SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 399 પણ આપણા મગજમાં શબ્દની–ધ્વનિની અસ્પષ્ટ ઉત્પત્તિ થાય છે જેને સંસ્કૃત વ્યાકરણના નિષ્ણાતો ચિંતકો શબ્દસ્ફોટ કહે છે. અને તે અક્ષરોની ચોક્કસ પ્રકારની છાપ આપણા મન સમક્ષ રચાઈ જાય છે. મંત્રોની સારી અને ખરાબ બંને પ્રકારની અસર ઉત્પન્ન કરી શકાય છે. એટલું જ નહિ પણ મંત્રોથી પશુ, પક્ષી, વનસ્પતિ, મનુષ્યો તથા તે મંત્રોના અધિષ્ઠાયક દેવોને ધારી અસર પહોંચાડી શકાય છે. કેટલાક મંત્રો એવા છે જેનાથી રોગમુક્તિ થાય છે, તો કેટલાક મંત્રોથી રક્ષણ થાય છે તો કેટલાક મંત્રોથી વશીકરણ, મારણ, ઉચ્ચાટણ પણ થઈ શકે છે. કુશન્ડિકા યજ્ઞમાં એક માણસે ફક્ત મંત્ર અને અગ્નિબીજ ૨ થી જ અગ્નિ પ્રગટાવેલો. મંત્રધ્વનિ, મંત્રાક્ષરો તથા યંત્રઅને મૂર્તિ માટે જણાવતાં શ્રી સી.સી. બક્ષી લખે છે કે મંત્રનો ધ્વનિ એક પરિમાણવાળો (યુનિ-ડાઈમેન્શનલ) હોય છે. અલબત્ત, ધ્વનિને આપણે જોઈ શકતા નથી તેથી કદાચ આપણા માટે તે એક પરિમાણવાળો–યુનિડાઈમેન્શનલ કહી શકાય; પરંતુ જેઓ ધ્વનિના રંગો જોઈ શકે છે તેઓ માટે તો ધ્વનિ પણ ત્રિપરિમાણીય-થ્રી ડાઈમેન્શનલ જ છે.) મંત્રાલરો તથા તેની આકૃતિસ્વરૂપ યંત્રો દ્વિપરિમાણવાળા અર્થાતુ ટુ-ડાઈમેન્શનલ હોય છે; જ્યારે મૂર્તિ ત્રિપરિમાણવાળી અર્થાત્ શ્રી ડાઈમેન્શનલ હોય છે. મંત્રજાપના પ્રકારો અને તેની શક્તિ વિશે વૈજ્ઞાનિક વિશ્લેષણ સાથે વિગતવાર ચર્ચા મેં "જપના પ્રકારો અને તેનું વૈજ્ઞાનિક મૂલ્ય" લેખમાં કરી જ છે. એટલે તેની અહીં પુનરુક્તિ કરતો નથી. પ્રાચીનકાળમાં, પ્રાયઃ મહાભારતનું યુદ્ધ થયું તે કાળમાં, યુદ્ધમાં શસ્ત્રવિદ્યા અને અસ્ત્રવિદ્યાનો ઉપયોગ થતો હતો. આમાં શસ્ત્ર એટલે સામાન્ય શસ્ત્રો જેવાં કે તલવાર, બાણ વગેરે. જ્યારે મંત્ર દ્વારા અથવા વિદ્યાઓ સહિત છોડવામાં આવતાં શસ્ત્રોને અસ્ત્રો કહેવામાં આવે છે.૧૦ આ અસ્ત્રો શત્રુનો સંહાર કરી પુનઃ પ્રયોક્તા અર્થાત્ છોડનારની પાસે આવી જતાં. તે અસ્ત્રોને નિષ્ફળ બનાવવાની વિદ્યાઓ પણ તે સમયના રાજા, સેનાપતિ વગેરે જાણતા હતા. આમ ભારતીય પરંપરામાં મંત્રવિદ્યા ખૂબ જ પ્રાચીન હોવાનું જણાય છે. ભારતમાં જ જન્મેલ અને ભારતમાં જ વિકાસ પામેલ મંત્ર, યંત્ર, તંત્રની વિભિન્ન પરંપરાઓમાં (૧) બ્રાહ્મણ (હિન્દુ) (૨) બૌદ્ધ અને (૩) જૈન મુખ્ય છે. બ્રાહ્મણ–હિન્દુ પરંપરાના ત્રણ પેટા વિભાગ છે. (૧) વૈષ્ણવ (૨) શૈવ અને (૩) શાક્ત. તેમાં જૈન મંત્ર-યંત્ર-તંત્રની પરંપરા પણ ખૂબ જ પ્રાચીન છે. શ્રી સંઘદાસ ગણિ વિરચિત 'વસુદેવ હિંડી' નામનો એક ગ્રંથ જે ઈ.સ.ની પાંચમી સદીમાં રચાયેલો માનવામાં આવે છે, તેમાં મળતા સંદર્ભો અનુસાર આ અવસર્પિણીકાળના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુએ પ્રવ્રજ્યા અંગીકાર કરી ત્યારે તેઓએ પોતાની સઘળી સંપત્તિ તથા રાજ્ય પોતાના પુત્ર-પૌત્રાદિને વહેંચી દીધાં. તે સમયે તેમના બે પુત્ર કચ્છ અને મહાકચ્છના બે પુત્રો નમિ અને વિનમિ બહાર ગયેલ હોવાથી તેમને કાંઈ આપ્યું નહોતું. નમિ અને વિનમિ પાછા આવ્યા ત્યારે સઘળો વૃત્તાંત જાણી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy