SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ 562 તપાગચ્છાધિષ્ઠાયક દ. વેદિકા તૈયાર થઈ ગયા બાદ, કોઈપણ વ્યક્તિ દ્વારા કે અન્ય કારણથી તૂટે નહિ તે માટે તેને વ્યવસ્થિત રીતે યોગ્ય વસ્તુઓ દ્વારા ઢંકાવી દેવી અને તેની આસપાસ આડશો મૂકી દેવી. (૨) આહુતિ માટેની સમિધા (કાષ્ઠ) ૧. આહુતિ માટેનાં કાષ્ઠ પાંચ જાતનાં દૂધાળાં (જેને છેદવાથી દૂધ નીકળે તેવાં) વૃક્ષો મંગાવવાં જેવા કે આંબો, ખીજડો, પીપળ, ચંદન, વડ, ઉંબરો આદિ. ૨. આ કા જ્યારે ઉપયોગમાં લેવાનાં હોય તે વખતે સૂકાં અને જીવજંતુથી રહિત હોય તે ખાસ જોવું જરૂરી છે. ૩. કાષ્ઠનાં નાના નાના ટુકડાઓ કરાવી લેવા, અને એક મોટા થાળ અથવા પરાતમાં મૂકવા. ૪. આહુતિની ક્રિયા શરૂ કરતાં પહેલાં આ કાષ્ઠોને પ્રવાહી ઘી વડે ભીંજવી દઈને તૈયાર રાખવાં. (૩) આહુતિ માટે ગાયના (અથવા ભેંસના) છાણના સૂકાં છાણાંનો ભૂકો એક મોટા થાળ કે પરાતમાં રાખવો. ક્રિયા શરૂ કરતાં પહેલાં પ્રવાહી ઘીથી તે ભૂકાને ભીંજવીને તૈયાર રાખવો. (૪) આહુતિ માટેની ગોળીઓ : દ્રવ્યો : કેસર, કસ્તુરી, અંબર, તગર, અગર, બરાસ, સુકાયેલાં ગુલાબનાં ફૂલો, બદામ, પિસ્તા, ચારોલી, અખરોટ, કાજુ, ખારેક, સૂકું કોપરું, કિસમિસ. ઉપરોક્ત દ્રવ્યોને ભેગાં (મિક્સ) કરીને, બરાબર ખંડાવીને, ચૂર્ણ બનાવવું અને તે ચૂર્ણમાં ઘી ઉમેરીને ચણાબોરની સાઈઝની કુલ ૧૦૮ ગોળીઓ વાળીને બનાવવી. (૫) કાળાં કપડાં ટાળવાં. શક્ય તેટલી અવિધિ અને આશાતનાઓ ટાળવી. (૬) આહુતિવિધાન વખતે વિધિકારક કે ગુરુ ભગવંત અને વેદિકા વચ્ચે, તેમ જ વેદિકા અને પ્રતિમા કે યંત્રની વચ્ચેની જગ્યામાં કોઈને બેસાડવા નહિ, તે જગ્યા ખાલી રાખવી. તેમ જ અંતરાય ન પડે તે પણ જોવું. (૭) આહુતિની ક્રિયા માટે વેદિકા આસપાસ સજોડાઓ (પતિ-પત્ની)ને બને તો બેસાડવાં. તેના અભાવમાં જે કોઈ શુદ્ધ વસ્ત્રોમાં ઉપસ્થિત હોય તેઓને બેસાડવા. (૮) પૂજાદ્રવ્યો મૂકવા કે રાખવા માટે સ્ટીલ કે લોખંડના પાત્રનો ઉપયોગ ન કરવો. (૯) (અ) ઈટ-માટીનો વેદિકાકુંડ (આકૃતિ મુજબનો) બનાવવો શ્રેષ્ઠ છે અને કુંડ જમીન પર ખુલ્લા આકાશ નીચે હોય તો તે સ્થિતિ સારી છે. (બ) જ્યાં બંધ મકાન હોય, ધુમાડાની નીકળવાની જગ્યા ન હોય, ખુલ્લું આકાશ ન હોય ત્યાં ઉપરોક્ત કુંડને બદલે ત્રાંબાની નાની ચતુષ્કોણ કુંડીમાં પણ આહુતિવિધાન કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy