SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ 216 તપાગચ્છાધિષ્ઠાયક 'શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર દીઠે દુર્ગતિ વારે પ.પૂ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજ શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય; પૂર્વનવાણું ઋષભદેવ, જ્યાં કવિયા પ્રભુ પ્રાય. શ્રી શત્રુંજય તીર્થના મહિમાને સુપેરે સમજવા માટે આ લેખનું શીર્ષક અને તે પછીની પંક્તિમાં શ્રી શત્રુંજય તીર્થના મહિમાનું જે અદ્ભુત નિરૂપણ થયું છે તેવું જ પછીની પંક્તિમાં પણ અદ્ભુત રીતે વિસ્તરતું રહ્યું છે. જુઓ : જે માત્ર દેખવાથી જ દુગર્તિ નિવારે અને જે માત્ર સ્પર્શનાથી જ ભવપાર ઉતારે એ કેવી અભુત સિદ્ધિ ગણાય? અહીં અનંત સિદ્ધ થયા. નામ પણ છે ને સિંદ્ધક્ષેત્ર ? વળી, સર્વ તીર્થોમાં રાજા-તીર્થાધિરાજ જે ખુદ પ્રભુને, આદીશ્વર પરમાત્માને વારંવાર પધારવાનું કારણરૂપ પરમ પાવન ક્ષેત્ર હોય. આવો અદ્ભુત મહિમા આ લેખના લેખક પૂ. મુનિશ્રી દ્વારા યથાર્થરૂપે નિરૂપવામાં આવ્યો છે. શ્રી માણેકશાહના જીવનનું અંતિમ લક્ષ શત્રુજય હતું. શ્રી શત્રુંજય તીર્થનું મહત્ત્વ, માહાભ્ય પણ વિસ્તારથી આલેખવાનો પૂજ્યશ્રીએ સુંદર પ્રયાસ કર્યો છે. લેખમાં મુનિશ્રીની વ્યાપક અને વિશદ દષ્ટિનાં દર્શન થાય છે. ભાવકોને આ લેખ ખરેખર પ્રેરણાદાયી બની રહેશે. ૫.પૂ.આ.શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રી અને પૂ.મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજનું જૈનધર્મના વિવિધ વિષયોમાં ઊંડું અને વ્યાપક ખેડાણ નોંધપાત્ર રહ્યું છે. તેમનાં બધાં જ પ્રકાશનોમાં કલા અને સંસ્કૃતિ, ધર્મ અને વિજ્ઞાનનો સુંદર સમન્વય જોવા મળે છે. – સંપાદક પાપિષ્ઠ આત્માને પવિત્ર બનાવે તેનું નામ પર્વ... અને સંસારસાગરમાં ડૂબતા જીવોને તારે તેનું નામ તીર્થ. પર્વ કાળાશ્રિત છે.. તીર્થ ક્ષેત્રાશ્રિત. પર્વ આપણી પાસે આવે છે... તીર્થમાં આપણે જવું પડે છે. ગતાનગતિક સાંસારિક જીવન વ્યતીત કરતા ને જાણતાં-અજાણતાં અગણિત પાપોનાં પોટલાં ઊભા કરતા જીવો માટે તીર્થ અને પર્વ બંને સ્પીડ-બ્રેકરનું કામ કરે છે. આર્યાવર્તની આ પાવન ભૂમિમાં કાળે કાળ પર્વો આવતાં રહે છે તો તારક તીર્થોનો પણ - ---------------- કમ કસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy