SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 377 દાંતને દુર્લભ માનવ વૃથા ગુમાવી દે છે. ગુરુગમથી અજ્ઞાનતા દૂર કરીને ઉપાસનાનો હેતુ સમજવો જોઈએ ને આચરણ કરવું જરૂરી છે. ઐહિક સુખ મળ્યા પછી ધર્મમાં પ્રવૃત્તિ વધારવી જોઈએ તેને બદલે આરાધના વધતી નથી પણ ભૌતિક સુખમાં સમય વ્યતીત થાય છે. એટલે સુજ્ઞ ભવ્યાત્માઓએ ભક્તિ કે ઉપાસનાના ધ્યેયને સમજીને આભાના શાશ્વત સુખ પ્રતિ વિશેષ પ્રવૃત્તિ થાય તે જ ઇષ્ટ છે. શ્રી શિવકીર્તિ મુનિ વિરચિત શ્રી માણિભદ્રજીનો છંદ– ૧ શ્રી માણિભદ્ર સદા સમરો, ઉર બીચમેં ધ્યાન અખંડ ધરો; જપિયાં જયજયકાર કરો ભજિયાં સહુ નિત્ય ભંડાર ભરો –––૧ જે કુશળ કરે નામ જ લિયાં, આનંદ કરે દેવ આશ કિયાં: સૌભાગ્ય વધે જગ સહસ ગુણો, દિલ સેવ્યા કે પ્રભુ જશ ગુણો. --- અરિયણ સહ અળગા ભાગે, વિરુઆ વેરી જન પાય લાગે. સંકટ શોક વિયોગ હરે, ઉણ વેલા આપ સહાય કરે. ભૂત ભયંકર સહુ ભાગે, જક્ષ જોગણ સાયણ નવિ લાગે; વાય ચોરાશી જાય અલગી, લક્ષ્મી સહુ આપ મિલે વેગી. –––૪ ગુલ પાપડિયાં ગુરુવાર દિને, લાપસિયાં લાડુ શુદ્ધ મને; ધૂપ દીપ નૈવેદ્ય ધરો, આઠમ ચૌદસ પૂજા અવશ્ય કરો. –––૫ જેહને દિન પ્રતિ જાપ સદા, તસ સુપનાંતરમેં પ્રત્યક્ષ સદા; જપિયાં સહુ જાયે આપદા, કોઈ મણા ઘરે રહે ન કદા. --- મુહમદ સારુ તમે જશ, ગુણકરિયો જિસાયર સ્યો ગુણતમે ભરિયો; શ્રી દીનાનાથજી દયા કરો, શિર ઉપર હાથ દિયો સખરો. –––૭ ભવિયણ જો ભાવે ભજશે, કારજ સિદ્ધિ આપણી કરશે; પૂજ્યાં પુત્ર વધે ગુણા, કિણી વાતે રહે કદી નહિ ઉણા. ---૮ શ્રી માણિભદ્રજી મનમેં ધ્યાવો, સુખ સંપતિ બહુ વેગે પાવો; લક્ષ્મી કીર્તિ વર આપ લહે, શિવકીર્તિ મુનિ એમ સુજસ કહે. –––૯ શ્રી ઉદયકુશલમુનિ વિરચિત શ્રી માણિભદ્રજીનો છંદ- ૨ સરસ વચન ધો સરસતી, પૂજું ગુરુકે પાય; ગુણ માણિકરા ગાવતાં, સેવકને સુખ થાય. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy