SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 27 તોટો નથી. દીર્ઘદ્રષ્ટા પૂર્વજોએ ચારે દિશામાં તીર્થસ્થાનોની હારમાળાઓ ઊભી કરી દીધી છે. માત્ર ભારતના જ નહીં, દુનિયાના તીર્થાધિરાજ નહીં પણ ત્રણે લોકનાં તીર્થોમાં શિરમોર જો કોઈ હોય તો તે છે પાલીતાણાનો પહાડ.... શત્રુંજય ગિરિરાજ. તીર્થાધિરાજ તીર્થોમાં ઠાલવેલી કળા અને સૌંદર્ય તો ભાવની અભિવૃદ્ધિમાં નિમિત્તભૂત છે... પણ તીર્થની શ્રેષ્ઠતાના માપદંડ છે ત્યાંના પવિત્ર પરમાણુઓ અને પ્રતિમાઓની પ્રાચીનતા અને પ્રભાવકતા. મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ સદેહે વિહરમાન શ્રી સીમંધરસ્વામી ભગવાન પણ આ તીર્થની મહાનતા ઉપર મોરછાપ મારતાં કહે છે કે – " કોઈ અનેરું જગ નહીં એ તીરથ તોલે, એમ શ્રીમુખ હરિ આગળ શ્રી સીમંધર બોલે....” આ તીર્થ ત્રણે લોકમાં શ્રેષ્ઠતમ, પવિત્રતમ અને બેજોડ છે, તેનાં ચાર વિશિષ્ટ કારણો છે. (૧) આ તીર્થ પ્રાયઃ શાશ્વત છે. અર્થાત્ કાયમી છે. કાળકૃતુ આક્રમણો તેનો સર્વનાશ વેરવા અસમર્થ છે. હા, કાળે કાળે ચઢતી-પડતી આવી શકે, તેની પ્રભાવકતામાં ઓછાવત્તાપણું થઈ શકે. મંદિરો અને મૂર્તિઓની સંખ્યામાં પણ ફેરફાર હોઈ શકે; તેની ઊંચાઈમાં વધઘટ થઈ શકે, પહેલા આરામાં આ તીર્થ ૮૦ યોજન ઊંચું હતું. સમયના વ્હેણની સાથે તીર્થની ઊંચાઈ ઘટતી ગઈ. આજે દેખાતો વિશાળકાય પર્વત છઠ્ઠા આરામાં માત્ર સાત હાથનો રહેશે.' કહેવાય છે કે પૂર્વકાળમાં આખો પર્વત સોનાનો હતો, જેથી તેનું એક નામ કંચનગિરિ પણ છે. આજે કાળના પ્રભાવે ચોમેર પથરા જ દેખાય છે. પૂર્વકાળમાં હજારો-લાખો દેવી-દેવતાઓ આ તીર્થની યાત્રાએ આવતાં. આજે આ ચર્મચક્ષુથી કોઈ દેખાતું નથી. આ બધા દેખીતા ઉપક્રમોની વચ્ચે તીર્થ અડીખમ ઊભું છે, ને ઊભું રહેશે. કાળકૃત આક્રમણો, કુદરતી આફતો કે માનવીય અત્યાચારોની અસર તેને નથી. ૧. અવસર્પિણીમાં દર વર્ષે એક લેખિીન ,ડા 3 દલા પવન *ટિતા જાય છે અવી લો , : ; જા છે, ૨૮. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy