SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ 706 તપાગચ્છાધિષ્ઠાયક " ભાઈ, માનવપ્રાણીને જ્યાં સુધી બે આંખો છે, ત્યાં સુધી તે પ્રતિમાપૂજનથી કદી પણ અલગ થઈ શકવાનો નથી. વાડા જુદા છે, રસ્તા એક છે. પરંતુ જિનભગવાન એક અને અખંડ છે. શ્રી જિનેશ્વર પ્રભુની સાધના-આરાધના એ જ એક સત્ય માર્ગ છે." માતાએ માર્ગભૂલેલા પુત્રને ધર્મનું સાચું અને શુદ્ધ સ્વરૂપ સમજાવતાં કહ્યું. " માતુશ્રી ! આપની આજ્ઞા મને સદા-સર્વદા શિરોમાન્ય છે. " માણેકશાહે સંક્ષેપમાં જ પતાવ્યું. પુત્રના પ્રેમભર્યા શબ્દોથી માતાના આનંદનો પાર રહ્યો નહિ. તેના શુષ્ક શરીરમાં નવજીવનનો સંચાર થયો. " તો આજે જ આપણા પૂજ્ય આચાર્ય શ્રી હેમવિમલસૂરિની આપણે ત્યાં પધરામણી કરાવીએ, એટલે માતાજીના મનનું સંપૂર્ણ સમાધાન થઈ જશે એવી મને પૂરી ખાતરી છે. " લક્ષ્મીદેવીએ તક જોઈને નવી દરખાસ્ત રજૂ કરી. " બસ, એ જ ને! એમાં તે શી મોટી વાત છે? હું આજે જ એ માટે યોગ્ય તજવીજ કરું અટલું કહેતાં જ માણેકશાહ શેઠ માતુશ્રી કસ્તુરબાનાં ચરણોમાં ફરી એકવાર વંદન કરીને વિદાય થયા. કસોટી જૈનધર્મ એ જગતના મહાન ધર્મોમાંનો એક મનાય છે. દેશવિદેશના અનેક ધર્મજિજ્ઞાસુઓએ જૈનધર્મના સર્વોત્કૃષ્ટ સિદ્ધાંતો અને અનેરા આદર્શો આગળ પોતાનું મસ્તક ઝુકાવ્યું છે. જૈનધર્મની શ્રેષ્ઠતા અને મહત્તાનું મુખ્ય કારણ એ છે કે, તેનું મંડાણ ત્યાગ અને વૈરાગ્યના મજબૂત પાયા પર થયેલું છે. જૈન ધર્મગુરુ એટલે ત્યાગ અને વૈરાગ્યની તાદશ મૂર્તિ. તપ અને ત્યાગ એ તો એમની રગેરગમાં વણાઈ ગયેલા હોય છે. ધર્મગુરુ એ હરકોઈ ધર્મનું એક અમોલું ધન છે. જૈનધર્મની વ્યાપકતા પણ મુખ્યત્વે એ ધર્મગુરુઓની તપત્યાગની શક્તિને આભારી છે. આચાર્યશ્રી હેમવિમલસૂરિજી પણ એવા જ એક મહાન શક્તિશાળી ધર્મગુરુ હતા. એઓશ્રી તપગચ્છમાં એક સમર્થ વિદ્વાન હતા. જેવા વિદ્વાન હતા તેવા જ ત્યાગી અને તપસ્વી હતા. તપ અને ત્યાગથી તાવી તાવીને તેમણે તન મન પર વિજય પ્રાપ્ત કર્યો હતો. એમનો શિષ્યસમુદાય બહોળો હતો અને અનુયાયીઓનું પ્રમાણ તો અતિશય વિશાળ હતું. એમના વ્યક્તિત્વની તેજસ્વિતા, વાણીની મૃદુતા અને ધર્મપ્રિયતાને લીધે તેઓ જ્યાં જ્યાં પગ મૂકતા, ત્યાં ત્યાં રાજામહારાજાને પણ દુર્લભ એવા અનેરા આદરસત્કારને પ્રાપ્ત કરતા. જૈન અને જૈનેતર સમાજમાં પણ એમનું સ્થાન અત્યંત ઉચ્ચ અને અદ્વિતીય હતું. આચાર્યશ્રી હેમવિમલસૂરિ ભાવિક જીવોને પ્રતિબોધ આપતા, અને જ્ઞાનપ્રકાશ વડે અજ્ઞાનતિમિરને દૂર હટાવતા. આજે એઓશ્રી ઉજ્જયિની નગરીમાં આવીને સમોસર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy