SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 345 'કર્મસિદ્ધાન્ત અને જ્યોતિષ - પૂ. આચાર્ય શ્રી વિજય રત્નભૂષણસૂરિજી મહારાજ કર્મસિદ્ધાંત અને જ્યોતિષ એ બન્ને બાબતો સર્વજ્ઞ-પ્રરૂપિત છે. આ બન્ને પરસ્પર વિરોધી નથી પરંતુ પૂરક છે. આ વાત પૂ.આ.શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજશ્રીએ ખૂબ જ માર્મિક રીતે દાખલા-દલીલ સાથે આ લેખમાં પ્રસ્તુત કરી છે. ઘણાં વર્ષોથી પ્રાચીન સાહિત્યના સંશોધન અને સંવર્ધનકાર્યોમાં ગળાડૂબ વ્યસ્ત રહેનાર પૂજય આચાર્યશ્રીએ ટૂંકમાં પણ શુભ-અશુભ કર્મોની થીયરી સમજાવી છે. આવશ્યક જેવી મહાન ક્રિયા દરમ્યાન અને પ્રતિક્રમણ જેવી પવિત્ર ક્રિયા દરમ્યાન પોતાના નિવાસી ક્ષેત્રોના ઉપદ્રવો દૂર કરવાથી માંડીને જ્ઞાનાવરણીય કર્મોને દૂર કરવા માટે શાસનના અધિષ્ઠાયક દેવદેવીઓની અનિવાર્યતા હોવાનું દઢપણે માનતા પૂજ્યશ્રી વર્તમાનમાં વિવિધ ધર્મકાર્યો દ્વારા સારી એવી શાસન-પ્રભાવના પ્રવર્તાવી રહ્યા છે. પૂજ્યશ્રી દ્વારા જ્ઞાન-પ્રસારના, ધર્મપ્રભાવનાના અને તીર્થભક્તિ-જાગૃતિનાં કાર્યોમાં ઉત્તરોત્તર આગળ વધતા રહે એ જ અભ્યાર્થના. અમારા પરત્વેની પૂજ્યશ્રીની ભલી લાગણી માટે પણ અમે તેમના અત્યંત ઋણી છીએ. – સંપાદક આપણા આત્મા ઉપર અત્યાર સુધીમાં અનંતા કર્મો બંધાયેલાં છે, તેમ જ સમયે સમયે સતત નવાં નવાં કર્મો બંધાતાં જાય છે. એ જ રીતે જેવાં કર્મ જેણે બાંધ્યાં હોય તેવું ફળ તે તે જીવોને ભોગવવું પડે છે. તે ઉપરાંત, કરે તેવું પામે, વાવે તેવું લણે–એવી જનસાધારણમાં પણ દઢ માન્યતા રહેલી છે. આ રીતે જો કર્મ મુજબ જ બધું થવાનું હોય તો પછી જ્યોતિષની શી જરૂર ? દીક્ષા-પ્રતિષ્ઠા અંજનશલાકા આદિ માટે શુભ મુહૂર્ત જોવું જોઈએ, તેની પણ શી જરૂર? જેનાં જેવાં કર્મ હશે તેવું તેનું થશે. ઉપરાંત જન્મકુંડળી ઉપરથી અમુક વ્યક્તિનું જીવન અમુક પ્રકારનું હશે, એ વગેરે જે જોવાય છે તેની પણ શી જરૂર? કોઈને શનિ નડતો હોય તો વળી કોઈને રાહુ કે મંગળ નડતો હોય છે. આ બધું વળી શું? જેનું જેવું કર્મ હશે તેવું ફળ તે ભોગવશે. એમાં વળી શનિ કે રાહુ શું કરવાના? આ રીતે કર્મ-સિદ્ધાંતવાળાનું કહેવું હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy