SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 705 જોયાં છે ખરા ?" " એટલે? " માણેકશાહ શેઠની અધીરતા પળે પળે વધવા લાગી." એટલે એ જ કે બા એક ગરીબમાં ગરીબ માણસની માફક આજ કેટલાએ દિવસ થયાં બાજરાનો રોટલો અને મીઠાની કાંકરી પર પોતાના દેહને ટકાવી રહ્યાં છે." માણેકશાહ શેઠને જાણે પગ નીચેથી ધરતી સરી જતી હોય તેવું લાગ્યું. માતાએ આ ઐચ્છિક ગરીબી વહોરી લેવાનું કારણ એ બરાબર સમજી શક્યા નહિ. " બા ઘી-દૂધ નથી ખાતાં, એ વાત તમે પણ આજ દિવસ લગી મારાથી શા માટે છુપાવી રાખી?" " બાની અનુજ્ઞા વિના એમની કોઈ પણ વાત આપની પાસે ખુલ્લી કરવાનો મને શો અધિકાર હોઈ શકે?" " આ તો ગજબ કહેવાય! " માણેકશાહ શેઠ પોકારી ઊઠ્યા. "ગજબ જ વળી. જુઓ, હમણાં માત્ર તમારા ભોજનમાં અને સાધુ-સાધ્વીજી મહારાજને વહોરાવવા પૂરતું જ ઘી અને ઘીની વાનીઓ આપણા ઘરમાં વપરાય છે. " ચાલાક વહુએ એવો જ બીજો ધડાકો કર્યો. "શું ત્યારે તે પણ ઘી-દૂધનો ત્યાગ કર્યો?" લક્ષ્મીવહુના છેલ્લા વાકયથી કસ્તુરબા પણ એકાએક ચમકી ગયાં."વહુ! ત્યારે તો તે પણ હદ કરી. શું મારી સાથે તે પણ ઘી-દૂધ તજી દીધું? " " પણ આ બધી શી ખટપટ ચાલી રહી છે, અને અંતે તમે શું કરવા બેઠાં છો તે હું તો કશું સમજી શકતો નથી." માણેકશાહે વ્યગ્ર હૃદયે જણાવ્યું. " જે વસ્તુના ખાસ કારણભૂત ખુદ તમે જ છો, તે તમે પોતે જ જો ન સમજી શકો, તો બીજું કોણ સમજી શકે ?" લક્ષ્મીદેવીએ મૂળ વાત પર આવતાં જણાવ્યું. "શું હું જ કારણભૂત? લક્ષ્મી ! આ તું શું બોલે છે? " " તમે નહિ તો બીજું કોણ? જે દિવસથી તમે દેવ-દેરાસરનાં દર્શન-પૂજનથી દૂર થયા છો, તે જ દિવસથી તમારો ધમતરભાવ જોઈને માતાજીએ ઘી-દૂધનો સદંતર ત્યાગ કર્યો છે." " મારો ધમાંતરભાવ થયો જ નથી. જિન ભગવાનથી હું લેશ પણ વિમુખ નથી. માત્ર પ્રતિમાપૂજન અને આંગી–ઉત્સવમાં મને હવે આત્મકલ્યાણ નથી દેખાતું. " માણેકશાહે પોતાની વર્તણૂક સ્પષ્ટ કરતાં કહ્યું. " એ તો જેવી ભાવના તેવી સિદ્ધિ." માણેકશાહનાં માતુશ્રી બોલી ઊઠ્યાં. " દેવ-દેરાસર અને પૂજન-અર્ચનની અવગણના કરીને પછી આત્મકલ્યાણ શોધવા ક્યાં જવું? " " પૂજય માતુશ્રી ! આપની વાત ઠીક છે, પરંતુ હકીકત એ છે, કે મતમતાંતરના વાદવિવાદથી મારું મન સત્ય વસ્તુની પ્રાપ્તિ નથી અનુભવતું. " માણેકશાહે પોતાના મનનો ભાર ખાલી કરતાં જણાવ્યું. C૯. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy