SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ 494 તપાગચ્છાધિષ્ઠાયક જ સ્થળે ભોંયરું બનાવી ભોંયરામાં સ્થાપન કરવાની યોજના બનાવે છે. જો કે તેઓના પિતાજીએ આ માટે સ્પષ્ટ ના પાડી કે ૩૫૦-૪૦૦ વર્ષ પૂર્વે મહાત્મા દ્વારા થયેલી સ્થાપના આપણે નથી ઉત્થાપવી. આપણા માટે સારું નથી. આ માણિભદ્રજી સામે માલદેવજી મહાત્માએ જે સાધના કરી છે તેનું બળ પણ નષ્ટ થઈ જશે; માટે આપણે જે છે તે બરાબર છે, કાંઈ નવું કરવું નથી. પરંતુ આવા સ્થાનને શા માટે સુંદર ન બનાવવું? આવા પ્રબળ વિચારથી હાલ પૂરતી પિતાજીની આમન્યા સાચવવા માણિભદ્રજી તથા માલદેવજીની ગાદીનું ઉત્થાપન કર્યા વિના જ રૂમના અંદરના ભાગે ભોંયરું બનાવવા માટે ખોદકામ શરૂ કરાવ્યું. ૧૦ મિનિટ થતાં એકદમ મકોડાથી થોડા મોટા જીવો ખોદકામની જગ્યાએ ઊભરાવા લાગ્યા. બિચારા જીવો મરી જશે એમ સમજી દૂર કરવા પ્રયત્ન કર્યો પરંતુ પરિણામ કાંઈ ન મળ્યું. છેવટે તે સમયે કામ બંધ રાખી કારીગરોને રજા આપી કે માત્ર ૫-૧૦ મિનિટમાં તે કયાંય અલોપ થઈ ગયા. પુનઃ બપોરે કામ શરૂ કર્યું અને મહામકોડાની હારમાળા ચાલુ. આખી જગ્યા ચિક્કાર થઈ ગઈ. પગે ચટકા પણ ભરવા લાગ્યા. પુનઃ કામ બંધ થતાં થોડી જ ક્ષણોમાં બધું જ અદશ્ય થઈ ગયું. ભોયરું તો બનાવવું જ છે; પણ હવે શું કરવું? બીજા દિવસે મજૂરોને હાથે-પગે કપડાં બાંધ્યાં, ને પાટા ઉપર કેરોસીન છાંટયું, જેથી મકોડા ચડે નહીં. વળી જમીનમાં પણ કેરોસીન છાંટયું અને કામ શરૂ કર્યું. માત્ર ૩-૪ મિનિટ થઈ અને ડબલ જોરથી ઉપદ્રવ શરૂ થયો. જોતજોતામાં આખી જમીન ભરાઈ ગઈ. ૫-૬ ઈચનો થર જામી ગયો. જાણે એવું ન સૂચિત કરતા હોય કે આ જમીન-જગ્યા અમારી છે, તમોને ખોદવાનો કોઈ અધિકાર નથી. હવે કામ થઈ શકે જ નહીં. તેથી કામ બંધ કર્યું અને થોડી જ વારમાં સર્વે શાંત થઈ ગયું. આમ ને આમ ૩-૪ દિવસ ચાલ્યું. આટલી મહેનત અને ખર્ચ કરવાં છતાં માત્ર ૫-૭ ઈચ જેટલું પણ ખોદકામ થઈ શક્યું નહીં તો ૧૦–૧૨ ફૂટનું ઊંડાણ ક્યારે થાય? છેવટે પિતાજીએ પુત્રને સમજાવ્યો કે" જયંતિ! અહીં તો માણિભદ્રજી અને માલદેવજી મહાત્મા હાજરાહજૂર છે. તેમની ઇચ્છા વિરુદ્ધ કાંઈપણ ન થાય. જે છે તે બરાબર છે. હવે માફી માંગી બંધ કર, નહીં તો પરિવારમાં ઉપદ્રવ થશે." આ વાત ચાલે છે ત્યાં તો સાંતલપુરથી ગોરજીની ચિઠ્ઠી લઈમાણસ આવ્યો કે માલદેવજી અને માણિભદ્રજીનો છેલ્લા બે-ત્રણ દિવસથી અવાજ આવી રહ્યો છે કે મુજપુરના મારા સ્થાનમાં ખોદકામ ચાલી રહ્યું છે તે બંધ કરાવો." ચિટ્ટી વાંચતાંની સાથે જયંતિલાલ ગોરજી વિચારમાં પડી ગયા. આટલે દૂર ત્યાં કેવી રીતે ખબર પડી ! જે હોય તે, હવે મારે કાંઈ સુધારો નથી કરવો. ત્યાં સ્થિતિ યથાવત્ કરી દીધી. પછી કયારેય તે જગ્યાએ તે મોટા મકોડાનો ઉપદ્રવ થયો નથી. આ આકસ્મિક ઉપદ્રવ પાછળ શું કારણ હશે તે ક્યુવિજ્ઞાન હશે?તે તો શી ખબર પડે, પણ પરિસ્થિતિ જોતાં ભાવુક ભક્તજન શ્રી માણિભદ્રજી તથા શ્રી મહાત્માજીની માયાજાળ સિવાય બીજું શું માને? આજે પણ તે સ્થાને સાધના માટે, સુખ-સમાધિ કે કામનાઓની પૂર્તિ માટે જાગૃત છે, તેમ લોકમુખે ગવાઈ રહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy