SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ 322 તપાગચ્છાધિષ્ઠાયક દક્ષિણ દિશામાં ત્રસનાલની અંદર કૃષ્ણરાજ છે. તેમાં ૪ દિશાએ ચાર અને ૪વિદિશાએ ૪ અને મધ્યમાં એક એમ ૯ વિમાન છે. તેમાં લોકાંતિક જાતિના દેવો છે. પાંચમા દેવલોકના ત્રીજા અરિષ્ટ નામે પ્રતરની પાસે (૧) ઈશાન કોણમાં ચર્ચા વિમાન છે. તેમાં સારસ્વત દેવ રહે છે. (ર) પૂર્વમાં અર્ચામાલી વિમાન છે. તેમાં આદિત્ય દેવ રહે છે. તે બંને દેવોને ૭૦૦ દેવોનો પરિવાર છે. (૩) અગ્નિ દિશામાં વેરોચન વિમાન છે. તેમાં વહી દેવ રહે છે. (૪) દક્ષિણ દિશામાં પ્રબંકર વિમાન છે, તેમાં વરુણદેવ રહે છે. આ બંને દેવોનો પરિવાર ૧૪000 છે. (૫) મૈત્ય કોણમાં – નિર્મત્ય દિશામાં ચંદ્રાભ દેવવિમાન છે. તેમાં ગરદત્તાયદેવ રહે છે. (૬) પશ્ચિમ દિશામાં સૂર્યાભ વિમાન છે, તેમાં તુષિત દેવ રહે છે. એ બંનેનો ૭૦૦૦ દેવોનો પરિવાર છે. (૭) વાયવ્ય દિશામાં શક્રાભ વિમાન છે. તેમાં અવ્યાબાધ દેવ રહે છે. (૮) ઉત્તર દિશામાં સુપ્રતિષ્ઠવિમાન છે. તેમાં અગ્નિદેવ રહે છે. (૯) સર્વની મધ્યમાં રિષ્ટાભ વિમાન છે. તેમાં અરિષ્ટ દેવ રહે છે. આ ત્રણેનો ૯ :O દેવોનો પરિવાર છે. (૬) છઠ્ઠો દેવલોક :- આ દેવલોકનું નામ લાંતક દેવલોક છે. તેમાં પ પ્રતર છે. તેમાં ૭૦૦ યોજન ઊંચાં, ૨૫00 યોજન ભૂમિતલવાળાં ૫૦ હજાર વિમાન છે. પાંચમા દેવલોકના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૪ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૦ સાગરોપમ છે. લાંતક દેવલોકમાં ૫૦ હજાર જિનપ્રાસાદ આવેલા છે અને દરેક પ્રાસાદે ૧૮૦ જિનબિંબ આવેલાં છે. (૭) સાતમો દેવલોક –છટ્ટાદેવલોકથી ૧/૪ રાજ ઉપર સવાસાત ગણરજુ વિસ્તારમાં મહાશુક્ર નામનો સાતમો દેવલોક છે; જેમાં ચાર પ્રતર છે. 200 યોજન ઊંચાં અને ૨૪૦૦ યોજન ભૂમિતલવાળાં ૪ લાખ વિમાન છે. અહીંના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૪ સાગરોપમનું છે. સાતમા દેવલોકમાં ૪૦ હજાર શાતા જિનપ્રાસાદ છે અને દરેક પ્રાસાદમાં ૧૮૦ જિનબિંબ છે. તેઓનું દેહમાન ચાર હાથ છે. (૮) આઠમો દેવલોક :- સાતમા દેવલોકથી ૧/૪ રાજ ઉપર સવાસાત ગણર વિસ્તારમાં સહસ્ત્રાર નામનો આઠમો દેવલોક આવેલો છે. તેના ઇન્દ્ર સહસ્રરેન્દ્ર છે. તેમાં ૪ પ્રતર છે. ૮00 યોજન ઊંચા અને ૨૪00 યોજન ભૂમિતલવાળાં ૬ હજાર વિમાન આવેલાં છે. દેહમાન ૪ હાથ છે. સહસ્ત્રાર દેવલોકમાં શાશ્વતા ૬ હજાર જિનપ્રાસાદો આવેલા છે. દરેક પ્રાસાદમાં ૧૮૦ જિનપ્રતિમા છે. (૯) નવમો દેવલોક – આઠમા દેવલોકથી ૧/૪ રાજ ઊંચે ૧રVર ગણરજુ વિસ્તારમાં મેરુ પર્વતથી દક્ષિણ બાજુ આણત નામનો નવમો દેવલોક છે, જેમાં ૪ પ્રતર છે. ૯00 યોજન ઊંચાં અને ર૩00 યોજન ભૂમિતલવાળાં ૪૦૦ વિમાન છે. તેઓનું દેહમાન ૪ હાથ છે. તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૯ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૮ સાગરોપમ છે. = (૧૦) દસમો દેવલોક - નવમા દેવલોકથી મેરુની દક્ષિણમાં ૧૦મો દેવલોક છે, જેનું નામ પ્રાણાત છે. તેમાં ૯૦૦ પોજન ઊંચાં અને ૨૩૦૦ યોજન ભૂમિતલવાળાં ૪૦૦ વિમાનો આવેલાં છે. દેહમાન ૪ હાથ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૦ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૯ તમા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy