SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ નોખાં નથી. કર્મ ભાવથી પ્રભાવિત છે. પછી ભલે તે કર્મ થોડા સમય પછી અમલમાં આવે તો પણ ભાવનું બીજ નંખાતા કર્મનું વૃક્ષ ચોક્કસ ઊગી નીકળે છે. માનવ પર્યાયમાંથી ચૈતન્યને સાંપડેલા દેવપર્યાયમાં, શુભ ભાવોની પરિણિત જ પરિણામ પામેલી છે. એવા માણિભદ્રદેવ ઇન્દ્ર બન્યા છે. તીર્થંકર પરમાત્માની ભક્તિ કરતાં તે મહાનપુણ્ય ઉપાર્જન કરે છે. કપરા અને કારમા આ કળિકાળમાં એમની સાધના ખૂબ જ ઉત્તમ અને લાભદાયી નીવડે છે. એમની સેવા–ભક્તિ કરનારનાં ધારેલાં સહુ કામ સિદ્ધ થાય છે. વિઘ્નો વિનાશ પામે છે. રોગ– શોક—દુઃખ-દારિદ્ર રહેતાં નથી. ઇચ્છાઓ પૂરી થાય છે. ઉત્કૃષ્ટ શ્રદ્ધાપૂર્વક જાપ કરતાં તેમનો સાક્ષાત્કાર થાય છે. સારાય જગતને સુખ દેવા સદા જાગતા આ સાચા દેવની સેવાથી સર્વ સિદ્ધિ મળે છે. સર્વ ભય ટળે છે, તેઓ સદા સન્મતિ આપે છે. આ સન્મતિ એ જ આત્મોપલબ્ધિનું અમોઘ સાધન છે. આત્મોપલબ્ધિ માટે, તનને તીરથ કરવા, મનને મંદિર કરવા અને આત્માને દેવવીતરાગ કરવા, જોઈતી આવશ્યક અને અનિવાર્ય એવી સન્મતિ માણિભદ્રદાદા પાસે માંગો....અને દાદાના પ્રભાવથી દરેકને સન્મતિ મળો... બસ એ જ એક મંગલમય મનીષા. Jain Education International 353 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy