SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ 238 તપાગચ્છાધિષ્ઠાયક માંડી. આ કંઈ એક પ્રતિમાની વાત ન હતી.; મૂળનાયકની આજુબાજુના કાઉસગિયા ભગવાનની પણ શોધ કરવાની હતી. ચરણપાદુકા પણ મેળવવાની હતી. સંઘવી તારાચંદમાં ઉત્સાહ, ઉમંગ ને ઉછરંગનો ત્રિવેણીસંગમ હતો. હાથમાં લીધેલું કામ પૂરું કરવા પૂરતું એનામાં સાહસ ઝળકતું હતું. તેઓ રાતદિવસ આ જ કામની પાછળ પડ્યા હતા. એમાં એક દી તેમના અંતરની ભાવના ફળી. બરાબર ભગવાન આદિનાથ જેવી જ બીજા મૂળનાયક કહી શકાય એવી પ્રતિમા મળી ગઈ. સંઘવીએ મૂળનાયક મળ્યાનો સંદેશો પાલિતાણા પહોંચતો કર્યો અને સાથે જણાવ્યું કે બીજી પ્રતિમાઓ માટે શોધ ચાલુ છે. મધ્યેથી તરત જ સમાચાર આપીશ. પાલિતાણામાં જ્યારે આ શુભ સમાચાર પહોંચ્યા, ત્યારે સહુના આનંદનો પાર ન રહ્યો. એમાં થોડા જ દિવસોમાં બીજો સંદેશો આવ્યો. બધાંય પ્રતિમા તથા પાદુકા મળી ગયેલ છે, ને હું અમુક દિવસે સુરતથી નીકળી પાલિતાણા આવીશ. પાલિતાણામાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું. સહુ રાહ જોતા હતા એ દિવસની, એ પ્રતિમાના દર્શનની....! નિયત દિવસ આવી ગયો. પાલિતાણાની ભૂમિ પર જનતા માતી નહતી. આખું પાલિતાણા આજે સ્ટેશને ઊમટી પડ્યું હતું, સંઘવીની રાહ જોવાઈ રહી હતી. ત્યાં જ સુરતથી સંઘવી પ્રતિમા લઈને આવી પહોંચ્યા. ભગવાન આદિનાથના બિંબ પર ઢાંકેલું રેશમી વસ્ત્ર ઊઘડ્યું ને લોકોની આંખ નાચી ઊઠી. ભગવાન આદિનાથનું બિંબ કેવું અલૌકિક! જાણે સાક્ષાત દાદા આદિનાથ જોઈ લો! એક મૂળનાયકનું બિંબ હતું એક શાન્તિનાથનું બિંબ હતું. આજુબાજુનાં નાનામોટા કાઉસગિયા હતા. ભગવાનની ચરણપાદુકા હતી. વળી દેવી ચકેશ્વરી તથા યક્ષનાં પણ નૂતન બિંબ સંઘવી સુરતથી લાવ્યા હતા. પ્રત્યેક પ્રતિમાઓ અભુત હતી. પાલિતાણાનો વિરાટ જનસમૂહ આજે નૂતન બિંબોનું સ્વાગત કરવા આવી પહોંચ્યો હતો. ધામધૂમ સાથે પ્રતિમાઓનો નગરપ્રવેશ થયો. પાલિતાણા શહેરમાં પ્રતિમાઓ પધરાવવામાં આવી. - હવે તો એ શુભ દિવસની રાહ જોવાઈ રહી હતી.....જે શુભ દિવસે નૂતન બિંબોને ગિરિરાજ ઉપર લઈ જવાય. પાલિતાણા તથા આજુબાજુના ગામેગામમાં સમાચાર પહોંચી ગયા, કે શત્રુંજય માટે નવા આદીશ્વર ભગવાન આવ્યા. ઉત્થાપન માટેના શુભ દિવસનો નિર્ણય કરવા બે માણસોને રવાના કરવામાં આવ્યા હતા. શુભ દિવસ પણ નજીકનો જ નક્કી કરવામાં આવ્યો હતો. ઉત્થાપનના દિવસની શહેર આખામાં જાહેરાત થઈ હતી, ને ઉત્થાપનનો એ દિવસ આવી લાગ્યો. પાલિતાણા સંઘનો દરેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy