SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ 764 તપાગચ્છાધિષ્ઠાયક એનાથી ઉપર એટલે કે મનુષ્યલોકની ઉપર જ્યોતિષ્કદેવ આવે છે. અને એનાથી પણ ઉપર વૈમાનિક દેવ આવે છે. જગતમાં જેટલા પણ યક્ષ, યક્ષિણી, અધિષ્ઠાયક, અધિષ્ઠાત્રી કે વીરનાં નામો સંભળાય છે; આ બધા જ બીજા પ્રકારના વ્યત્તરનિકાયના દેવ રૂપે છે. વ્યન્તરનિકાયના દેવ આઠ પ્રકારના છે. (૧) કિન્નર (૨) કિંપુરુષ (૩) મહોરગ (૪) ગાંધર્વ (૫) યક્ષ (૬) રાક્ષસ (૭) ભૂત (૮) પિશાચ આમાં પાચમા વ્યત્તર તરીકે યક્ષ' છે. એના તેર પ્રકાર પૈકી બીજા પ્રકારના યક્ષનું નામ છે 'માણિભદ્ર.' "માણિભદ્ર' એ વ્યક્તિગત નહિ પરંતુ હોદ્દાનું નામ છે – પોસ્ટનું નામ છે ! એટલે 'માણિભદ્ર' નામની પોસ્ટ શાશ્વતી છે, સર્વકાલીન છે. એના હોદેદાર બદલાયા કરે, હોદો સદા માટે એકસમાન છે. 'માણિભદ્ર' નામના હોદ્દા ઉપર અત્યારે માણેકચંદ શેઠનો આત્મા હોદ્દેદાર તરીકે છે. ' સિદ્ધચક્ર પૂજન'માં માણિભદ્રનું પૂજન એ પોસ્ટનું – હોદ્દાનું પૂજન છે. આ માણિભદ્ર યક્ષ ખૂબ જ પ્રભાવવંત અને મહિમાવંત છે. એની આન્સર અને બાહ્ય સમૃદ્ધિ-વૈભવ છલોછલ ભરેલાં છે. આ માણિભદ્રજી પોતે શ્રી શત્રુંજય ગિરિરાજના અને આદિનાથ પરમાત્માના પરમ ભક્ત છે. એમનામાં સમ્યગ્દર્શન સૂર્ય જેવું ઝળહળતું છે. સ્વભાવથી ભદ્રિક પરિણામી છે. તપાગચ્છના સંરક્ષક અને અનુયાયી છે. અને મોટો એ ગુણ છે કે તેઓ એકાવતારી છે. આ એમની આંતરિક સમૃદ્ધિ જોઈ. બાહ્યા સમૃદ્ધિ પણ એમની આંખે ચઢે એવી છે. એમના હાથ નીચે બાવન વીર અને ચોસઠ જોગણીઓ તહેનાતમાં રહે છે અને એમની સાથે વીશ હજાર સામાનિક દેવતાઓ રહેતા હોય છે. પંદરમી શતાબ્દીમાં થયેલા આચાર્યપુરંદર શ્રી લક્ષ્મીસાગરસૂરિજીની પરંપરામાં આવેલા મુનિ શ્રી ચતુરસાગરજીએ શ્રી માણિભદ્રજીનું સ્તોત્ર બનાવ્યું છે. એમાં સુસ્પષ્ટ જણાવ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy