SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ 522 તપાગચ્છાધિષ્ઠાયક માતાપિતાનું હૃદય બાળકના પ્રત્યે ખૂબ જ મમતાવાળું હોય તે તો નિઃશંક છે, તેમને પુત્રની દીક્ષા લેવાની ભાવના તો ગમી પણ તેની પાછળ રહેલ ભયંકર યાતના અને ઉપસર્ગોનાં શિખરોની પ્રચંડતાનો વિચાર કરતાં. કમકમી ઊપજી. હેજે દુઃખી થઈ પુત્રને કહ્યું : 'પુત્ર! જે વસ્તુને તું માને છે તે વસ્તુ સર્વોત્તમ છે તે નિઃશંક છે; પણ મહાવિકટ છે. આદરવું સહેલ છે પણ ચારિત્ર પાળવું ઘણું કઠણ છે. તારો વિચાર ઉત્તમ છે છતાં તારી કોમળતા, અજ્ઞાનતા, અમને તારા આટલા પરાક્રમ માટે ખાતરી નથી પૂરી શકતું. છતાં બંને દંપતી પ્રિય પુત્રના મુખમાંથી નીકળતા શબ્દો સાંભળી આશ્ચર્ય પામ્યાં ને કહેવા લાગ્યાં કે મારા વ્હાલા પુત્ર! આ શું? તું મારા વાત્સલ્યપણાને ઘડીભરમાં છોડીને ચાલતો થઈશ? શું તું આટલા માટે જ સર્જાયેલો હતો? હે દૈવ! એના કરતાં મને પુત્ર ન આપ્યો હોત તો સારું. શું મારી આશાની ઇમારતો ધૂળ ભેગી થઈ જશે? આ રીતે આજે બન્ને દંપતીઓના મુખમંડળ પર ચિંતારૂપી રાહુ ઘેરાયેલો હતો. તેઓના અંતરમાં અવનવા વિચારો ઉભવતા અને પલભરમાં પાણીના પરપોટાની જેમ સમાઈ જતા હતા. શોકાતુર થયેલા માતાપિતાને ફરીથી નમસ્કાર કરીને વાઘજીકુંવર બોલ્યા કે હે માતુશ્રી તથા પિતાશ્રી ! આપ વિનાવિલંબે સહર્ષ આજ્ઞા આપો; કારણ કે મારો એક દિવસ તે એક વર્ષ જેવો જાય છે અને જ્ઞાની મહારાજોનું પણ એ જ કથન છે કે કાલ કરવું હોય તે હમણાં જ કરવું. ક્ષણભંગુર જીવનનો શો ભરોસો? માટે મને દીક્ષા લેવાની આજ્ઞા આપો. આવા શબ્દ જે પાંચ વર્ષના બાળપુત્રના મુખમાંથી નીકળે તે શું સૂચવે છે? પૂર્વભવમાં તેણે જ્ઞાન અને ચારિત્રધર્મની અનહદ ઉપાસના કરી હશે ને તે ઉપાસનામાં કાંઈ ન્યૂનતા રહી હશે તે આ ભવમાં પૂરી કરવા માટે જાણે આ જન્મ ધારણ કર્યો હોય તેમ પુત્રના આવા શબ્દોમાં ભારે ગંભીરતા હતી. હૃદયભેદક વચનોથી માતાપિતાનાં હૃદય ભરાઈ ગયાં અને નયનોમાંથી ચોધાર અશ્રુઓ વહેવા લાગ્યાં. આજે એમનો આનંદ ઉદાસીનતામાં ફેરવાઈ ગયો. વાત્સલ્યઘેલાં માતાપિતા પુત્રને એકદમ આજ્ઞા ન જ આપી શકે – છતાં પણ તેઓના અંતરમાં ચારિત્ર પ્રત્યેની સદ્ભાવના હતી કે તેઓ એની ઉપાદેયતા પણ સારી રીતે સમજતાં હતાં. આથી હર્ષના ઉમળકાથી પુત્રને ખોળામાં બેસાડીને કહ્યું કે–' હે પ્રિય પુત્ર ! સુખેથી ત્યાગના પુનિત પંથે સંચર અને સ્વ–પરનું કલ્યાણ કરી જગતનો મહાન્ વિજેતા થા. અમારા અંતરના આશિષ છે. પણ મોહ અમને તારી પ્રત્યે ખૂબ ખેંચે છે. આખરે આ રીતે પૂજ્ય માતાપિતાએ ભવ્ય મહોત્સવ પૂર્વક વાઘજીકુંવરને આચાર્યદેવ શ્રીમદ્ હેમવિમલસૂરીશ્વરજી મહારાજની પાસે વિક્રમ સંવત્ ૧૫પરમાં દીક્ષા અપાવીને સૂરિજીના શિષ્ય બનાવ્યા અને આચાર્યશ્રીએ તેનું અમૃતમેરુમુનિ નામ રાખ્યું. હવે ભૂતકાળના વાઘજીકુંવર આજે અમૃતમેરુ મુનિ તરીકે ઓળખાવા લાગ્યા. ભગવાન મહાવીરનો પ્રતિપાદિત ધર્મ, સર્વધર્મ અને દેશધર્મ એ બે પ્રકારે છે, તેમાં સર્વધર્મ મુખ્ય માર્ગ અને દેશધર્મ એ મુખ્યની અશક્તિએ આદરવા યોગ્ય છે. સર્વધર્મના આરાધકોમાં મુનિવર્ગ ઉપાધ્યાય અને આચાર્ય મહારાજ છે, સ્વ અને પર ભાવના ત્યાગ સ્વરૂપ મુનિ અવસ્થામાં જીવનદઢ બન્યા પછી, ભગવાન–પ્રરૂપિત જ્ઞાન દઢ બને છે, અને એ જ્ઞાનસ્વજીવનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy