SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ 779 તપાગચ્છાધિષ્ઠાયક 'હા.' 'બરાબર કહ્યું ને કે મને પહેલા નંબરે પાસ કરજો.' 'ના, મેં કહ્યું કે મને બીજા નંબરે પાસ કરજો.' 'કેમ એમ કર્યું?' 'પહેલે નંબરે તો શરદ જ આવવાનો, એના કાકા માસ્તર છે એટલે. પછી કયાંથી પહેલો નંબર મળે? એટલે બીજો નંબર માગ્યો.” 'સારું, તો હવે કાલથી રોજ બીજો નંબર જ માગજે, ઘડીકમાં પહેલો અને ઘડીકમાં બીજો એમ ન કરાય.' મારે ત્રીજા નંબરમાંથી બીજા નંબરે આવવાનું હતું. આમ જોઈએ તો ફકત એક જ નંબર ઉપર ચડવાનું હતું પણ મને એ સહેલું લાગતું ન હતું. ચોથી ચોપડીના અમારા વર્ગશિક્ષક વિષ્ણુભાઈ જે રીતે શરદ અને મૂળચંદ પ્રત્યે પક્ષપાત દર્શાવતા એથી મારા બાળસહજ ચિત્તમાં એવું ઠસી ગયું કે મને કોઈ દિવસ પહેલો કે બીજો નંબર મળે જ નહિ; પણ માતાના આગ્રહથી રોજ રોજ દીવો કરવાનું ચાલુ થઈ ગયું હતું. રોજ સવારે રેવાબા એક વાટકામાં ગરમ ઘીમાં પલાળેલી વાટ તૈયાર કરી આપે. હું નવઘરીમાં શ્રી માણિભદ્રવીરના સ્થાનકમાં જાઉં. નવેક વર્ષની મારી ઉંમર હતી. હું નાનો હતો એટલે બારણાની સાંકળ સુધી મારો હાથ પહોંચતો નહિ. હું બારણામાં અધવચ્ચે લટકતાં બે કડાં પકડીને બારણા ઉપર ચડતો અને એક હાથે સાંકળ ખોલતો. એમાં મને ઠીક ઠીક મહેનત પડતી. પડી ન જવાય એ માટે સાચવવું પડતું. બાજુના મકાનમાં એક વડીલ રહે. તેઓને પણ શ્રી માણિભદ્રવીરમાં બહુ શ્રદ્ધા હતી. બહાર ઓટલા પર તેઓ ક્યારેક બેઠા હોય. એક વખત સાંકળ ખોલતાં મને પડેલી મહેનત જોઈ તેઓ કહે, ' અલ્યા, ઊભો રહે. તું નાનો છે. તને નહિ ફાવે. હું ખોલી આપું છું.' એમણે સાંકળ ખોલી આપી. પછી એમણે જ્યારે જાણ્યું કે હું તો રોજ નિયમિત દીવો કરવા આવું છું એટલે એ સમયે તેઓ ઓટલા પર બેઠા જ હોય. મને નવઘરીમાં દાખલ થતાં જુએ કે તરત સાંકળ ખોલી આપે. ભણવાનું વર્ષ પૂરું થયું અને પરીક્ષા પણ આવી પહોંચી. ત્રીજા ધોરણ સુધી વર્ગના શિક્ષકો જ પરીક્ષા લેતા. ચોથા ધોરણમાં વર્ગશિક્ષક ઉપરાંત હાઈસ્કૂલમાંથી શિક્ષકો પરીક્ષા લેવા આવતા. ચોથા ધોરણ પછી હાઈસ્કૂલમાં ભણવા જવાનું રહેતું. પ્રાથમિક શિક્ષણ મફત હતું એટલે અમારા કુટુંબ માટે આશીર્વાદરૂપ હતું. મારા દાદાને રૂના વેપારમાં મોટી નુકસાની આવી પડતાં અમારું કુટુંબ હાથે પગે થઈ ગયું હતું. કુટુંબના ગુજરાતની જ તકલીફ પડવા લાગી હતી ત્યાં સંતાનોને ભણાવવા માટે પૈસા કયાંથી લાવવા? પિતાશ્રી કંઈક નોકરીધંધો મેળવવા માટે અવારનવાર બહારગામ જઈ પ્રયત્ન કરતા પણ કંઈ મેળ પડતો નહિ. ચોથા ધોરણનો મારો અભ્યાસ પૂરો થયો. પરીક્ષા પણ લેવાઈ ગઈ. કેટલીક પરીક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy