SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ 114 તપાગચ્છાધિષ્ઠાયક - આચાર્યશ્રી હેમવિમલસૂરિજીના વિહાર પૂર્વે શ્રેષ્ઠી માણેકશાહે પોતાની ભીષણ પ્રતિજ્ઞા સાથે શ્રી સિદ્ધગિરિ તરફ પ્રયાણ કર્યું હતું, જેની વાચકને જાણ હશ જે. આત્મબલિદાન સમસ્ત જગતને પોતાના પ્રચંડ તાપથી તપાવતા સવિતા દેવ આસ્તાચળે સિધાવવાની તૈયારીમાં હતા. સંધ્યાદેવી ભાસ્કર ભગવાનને વધાવવા માટે કુમકુમનો થાળ લઈને ધીમે પગલે ચાલી આવતી હતી. આ સમયે એક અવધૂત યોગી જેવો લાગતો મસ્ત માનવી ઘનઘોર જંગલની અંદર વાયુવેગે વિચરી રહ્યો હતો. નથી એને ભૂખનું ભાન કે નથી એને પ્યાસની પિછાન. ભૂખ અને તરસ જાણે એનાથી સદાને માટે દૂર થઈ ગયાં હતાં. આ ઘટાટોપ જંગલ અલ્પ સમયમાં જ રાત્રિના કાળા અંધકારથી વ્યાપ્ત બની જશે એ વાત એના લક્ષમાં ઊતરી હોય એમ લાગતું ન હતું. વિકરાળ વાઘ, વરુ વગેરે હિંસક પ્રાણીઓ એના દુર્બળ બનેલા દેહને પલવારમાં જ ફાડી ખાશે એવો એને સ્વપ્ન પણ ભાસ ન હતો. એને એનું પોતાનું ભાન હતું કે કેમ એ વસ્તુનો નિર્ણય કરવાનું કામ પણ મુશ્કેલ હતું. આત્મધ્યાનમાં જ ધ્યાનમસ્ત બનેલો આ ધૂની જેવો જણાતો માનવી એકસરખી ગતિએ જંગલનો માર્ગ કાપી રહ્યો હતો. એનું લક્ષ્યબિન્દુ શું છે તે કોઈ પણ માણસની કલ્પનામાં ઊતરી શકે એવો વિષય ન હતો. વાચક! આ વનવિહારી વ્યક્તિને હવે કદાચ ઓળખી શક્યા હશો. એ અન્ય કોઈ નહિ, પરંતુ ઉજ્જયિની નગરીનો નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠી પોતે જ હતો. શ્રી સિદ્ધાચળનાં દર્શન થતાં સુધી અન્નજળનો ત્યાગ કરવાની એની ભીષણ પ્રતિજ્ઞાએ એના આત્માની અંદર અજબ શ્રદ્ધાનું સિંચન કર્યું હતું. અને એ અખૂટ શ્રદ્ધા જ એને છેક આગ્રાથી અહીં અને પાલણપુર પ્રદેશના મગરવાડા ગામનાં ગાઢ જંગલો સુધી ખેંચી લાવી હતી. શ્રી સિદ્ધગિરિના અવિરત રટણ વચ્ચે તેઓ આ અઘોર જંગલના માર્ગને તીરના વેગે વધી રહ્યા હતા. પરંતુ ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે તે કોણ જાણી શક્યું છે ! ભાવિના ભેદ કોણ ઉકેલે ! જગતમાં મહાપુરુષોનું જીવન પરિવર્તન અચાનક અને અદ્ભુત રીતે થાય છે. કુદરત જે વ્યક્તિનો જીવનપલટો કરવા ધારે છે, તેને જાણે હાથ પકડીને જ નવે રસ્તે ચઢાવી દે છે. ઇતિહાસના પટ પર આવાં અનેક ઉદાહરણો મોજૂદ છે. ઉજ્જયિની નગરીના માણેકશાહ શ્રેષ્ઠીનું જીવન પરિવર્તન પણ આવા જ કોઈ અનેરા સંજોગોને આભારી હતું. કારણ કે, કયાં ઉજ્જન કયાં આગરા, કયાં સિદ્ધગિરિવર સ્થાન ! કયાં માનવ માણેકશાહ, કયાં માણિભદ્ર મહાન ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy