧૮૦–૧૮૦ જિનબિંબ અવેલાં છે. (૧૧) અગિયારમો દેવલોક:- નવમા-દસમા દેવલોકથી અડધા રાજ ઊંચે સાડા–દસ ગણરજુ વિસ્તારમાં મેરુથી દક્ષિણ દિશામાં ૧૧મો આરણ નામનો દેવલોક છે. ૧૧મા દેવલોકમાં દેવોનું જઘન્ય આયુષ્ય ૨૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૧ સાગરોપમનું છે. (૧૨) બારમો દેવલોક – બારમા દેવલોકનું નામ અય્યત દેવલોક છે. બંને દેવલોકના ઇન્દ્રનું નામ અય્યતેન્દ્ર છે. આ બંને દેવલોકમાં ૪–૪ પ્રતર છે. તેમાં ૧000 યોજન ઊંચાં અને રર૦૦યોજન ભૂમિતલવાળાં 300 વિમાનો આવેલાં છે. ૧૨મા દેવલોકના દેવોનું જઘન્ય આયુષ્ય ૨૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય રર સાગરોપમનું છે. ૧૧-૧રમા દેવલોકમાં દરેક વિમાનમાં ૩૦૦-૩૦૦ જિનમંદિર અને ૧૮૦–૧૮૦ જિનબિંબ છે. પહેલા સુધર્મા નામના દેવલોકની અંદર ૬લાખ વિમાન અપરિગ્રહિતા નામની દેવીઓનાં આવેલાં છે. તેમાં રહેનારી દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૫૦ પલ્યોપમનું છે અને જઘન્ય આયુષ્ય ૧ પલ્યોપમનું છે. સંખ્યાત યોજનના દેવસ્થાનમાં સંખ્યાતી અને અસંખ્યાત યોજનના દેવસ્થાનમાં અસંખ્યાતી દેવોને ઉત્પન થવાની ' ઉત્પાતશધ્યા છે. તે ઉપર દેવદુષ્ય (વસ્ત્ર) ઢંકાયેલું રહે છે. તેમાં પુણ્યાત્માઓ ઉત્પન્ન થાય છે ત્યારે તે શય્યા અંગાર પર નાખેલી રોટલીની પેઠે ફૂલે છે. નિકટવર્તી દેવો ઘંટનાદ કરે છે ત્યારે તેના તાબાનાં બધાં વિમાનોમાં ઘંટનાદ થાય છે. આથી દેવ-દેવીઓ ઉત્પાતશય્યા પાસે એકઠા થઈ જાય છે અને જયધ્વનિથી વિમાન ગજાવી મૂકે છે. અંતર્મુહૂર્તમાં દેવ આહારાદિ પાંચે પર્યાપ્તથી પર્યાપ્ત થઈ તરુણ વયવાળા જેવું શરીર ધારણ કરી તથા દેવદુષ્ય ધારણ કરી બેઠા થાય છે ત્યારે દેવો પ્રશ્ન કરે છે કે, આપે શાં દાન દીધાં? શાં પુણ્ય કર્યા? કે અમારા નાથ થયા? ત્યારે તે અવધિજ્ઞાનથી પૂર્વજન્મનું અવલોકન કરી કહે છે કે, હું મારા સ્વજન-મિત્રોને જરા સૂચન કરી આવું – એમ કહી તૈયાર થાય છે ત્યારે તે દેવ-દેવીઓ કહે છે કે ત્યાં જઈને આપ અહીંની શી વાત કરશો? જરા એક મુહૂર્ત માત્ર નાટક તો જોતા જાઓ. ત્યારે નૃત્યકાર અણિકાના દેવ જમણી ભુજાથી ૧૦૮ કુંવરો તથા ડાબી ભુજાથી ૧૦૮ કુમારિકાઓ કાઢીને ૩૨ પ્રકારનું નાટક કરે છે અને ગંધર્વની અણિકાના દેવ ૪૯ જાતિનાં વાજિંત્રોની સાથે દુરાગ, ૩૬ રાગણીના મધુર સ્વરથી આલાપ કરે છે. તેમાં તો અહીંનાં બે હજાર વર્ષ વીતી જાય છે. તે દેવ ત્યાંના સુખમાં લુબ્ધ થઈ પૂર્વોપાર્જિત પુણ્યનાં ફળો ભોગવવામાં તલ્લીન થઈ જાય છે. આયુષ્યકાળ પૂર્ણ થતાં દેવોનો દેહ કર્પરની જેમ વિલીન થઈ જાય છે, વીખરાઈ જાય છે. એક દેવ કે દેવીનું ચ્યવન થતાં તે જ પુષ્પશધ્યામાં બીજા દેવ કે દેવીનો દેહ ઉત્પન્ન થાય છે, જન્મ પામે છે. તે પ્રમાણે દેવોની પરંપરા ચાલુ રહે છે. જ્યોતિષી દેવો આયુષ્યક્ષય થવાથી ચ્યવન પામે છે પણ તેમનાં રહેવાનાં સ્થાનો જેને વિમાનો કહેવામાં આવે છે તે શાશ્વતાં હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy