SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ 290 તપાગચ્છાધિષ્ઠાયક પ્રતિમાસ્થાપનનો છે. ઉપસંહાર આમ, શત્રુંજય મહાતીર્થ ઉપરના જૈનમંદિરોમાં આવેલા પ૮૬ જેટલા અભિલેખોના અધ્યયનથી બારમી સદીથી વીસમી સદી સુધીના જૈનધર્મના વિકાસની, ભાષાના વિકાસની, જૈન મુનિઓના ગોત્ર અને ગચ્છની, જૈન શ્રાવકોના નામકરણની, ગામો અને નગરોનાં નામોની, માસ,તિથિ અને વારની, ધર્મ નિમિત્તે માનેલી માનતાઓની, તીર્થકરોની લોકપ્રિયતાની એમ વૈવિધ્યપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય છે, જેથી તે તે સમયના સાંસ્કૃતિક ઇતિહાસની રૂપરેખા દોરી શકાય છે. આ લેખોના અધ્યયનથી રાજકીય અને આર્થિક માહિતી ઉપલબ્ધ થતી નથી, કેમ કે આ અભિલેખો કેવળ ધાર્મિક છે. જેનોના સામાજિક ઇતિહાસના નિરૂપણમાં પણ આ અભિલેખો ઉપયોગી થાય છે. આમ આ અભિલેખો અભિલેખવિદ્, ઇતિહાસવિદ્દ, સમાજવિજ્ઞાની, ભાષાવિદ્, વગેરે વિદ્વાનોને ઉપયોગી નીવડે છે. અહીં પ્રસ્તુત માહિતી કે આંકડા સંપૂર્ણ છે એમ માનવાની જરૂર નથી. આ એક નમૂનો માત્ર છે જેથી એમાં ઊંડા ઊતરવાની પ્રેરણા આપે છે. આ સિવાય પણ આમાંથી ઘણી માહિતી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. અસ્તુ. વEE ક આજક - જwer GE 'iour વિશ્વશાન્તિ મૂલાધાર સમા, સત્ય-પ્રેમ અને કરુણાની ભાગીરથી ગંગાથી શ્રમણ સંસ્થાના ઈતિહાસને ઉજવળ કરનાર ભગવાન મહાવીર પરમાત્માની શ્રમણ પરંપરાને અમારી લાખ લાખ વંદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy