SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ 674 તપાગચ્છાધિષ્ઠાયક અંતર છે. સવારે ઉદ્યાનમાંથી આચાર્યભગવંતની પધરામણી મારે ત્યાં સંઘ સહિત કરાવું, ભૂલની માફી માગું, શંકાઓનું સમાધાન કરું અને આવા સમતાસાગર મુનિવરોની પવિત્ર રજથી આંગણું પવિત્ર કરું.' આવી આવી ભાવનાઓથી આખી રાત્રિ વ્યતીત કરી સવારે સંઘને ભેગો કર્યો. વાજિંત્રોના નાદ અને સ્વાગત પૂર્વક ગુરુમહારાજને પોતાને આંગણે પોતાની પૌષધશાલામાં બિરાજમાન કર્યા. સંઘની સમક્ષ રાત્રે થયેલી પોતાની ભૂલની માફી માગી, ક્ષમાયાચના કરી અને વિનંતી કરી કે, "હે પૂજ્ય ગુરુ ભગવંત ! મારી શંકાઓનું સમાધાન કરી આપવા કૃપા કરો." જિજ્ઞાસુની શંકા ને તેનું સમાધાન : પ્ર. ૧........ હે પૂજ્ય ! શાસ્ત્રમાં પ્રતિમા પૂજવાનું વિધાન છે? ઉ. ૧ ... હે માણેકશાહ! ઘણાં શાસ્ત્રમાં પૂજાનું વિધાન અને તેની વિધિ છે. પ્ર. ૨...... હે ભગવંત! કયા શાસ્ત્રમાં છે? ઉ. ૨.... અગિયાર અંગમાંથી પાંચમું અંગ જે મહાન ભગવતી સૂત્ર છે, તેમાં એનું વિધાન છે. ' રાયપાસણી' સૂત્રમાં છે, એમ અનેક આગમોમાં છે. પ્ર. ૩. કોઈએ જિનપ્રતિમા પૂછે છે? ઉ. ૩. હા, દ્રૌપદીએ જિનપ્રતિમા પૂજી છે. સૂર્યાભદેવે જિનપ્રતિમા પૂજી છે.' પ્ર. ૪. આ પાંચમા આરામાં કોઈ શ્રાવકે જિનબિંબ ભરાવ્યાં છે અને પૂજ્યાં છે? ઉ.૪... હા. (૧) મહારાજા ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત પર તે તે તીર્થકરોના શરીર પ્રમાણથી ૨૪ તીર્થકરોની પ્રતિમાજી ભરાવીને સ્થાપન કરેલ છે. (૨) સંપ્રતિ મહારાજાએ ભગવાન મહાવીર પછી બસો નેવું વર્ષે સવા કરોડ જિનપ્રતિમા ભરાવી છે અને સવા લાખ જિનમંદિર બનાવ્યાં છે. (૩) ભગવાન મહાવીરના સંસારી ભાઈ નંદિવર્ધન રાજાએ મહાવીર સ્વામીની પ્રતિમા ભરાવેલ તે હાલના નાંદિયા, દિયાણા અને નાણામાં છે. (૪) શ્રેણિક મહારાજે આવતી ચોવીસીમાં થનાર પદ્મનાભ નામના તીર્થંકરની પ્રતિમા ભરાવી છે. (૫) વસ્તુપાલ–તેજપાલે અને વિમલશાહે આબૂદેલવાડાનાં દેરાસર કરાવ્યાં છે. (૬) ધરણાશાહે ૧૪૪૪ સ્તંભયુક્ત રાણકપુરનું દેરાસર સ્વર્ગલોકનો વાદ કરતું હોય તેવું બનાવ્યું છે. (૭) કેસરિયાજી તીર્થમાં આદિનાથજીની પ્રતિમાજી છે, જેની મુનિસુવ્રતસ્વામીના વખતમાં - શ્રીપાલ અને મયણાસુંદરીએ પૂજા કરી હતી અને તેથી શ્રીપાલ રાજાનો કોઢ ગયો હતો. (૮) ઉજ્જૈનમાં અવંતી પાર્શ્વનાથ અતિ પ્રાચીન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy