SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ દાદાનાં દર્શન તો ઠીક પણ દાદાના શિખરે મોર બની ટહુકાર કરવાનું સદ્ભાગ્ય મળે એવી ઝંખના કવિઓએ સ્તવનની કડીઓમાં વ્યકત કરી છે. કયું ન ભયે હમ મોર? વિમલગિરિ કયું ન ભયે હમ મોર?... દાદાનાં દર્શન કરી ગુજરાતના મહામંત્રી વસ્તુપાળના મુખમાંથી પણ આવા જ શબ્દો સરી પડ્યા હતા કે " હે પ્રભુ! તારા દરબારના કોક ખૂણામાં નાનકડા ગોખલામાં પશુ તરીકેનું સ્થાન આપીશ તો પણ હું જાતને ભાગ્યશાળી માનીશ." આ તીર્થનું વર્ણન કરતાં ખુદ મહાવીર પ્રભુએ ગૌતમસ્વામીને જણાવ્યું હતું કે " તીર્થનો મહિમાં મારા કેવળજ્ઞાનથી જાણી શકું છું. પણ તેનું પરિપૂર્ણ વર્ણન કરવું શક્ય નથી. જૈનેતર દર્શનની માન્યતા મુજબ સ્વર્ગની પ્રાપ્તિ માટે કોક ગંગામાં જળસમાધિ લે છે; કોક પ્રયાગમાં, કો'ક કાશી જશે તો કોક મથુરા. કારણ શું? ભૂમિની પવિત્રતા. જૈન ધર્મમાં જન્મેલા પ્રત્યેક ધર્માત્માની એવી ઇચ્છા હોય છે કે જન્મ્યા ભલે દુનિયાના કોઈપણ ખૂણામાં, મોત તો સિદ્ધગિરિ ઉપર જ જોઈએ. કારણ ? પરમાણુઓની પાવનતાથી સમાધિ અને સદ્ગતિ સહજ બની જાય છે. • ભરૂચના અનોપચંદભાઈ, શત્રુંજય પહાડ ચઢતાં ચઢતાં વિચાર આવ્યો કે અનંતાનંત આત્માઓ અહીં મૃત્યુને વરી અમર બની ગયા તો મારું મૃત્યુ અહીં થાય તો કેવું સારું! અને આ વિચાર આવતાં જ શત્રુંજયના ધ્યાનમાં તેમનું હૃદય ધબકતું બંધ થઈ ગયું, આયુષ્યનાં દલિકો ભોગવાઈ ગયાં. કેવા ભાવ! કેવું મોત ! • તપાગચ્છના અધિષ્ઠાયક દેવ માણિભદ્રવીરને અધિષ્ઠાયક બનાવનાર આ સિદ્ધગિરિ જ છે ને? માણેકશાહ શેઠ સંઘ લઈ જતા હતા. રસ્તામાં લૂંટારાઓ મળ્યા. જાનનું જોખમ જાણી શેઠ શત્રુંજયના ધ્યાનમાં લીન બની ગયા. લૂંટારાઓએ તલવારના એક ઝાટકે તેમનું ધડ-માથું અલગ કરી દીધું. માણેકશેઠ શત્રુંજયના ધ્યાનના પ્રભાવે જ વ્યંતરેન્દ્ર તપાગચ્છ યક્ષાધિરાજ માણિભદ્રવીર થયા. આવું આ તીર્થ પ્રાયઃ શાશ્વતું છે. અસંખ્ય કાળથી છે, અસંખ્યકાળ સુધી રહેશે. આ કાળ દરમ્યાન તીર્થના અસંખ્ય ઉદ્ધારો થયા છે ને થશે. આ અવસર્પિણીમાં આ મહાતીર્થના સોળ ઉદ્ધારો થઈ ગયાનો ઉલ્લેખ મળે છે. તેમાંના બાર ઉદ્ધારો ત્રીજા-ચોથા આરામાં થયા છે અને છેલ્લા ચાર ઉદ્ધારો પાંચમા આરામાં થયા છે. આ રહ્યા શત્રુંજયના સોળ ઉદ્ધારકોની પુનિત નામાવલી.. (૧) ભરત મહારાજા (૨) દંડવીર્ય (૩) ઈશાનેન્દ્ર (૪) માહેંદ્ર (૫) બ્રહ્મલોકેન્દ્ર (૬) ચમરેન્દ્ર (૭) સગર ચક્રવર્તી (૮) વ્યંતરેન્દ્ર (૯) ચંદ્રયશા (૧૦) રાજા ચકાયુધ (૧૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy