SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 255 यस्माद्गता मुक्तिपुरीं सुरम्यामनन्तजीवा जितमोहमल्लाः । विजेतुकामोऽहमपीह मोहं, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ५ ॥ જીતી લીધેલ છે મોહ રૂપી મલ્લને જેમણે એવા અનંત જીવો જ્યાંથી અત્યંત રમણીય એવી મુક્તિનગરીમાં ગયા છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને, મોહને જીતવાની ઇચ્છાવાળો એવો હું પણ ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૫. यस्य प्रभावाद्धि स चन्द्रमौलिर्भोक्ता स्वसुः सिद्धिसुखं प्रपेदे । अभव्यजीवैः खलु नैव दृश्यं, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ६ ॥ કર્મસંયોગે પોતાની બહેનને ભોગવનાર એવા ચન્દ્રશેખર રાજા પણ જેના પ્રભાવથી સિદ્ધિસુખને પામ્યા, તથા અભવ્ય જીવો કદી પણ જેનું દર્શન પામી શકતા નથી. એવા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિ વડે પ્રણામ કરું છું. ૬. यस्मिन् कृता धर्मक्रियाऽल्पिकाऽपि ह्यनन्तगुण्यं नु फलं प्रसूते । तीर्थाधिराजेतिसिद्धिभाजं, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ७ ॥ જ્યાં કરાયેલી નાનકડી પણ ધર્મક્રિયા અન્ય તીર્થો કરતાં અનંતગણા ફળને આપે છે અને તેથી 'તીર્થાધિરાજ' તરીકે પ્રસિદ્ધ થયેલા એવા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિ વડે પ્રણામ કરું છું. ૭. भोस्तीर्थराट् सिद्धगिरे प्रसीद, मां तारयाऽस्माद्भवसिन्धुतोऽरम् । यः प्रार्थ्यते संयमिभिद्यपीत्थं, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ८ ॥ 'હે તીર્થાધિરાજ ! સિદ્ધગિરિ ! પ્રસન્ન થા અને મને આ સંસારસાગરથી શીધ્ર પાર ઉતાર આ પ્રમાણે સંયમી મુનિવરો પણ જેની પ્રાર્થના કરે છે તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૮. जिनोऽजितस्वाम्यपि यत्र चातुर्मासी स्थितो शांतिजिनोऽपि यत्र । नेमिं विना सर्वजिनाः समेयुः, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ९ ॥ જ્યાં શ્રી અજિતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાન ચાતુર્માસ રહ્યા હતા, તથા શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy