SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ 766 તપાગચ્છાધિષ્ઠાયક 'એક ત્યાગી—વૈરાગી અને વૈયાવચ્ચ-પરાયણ ' મુનિવરશ્રીને શ્રદ્ધાંજલિ સૌભાગ્યવંતો સોરઠ દેશ. તેમાં મોટીમારડ (ધોરાજી) ગામ. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી શિખરબંધી દહેરાસરમાંબિરાજે. તેમાં વીશા શ્રીમાળી જ્ઞાતિમાં દોશી સોમચંદ જગજીવનદાસ તથા શ્રીમતી કપૂરબેનનો વસવાટ, બંને સિધા-સાદા અને ધર્મી જીવ. તેમના ત્રીજા પુત્ર રૂપે વિ. સં. ૧૯૬૧ના કા.સુ. ૫-જ્ઞાનપંચમીનાંશુભદિને જન્મેલા જીવનલાલભાઈ એ જ આપણા પૂ. મુનિરાજ શ્રી જયભૂષણવિજયજી મ.સા. તેઓને નાનપણથી જ માતા-પિતા તરફથી ધાર્મિક સંસ્કારોનો વારસો મળેલ. અભ્યાસ તો ગુજરાતી બે ધોરણનો જ, પણ કોઠાસૂઝ એવી કે વેપારધંધાના હિસાબકિતાબ અને સરકારી કામકાજમાં પણ પાછા ન પડે. ધાર્મિક અભ્યાસ પાંચ પ્રતિક્રમણનો પુરો. એટલે વતનમાં હોય ત્યારે પોતે ઉપવાસ કે છઠ્ઠ કરેલો હોય તો પણ આખા સંઘને પખી પ્રતિક્રમણ આદિની આરાધના કરાવે. સંઘનાં નાનાંમોટાં સી એમનું માન સાચવે. - વડીલબંધુના પગલે ચૌદ વર્ષની વયે વ્યવસાય અર્થે તેઓ કલકત્તા ગયા. ત્યાં ધંધો સારો વિકસાવ્યો, તેની સાથે સાથે ધર્મમાં પણ ખૂબ જ આગળ વધ્યા. પિતાશ્રીની બધી અંતિમ ઇચ્છાઓ પૂરી કરી. મનડું તો સંસારમાંન માને, તેમ છતાં પણ લગ્ન કરવા પડ્યાં અને પરિવાર પણ થયો. સાંસારિક જવાબદારીઓ એક પછી એક આવતી ગઈ અને ઉચિત કર્તવ્યરૂપે તેઓએ બધી પૂરી કરી. સિદ્ધગિરિની શીતળ છાયામાં સં. ૧૯૯૮માં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં ચોમાસુ–ઉપધાનતપ–માળ વખતે સજોડે ચતુર્થ વ્રતનો સ્વીકાર, આદિ આરાધનાઓ કરીને દીક્ષા લેવા માટે સજ્જ થયા. તે વખતે જ અચાનક ટૂંકી માંદગીમાં ધર્મપત્ની છબલબેનનો સ્વર્ગવાસ થયો, જેના પરિણામે નાની ઉંમરના બન્ને પુત્રો રમેશચંદ્ર અને છબિલદાસની જવાબદારી એમના ઉપર આવી પડી અને દીક્ષા લઈન શકયા. આ બંને પુત્રોને પણ સંયમમાર્ગે વાળવાની તેઓની ભાવના પ્રબળ બની અને તે માટેનો પ્રષાર્થ પણ તેઓએ ચાલુ રાખ્યો. સં. ૨૦૦રમાં પૂજ્યશ્રીનું ચાતુર્માસ જૂનાગઢમાં થયું. તે વખતે આખું ચોમાસું અખંડ પૌષધ, વચમાં લોચ, તપશ્ચર્યા આદિ આરાધનાસભર પૂરું કર્યું ત્યારબાદ ફરીથી કલકત્તા જવાનું થયું. સં. ૨૦૦૯માં પૂજ્યપાદશ્રીનું ચોમાસું કલકત્તા થયું અને મોટા પુત્ર રમેશચંદ્રની દીક્ષાની ભાવના થઈ. માતુશ્રી કપૂરબેનના સમાધિમય સ્વર્ગવાસ પછી સં. ૨૦૧૩ના અષાડ સુદિ-૩ના જબલપુર મુકામે પૂ. ગણિવર શ્રી માનતુંગવિજયજી મ.સા.ના શિષ્ય મુનિ જયભૂષણવિજયજી મ.સા.ના રૂપે દીક્ષિત બન્યા. ચોમાસા બાદ સં. ૨૦૧૪નાંમાગશર વદિ-૯ના નરસિંગપુ (મ.પ્ર.) ગામમાં તેઓની વડી દીક્ષા થઈ. દીક્ષાદિનથી જ મૂળથી બે વિગઈનો ત્યાગ, લીલોતરીનો ત્યાગ, વર્ધમાન તપની ઓળીઓ ૬૪ સુધી પહોંચ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy