SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 52 ] હતા, આજે ઈડરનગરના દરવાજેથી માનવીઓનાં ટોળેટોળાં પસાર થઈ રહ્યાં હતાં, આખું નગર ધ્વજાપતાકાથી શણગારવામાં આવ્યું હતું. આવા ભિન્ન ભિન્ન પ્રકારના ગગનભેદી વાતાવરણથી કોલાહલ થઈ રહ્યો હતો ને સૌ નાગરિકો પરમ તારક ગુરુદેવના દર્શને હર્ષભેર જઈ રહ્યા હતા. ગુરુદેવ બીજા કોઈ નહિ પણ આપણા ચરિત્રનાયક વાઘજી કુંવરના ગુરુદેવ હતા. રાજશાહી ભવ્ય સ્વાગત સાથે ગચ્છાધિપતિ શ્રીમદ્ હેમવિમલસૂરીશ્વરજી મહારાજે નગરપ્રવેશ કરી ઉપાશ્રય પધારતાં દેશનાનો પ્રારંભ કરતાં કહ્યું કે, ' માનવી માત્રની પ્રવૃત્તિ સુખની ઇચ્છા ને દુઃખના ત્યાગ રૂપે હોય છે. પણ સુખ અને દુઃખ તેની વ્યાખ્યા હંમેશાં જુદા જુદા માણસો પોતાને આશ્રયી ગણે છે. નિર્ધનને ધન, અપુત્રીયાને પુત્ર, રોગીને નીરોગી અવસ્થા, નિબુદ્ધિને બુદ્ધિ, પરાધીનને સ્વતંત્રતા – આ સૌ સુખ તરીકે મનાય છે. પણ એક માણસ જેને સુખ માને છે, તેને બીજો દુઃખ માને છે, જેને એક દુઃખરૂપ માને તેને બીજો સુખરૂપ માને છે, અપુત્રીયાને પુત્ર એ મહા સુખ મનાય છે; પણ તે જ પુત્ર બહુપુત્રીયાને જેને કમાવાની તાકાત નથી તેને કષ્ટ સ્વરૂપ હોય છે. આથી સુખ અને દુઃખનાં કેન્દ્ર સૌ સૌને આશ્રયી જુદાં હોય છે, પણ સુખનું ટૂંક સ્વરૂપ સ્વાધીન તે સુખ અને પરાધીન તે દુઃખ છે. આ સ્વાધીનતામાં પણ સૌથી પ્રગતિશીલ અવસ્થા તે જ ખરું સુખ. જમા મૂકેલ માણસ ગમે ત્યારે પૈસા લેવા જાય તો તેને તે મળી શકે છે, અને તે પૈસાથી અનાજ વગેરે ખરીદી રસોઈ કરી પોતાની ક્ષુધા વગેરે શાંત કરી શકે છે. આ રીતે તે સ્વતંત્ર હોવા છતાં રસોઈ વગેરેની પરાધીનતા, રાત્રે જરૂર પડે તો પરાધીનતા, શરાફ ભાગે તો પરાધીનતા. આ રીતે જેને માણસ સ્વાધીનતા માનતો હોય તે પણ પરાધીન છે. માણસ માતા, પિતા. સ્ત્રી-પુત્ર વગેરે કુટુંબીજનોને તે પોતાના માને છે; પણ દુઃખ આવે કે માંદગી આવે તો તેને તે પણ પર સ્વરૂપ બને છે. વધુ શું, જે શરીરને સાફસૂફ કરી તૈયાર રાખવામાં આવે તે શરીર પણ આત્માની અપેક્ષાએ પરસ્વરૂપ બને છે. આથી સુખ સ્વાત્મરમાણમાં હોય છે, અને આ સુખ માણસ ત્યારે જ મેળવી શકે છે કે જ્યારે પરસ્વરૂપ ધન, કુટુંબ, સ્નેહી, માબાપ અને શરીર સર્વના ત્યાગપ્રધાન જીવન જીવવાની તમન્ના હોય અને આ રીતે સુખદુઃખની વ્યાખ્યા સમજવામાં આવે તો માણસોની દુનિયાના સુખની પ્રવૃત્તિ પાછળ થતી ઘેલછા આપોઆપ અટકી જાય. આ ઘેલછાનો ત્યાગ થતાં માણસ પરિપક્વ વિચાર કરી આત્મરમણતામાં તૈયાર થાય. તેને માટે આદર્શ પુરુષનો આશ્રય લઈ જીવન સમર્પે તે દીક્ષા, અને જેને પામ્યા પછી આત્મરમણ સિવાય પછી કોઈ ઘટના પ્રત્યે તેનું સહજ પણ લક્ષ ન હોય, અને તે પ્રાસંગિક પણ જે જે પ્રવૃત્તિ કરે તે પણ પરંપરાએ આત્મરમણતાની અભિમુખ હોવી જોઈએ. આ પ્રમાણે ગુરુવચન સાંભળી વાઘજીકુંવરને સંસાર અસાર લાગ્યો. જેને દુનિયા સુખ માને છે તે ખરેખર પરિણામે ભયંકર દુઃખ સ્વરૂપ છે તે સમજાવા લાગ્યું અને સંસારના સુખની પ્રવૃત્તિ તૃષા સમાવવા માટે મૃગયાજળ પ્રત્યે દોડધામ સમાન લાગી, અને પોતાની જીવનનૌકા ખરાબ ચઢયા પછી વાળવી તેના કરતાં પ્રથમ જ શુભ માર્ગે વળે તો કેવું સારું, તે વિચારી પરમોપકારી માતપિતાને પરમ પાવન દીક્ષાને અંગીકાર કરવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. હંમેશાં પુત્રવત્સલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy