SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ 492 તપાગચ્છાધિષ્ઠાયક શાસનની દાઝ અને સેવાની તમન્નાપૂર્વકની હતી. પૂ. આચાર્યદેવે મહાનગરી દિલ્હીમાં દબદબાભર્યા રજવાડી સામૈયા સાથે પ્રવેશ કર્યા પછી પ્રતિદિન ધર્મ સંભળાવવા રાજેશ્વરની વિનંતીથી સ્વયં રાજદરબારમાં હાજર રહેતા... અને ધર્મની મહાસત્તાના શાશ્વત સિદ્ધાંતોની સ્થાપના કરતા.. એકદા રાજદરબાર ભરાયેલ છે. પૂજ્ય સૂરિવર પધાર્યા છે. અનેક વાતો થઈ રહી છે અને કોઈ સમસ્યા ખડી થાય છે ત્યાં જ પૂ. સૂરિદેવનું મન વિચારોના અતીત ઊંડાણમાં ચાલ્યું જાય છે. તેઓશ્રીના માનસપટ પર તે યતિરાજને સ્મૃતિચિત્ર ખડું થાય છે અને વીજળીના ચમકારાની જેમ મનમાં વિચાર સ્ફરે છે: " તે યતિરાજ અત્યારે હાજર હોત તો..." ત્યાં જ પૂ. સૂરિદેવના કાને શબ્દો પડે છે, " સાહેબજી! ફરમાવો, સેવકનું શું કામ પડ્યું? સેવક સદાકાળ સેવામાં હાજર છે." આ શબ્દ કર્ણગોચર થતાં જ આચાર્ય ભગવંત એકદમ સ્વસ્થ થઈ જુવે છે તો પોતાની જ સામે તે યતિરાજ હાજર હતા. અને તે પણ ગોદોહાસન મુદ્રાએ. બે પગ વચ્ચે દૂધ દોહવાનું પાત્ર પણ સાથે જ છે. પોતાના જ સ્થાનમાં (ઊંઝા ઉ.ગુ.) દૂધ દોહવાની તૈયારી કરી રહેલા યતિરાજને હજારો માઈલ દૂર રાજસભામાં સૂરિવરે સ્મૃતિગોચર કરતાં તે જ અવસ્થામાં ક્ષણમાત્રમાં પહોંચી જનાર તે યતિરાજ હતા, યક્ષરાજ શ્રી માણિભદ્રજીના ઉપાસક" માલદેવજી મહાત્મા." પુનઃ વયોવૃદ્ધ પાસેથી કર્ણગોચર બનેલ એક પ્રસંગ સ્મૃતિગોચર થાય છે કે જગદ્ગુરુ આચાર્યદેવ પોતાના શિષ્ય-શ્રાવકગણ સાથે એકવાર જમુના નદીના કિનારે કાંઈક વિચારતા ઊભા છે. જમુનાની પેલે પાર જવું છે, શાસનનું જરૂરી કાર્ય છે; પણ જવું કેવી રીતે? ધસમસતા પાણીના પ્રવાહ ઉપર નથી કોઈ પુલ કે નથી કોઈ માર્ગ. કરવું શું? ગયા વિના ચાલે તેમ પણ નથી. પૂ. આચાર્યદેવ વિસામણમાં છે ત્યાં તેઓશ્રીને 'માલદેવજી યતિરાજ'ની યાદ આવી ગઈ. ત્યાં તો માલદેવજી મહાત્મા સાક્ષાત–પ્રત્યક્ષ હાજર." સાહેબજી ! ફરમાવો કાર્યસેવા." સરિવરે ચિંતાયુક્ત મને વાત કરી – જમુનાને પેલે પાર પહોંચવું જરૂરી છે. આ પ્રવાહમાં એક પણ ડગલું આગળ વધી શકાય તેમ નથી. " આચાર્યદેવની વાત સાંભળી માલદેવજીએ પોતાના વામ સ્કંધે (ડાબા ખભે) રહેલી ચાર-પાંચ હસ્ત પ્રમાણ પછેડી (ચાદર) હાથમાં લીધી. તેનો એક છેડો પકડી બાકીની છૂટી ફેંકી અને ચમત્કાર ! આંખના પલકારામાં તો એક છેડો માલદેવજીના હાથમાં તો બીજો છેડો જમુનાને પેલે પાર પહોંચ્યો. ક્ષણ માત્રમાં જાણે શ્વેત તુષારનો પુલ બની ગયો અને માલદેવજી બોલ્યા.. પધારો આચાર્યદેવ ! આપના માટે માર્ગ તૈયાર છે. આચાર્યદેવ સાથે બધા જ જાણે પુલ ઉપર ચાલતા હોય તે રીતે પછેડી પર ચાલીને જમુનાને પેલે પાર પહોંચ્યા.. મહાત્માજીનું સૂચન હતું...." ચાલતાં ચાલતાં પાછું વળી કોઈએ જોવું નહીં." આ સૂચનનો અમલ પેલે પાર પહોંચ્યા ત્યાં સુધી તો બરાબર કર્યો, પરંતુ નદી પાર થતાંની સાથે જ બધા તે પુલસ્વરૂપ પછેડી અને માલદેવજીને જોવા કૌતુક-ઉત્સુકતાથી પાછળ જુવે છે ત્યાં તો પુલ(પછેડી) પણ ગાયબ અને સામે કિનારે માલદેવજી પણ ગાયબ..!! સેવાનું કાર્ય પૂર્ણ થતાં શા માટે ઊભા રહેવું.. તેઓ માત્ર શાસનના સેવક હતા. પ્રશંસાના પૂજારી નહીં. આથી જ કાર્ય પૂર્ણ થતાં જ જે રીતે પધાર્યા તે જ રીતે અંતધ્યન થઈ વિદાય લઈ લીધી. ગમે તે સ્થાને, ગમે તે સમયે, ગમે તે સ્થિતિમાં શાસનના કાર્યોમાં સ્વદેહે સદાય હાજર રહેનાર આ માલદેવજી મહાત્મા માણિભદ્રજીના ઉપાસક હતા. ઊંઝાની ધરતી પર જન્મ ધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy