SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 767 જ્ઞાનપંચમી – નવપદજીની ઓળી- કલ્યાણકની આરાધના તો એમનો જીવનપ્રાણ બની ગઈ. મોટી ઉંમર હોવા છતાં ગ્લાનની વેયાવચ્ચ-અંતિમ સમાધિ આપવી, વગેરેમાં પણ તૈયાર જ હોય. ભગવાનની ભક્તિ - જીવદયા – જયણા– આ બધાંમાં પણ તેઓ અપ્રમત્તભાવે લયલીન બની જતા. દીક્ષા પહેલાં પણ વરસો સુધી ચોસઠ પહોરી પૌષધ સાથે અઠ્ઠાઈ કરી હતી. આ સાથે જ્ઞાનની આરાધના પણ ચાલુ જ હતી. આ બધામાં શરીરની પરવા પણ ન કરી. પરિણામે સં. ૨૦૦૧માં જામનગરમાં આખા શરીરે જીવલેણ વ્યાધિ થયો. તે સમાધિથી ભોગવીને કર્મનિર્જરા કરી. યોગ્ય સારવારથી રોગમુક્ત બન્યા પરંતુ અવસ્થાએ પોતાનો પરચો બતાવા માંડ્યો. તેઓનું સૌભાગ્ય પણ એવું કે તેઓના પગલે મોટા પુત્ર રમેશચંદ્ર સં ૨૦૧૪માં પૂ. ગણિવર શ્રી મૃગાંકવિજયજી મ.સા.ના શિષ્યરૂપે દીક્ષા લઈને મુનિ રત્નભૂષણ વિજયજી મ.સા. બન્યા અને નાના પુત્રછબિલદાસપૂ.મુ રત્નભૂષણવિજયજી મ.ના શિષ્ય મુનિકુલભૂષણવિજયજી મ.સા.બન્યા. જીવનભર પોતે ભાવેલી ભાવનાઓની સફળતા નજરે જોઈને તેઓના સહારે સંયમની સાધનામાં આગળ વધતા ગયા. વૃદ્ધાવસ્થામાં પ્રાયઃ સ્થિરવાસ કરવો પડે એવી ૮૩ વર્ષની પાકટ વયે પૂજ્ય દાદાગુરુની આજ્ઞા અને આશીર્વાદથી પૂર્વ ભારતનો ઉગ્ર વિહાર કર્યો. ત્યાંના પાંચ વર્ષના વિચરણ દરમ્યાન છરી પાલિત સંઘ, કલ્યાણક ભૂમિઓની સ્પર્શના, શિખરજીનું યાદગાર ચોમાસું, અંજનશલાકાના બે મહોત્સવો, ૧૫ પ્રતિષ્ઠાઓ, કલકત્તાના ભવ્ય ચાતુર્માસો, આદિ શાસન-પ્રભાવનાનાં અનેક– વિધ કાર્યો થયાં. તે સૌમાં તેઓએ અપ્રમત્તપણે હાજરી અને નિશ્રા આપી. સં. ૨૦૪૯માં કલકત્તાથી ર00 કિ.મી.નો ઉગ્ર વિહાર કરીને મુંબઈ પધાર્યા અને ચોપાટી - શ્રી કલ્યાણ પાર્શ્વનાથમાં ચોમાસું કર્યું. ચોમાસા બાદ સં. ૨૦૫૦માં પૂ. ગચ્છાગ્રણી માલવદેશ સદ્ધર્મસંરક્ષક આ. શ્રી. વિજયસુદર્શસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી પૂ. પંન્યાસજી મ. શ્રી રત્નભૂષણવિજયજી ગણિવરને આચાર્યપદ પ્રદાન કર્યું. તે વખતે બોરીવલી-કાર્ટર રોડમાં ભવ્ય શાસન-પ્રભાવના થઈ, માનવમેદની પણ હજારોની હતી. એ ચોમાસું ત્યાં જ કર્યું તે પછી વડાલામાં ભવ્ય અંજનશલાકા મહોત્સવમાં પણ ચાર-ચાર કલાક બેસતા. શેષ કાળમાં પરાંઓમાં વિચરીનેવાલકેશ્વર -શ્રી સુપાર્શ્વ જૈન સંઘમાં ચોમાસાનો પ્રવેશ કર્યો. પ્રવેશ–દિને અને સૌમાસી દિને તેઓએ ઉપવાસ કર્યો.૯૨ વર્ષની આ વૃદ્ધાવસ્થામાં પણ પ્રતિક્રમણ– જિનદર્શનવ્યાખ્યાનશ્રવણ આદિ આરાધનાઓ છેલ્લે સુધી બરોબર અપ્રમત્તપણે ચાલુ હતી. તેઓની સમગ્ર સાધનાઓમાં મુ. શ્રી કુલભૂષણવિજયજી મ.સા.ની અખંડ વૈયાવચ્ચ એ અજોડ સહાયક પરિબળ હતું. માનવ જીવનમાં જન્મ અને મરણ– એ બે આપણા હાથની વાત નથી. તેમ છતાં પણ તેઓનું સૌભાગ્ય એવું કે – જન્મ જ્ઞાનપંચમીએ અને મૃત્યુ પર્યુષણના પ્રથમ દિને. બંને ઉત્તમ દિવસો. સમય પણ વિજય મુહૂર્ત પરમ સમાધિપૂર્વક કોઈપણ જાતની પીડા વિના આયુષ્ય પૂરું કરીને પરલોકપંથે પ્રયાણ કર્યું. જીવનભરની ઉચ્ચ કોટિની આરાધનાના પ્રભાવે પંડિતમરણ પામ્યા. એવી જ રીતે એમની પાછળ પણ જિનભક્તિના મહોત્સવો- જીવદયા- અનુકંપા આદિનાં કાર્યો પણ અનુપમ થયાં. - સદ્ગતિને પામેલો તેઓનો આત્મા ક્રમશઃ આગળ વધીને વહેલું વહેલુંશિવપદ પામે, એવી શુભ ભાવના વ્યક્ત કરીએ છીએ. શ્રી જયનગર ગ્વ.મ. જૈન સંઘ-વાપી. તથા અ. સૌ.શ્રીમતી દમયંતીબેન પ્રવિણભાઈ મહેતા કિલકત્તાના સૌજન્યથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy