SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ 344 તપાગચ્છાધિષ્ઠાયક વિભૂષિત છે. તેમના હાથમાં ત્રિશૂલ, ડમરુ, મગર, અંકુશ, નાગપાશ, રત્નમાળા આદિ આયુધો છે. વાહન તરીકે સાત સૂંઢવાળો ઐરાવત ગજરાજ છે. ઐરાવતનું અંગ દિવ્ય રત્નજડિત સુવર્ણના અનેક પ્રકારના અલંકારોથી અલંકૃત છે. પરમ તારક શ્રી આદીશ્વર પરમાત્મા સદા સ્મૃતિપટ પર રહે તે માટે જિનાલય આકારની રાયણવૃક્ષની શાખાં ધારણ કરી છે. માણિભદ્ર વીર ચોસઠ યોગિની, બાવન વીર અને વીસ હજાર સામાનિક દેવો તેમ જ કાળા, ગોરા અને બટુક ભૈરવ આદિ દેવોના તે સ્વામી છે. નવ હજાર ઐરાવત જેટલું એમનામાં બળ છે. સ્વયં માણિભદ્રજી ઈન્દ્ર મહારાજના કથન મુજબ તેમનાં ત્રણ મુખ્ય સ્થાનો છેઃ (૧) ઉજ્જયિની નગરીમાં તેઓશ્રીનો જન્મ થયો હોવાથી ક્ષિપ્રા નદીને કિનારે તેમનું મસ્તક પૂજાય છે. (૨) ઉત્તર ગુજરાતમાં વીજાપુર સમીપ આવેલ આગલોડ ગામમાં તેઓનું ધડ પૂજાય છે. (૩) સિદ્ધપુર પાસેના મગરવાડા મુકામે તેઓની પિંડી પૂજાય છે. રાજી , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy