SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ 254 તપાગચ્છાધિષ્ઠાયક (૩૫નાતિ-જી:) यस्तीर्थराट्छीविमलाचलाद्यै - नैंकैः पवित्रैर्वरनामधेयैः । ख्यातोऽस्ति नूनं भुवनत्रयेऽपि, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १ ॥ જે તીર્થાધિરાજ શ્રી વિમલાચલ આદિ અનેક (૧૦૮) પવિત્ર અને શ્રેષ્ઠ નામો દ્વારા ત્રણેય ભુવનમાં પ્રખ્યાત છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧. __यं पूतवान् वै स युगादिदेवो, देवाऽसुरैरर्चितपादपद्मः । अङ्काङ्कमेयं खलु पूर्ववार, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २ ॥ દેવો અને દાનવોથી પૂજાયેલાં છે ચરણકમળ જેમનાં એવા યુગાદિદેવ શ્રી ઋષભદેવ ભગવાને જેને ૯૯ પૂર્વવાર (પધારીને) પવિત્ર કરેલ છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૨. येनोद्धृता भीमभवाब्धितोऽहो ह्यनन्तजीवाः कृतभूरिपापाः । संसारपाथोनिधिपोततुल्यं, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ३ ॥ અહો! કરેલાં છે પુષ્કળ પાપો જેમણે એવા પણ અનંત જીવોને જેણે ભયંકર સંસારસાગરથી ઉદ્વર્યા (તાર્યા છે અને તેથી જ સંસારરૂપી સાગરમાં વહાણતુલ્ય એવા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૩. यस्मै सुभक्त्या स्पृहयन्ति नन्तुं, देवेन्द्रनागेन्द्रनरेन्द्रवृन्दाः । ध्यातव्यध्येयं हि प्रणम्यनम्यं, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ ४ ॥ દેવેન્દ્રો, નાગેન્દ્રો, (દાનવેન્દ્રો) અને નરેન્દ્રો (રાજાઓ)ના સમૂહો જેને શ્રેષ્ઠ ભક્તિ વડે નમસ્કાર કરવા માટે સ્પૃહા કરે છે; તથા અન્ય મુમુક્ષુ જીવો વડે ધ્યાન કરવા લાયક એવા ગણધરાદિ મહાપુરુષો દ્વારા પણ જે ધ્યાન કરવા યોગ્ય છે, તેમ જ દેવો વગેરે દ્વારા પ્રણામ કરવા લાયક એવા ગણધરાદિ મહાપુરુષોને માટે પણ જે નમસ્કાર કરવા યોગ્ય છે, એવા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy