SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 493 કરી યતિધર્મ સ્વીકારી તપાગચ્છ અધિષ્ઠાયક–સંરક્ષક યક્ષરાજ શ્રી માણિભદ્રની ઉપાસના દ્વારા તેઓએ પોતાના જીવનમાં અનેક સિદ્ધિઓની હારમાળા હસ્તગત કરી હતી. તેના દ્વારા શાસન- પ્રભાવનાનાં અનેક કાર્યો કર્યાની દંતકથાઓ પણ શ્રવણગોચર થાય છે. મુખ્યત્વે તેમની ત્રણ સ્થાનોમાં ગાદી હતી. (૧) ઉમાપુર (હાલ ઊંઝા) (૨) મુજપુર (શંખેશ્વર પાસે) (૩) સતલાસણ. આ ઉપરાંત લણવા વગેરે સ્થાનોમાં પણ તેમના ઉલ્લેખ મળે છે. યતિરાજનાં જ્યાં જ્યાં સ્થાન છે તે દરેક જગ્યાએ દેરાસરની પાસે જ તપાગચ્છ અધિષ્ઠાયક શ્રી માણિભદ્રજીનું સ્થાન આજે પણ જોવા મળે છે. ત્રણે ગામોમાં માણિભદ્રજીના સ્થાનની બાજુમાં યતિરાજ માલદેવજીની ગાદી પરમ શ્રદ્ધાથી પૂજાય છે. ત્રણે સ્થાનોમાંદેરાસર અને માણિભદ્રજીનાં સ્થાનો સાથે (સંયુક્ત) જ છે. અને લગભગ માલદેવજીની પોશાળ પણ હયાત છે. આ ત્રણે સ્થાનોમાં તેમની શિષ્યપરંપરા ચાલી આવતી હતી. ઊંઝામાં તેઓશ્રીની પરંપરામાં છેલ્લે શ્રી જોઈતારામજી મહાત્મા થઈ ગયા; જેઓએ ૧૦૦વર્ષ પૂર્વે ઊંઝા મંડણ શ્રી કુંથુનાથ ભગવાનના દેરાસરના જીર્ણોદ્ધાર સમયે દાદાની પ્રતિષ્ઠાનું મુહૂર્ત તૈયાર કર્યું હતું. સમગ્ર દેરાસરનો જીર્ણોદ્ધાર થવા છતાં તે માલદેવજી મહાત્માના સાધના સ્થાન સ્વરૂપ ૩૫૦-૪૦૦ વર્ષ પ્રાચીન પ્રતિષ્ઠિત શ્રી માણિભદ્રજીના સ્થાનને યથાવત્ રાખેલ જેથી તેઓની સાધનાશક્તિના પરમાણુઓની આજે પણ અનુભૂતિ થઈ શકે છે. શ્રી જોઈતારામજી પછી તેમની શિષ્યપરંપરા ઊંઝામાં લુપ્ત બની. તેનો વહીવટ વગેરે સંઘના હાથમાં આવ્યો. માલદેવજીની શિષ્યપરંપરા એક મુખ્ય ગાદી પર લુપ્ત બની પરંતુ મુજપુર અને સતલાસણ–એ બે ગાદી સ્થાનોમાં શિષ્ય પરંપરા ચાલુ રહી. જો કે ર-૩ પેઢીથી શિષ્યપરંપરા સંતાન-પરંપરામાં પરિવર્તન પામી જે આજે પણ બન્ને સ્થાનોમાં જૈન ગોરજી ના નામથી ગહસ્થ પરિવારો હયાત છે. તે પ્રભાવિક સ્થાનોમાં તેઓ માણિભદ્રજીની તથા શ્રી માલદેવજી મહાત્માની યથાયોગ્ય ઉપાસના કરી રહ્યા છે. આ ત્રણેય પ્રાચીન સ્થાપત્યસ્થાનોમાં આજે પણ પ્રભાવ દેખાઈ રહ્યો છે. ક્યારેક સપ્તસૂઢી શ્વેત હસ્તિ આરૂઢ માણિભદ્રજીના દર્શન કોઈક ભાવકને થાય છે તો કયારેક લાંબીલચ–નાભીને સ્પર્શ કરતી શ્વેત દાઢીવાળા શ્વેત વસ્ત્રધારી સપ્ત હસ્ત પ્રમાણ મહાકાય માનવી વૃદ્ધ પુરુષના દર્શન થાય છે. શ્રદ્ધાળુ ભાવિકો તે સ્થાનના દર્શન–અર્ચન-પૂજન દ્વારા પોતાની ઇચ્છિત કામનાઓને પૂર્ણ કરે છે. મુજપુરના માણિભદ્રજીના સ્થાનનો આ પ્રસંગ છે. પ્રભાવિક આ સ્થાનને સુંદર બનાવવાના શુભ આશયે જયંતિલાલ (ગોરજી સંતાન) તે માલદેવજી દ્રારા પ્રતિષ્ઠિત શ્રી માણિભદ્રજીને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy