SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ મહાજનના એકેય માણસને મનમાં આવા ભયંકર બનાવની તો શંકા જ કયાથી આવે ? મહાજન ભેગું થયું, ને તીર્થરક્ષકોએ તીર્થ ઉપર બનેલ બનાવનું બ્યાન રજૂ કર્યું. જ્યારે મહાજને ભગવાનની નાસિકા ખંડિત થયાનું સાંભળ્યું ત્યારે મહાજનમાં ગમગીની ફેલાઈ ગઈ. સહુના હૃદયમાં પ્રશ્ન ઘોળાતો હતો, આ બધું બન્યું શી રીતે ? એકાએક વજળી પડી, તે પણ પાછી મુખ્ય શિખર પર, અને શિખરને ફાડી મુખ્ય ભગવાનની નાસિકાનેય ખંડિત કરી ગઈ ! 237 આ પણ એક આશ્ચર્ય હતું. ગિરિરાજ પર વીજ પડવાનો બનાવ છેલ્લાં ઘણાંએ વર્ષોથી બન્યો ન હતો. એમાં અચાનક આ બનાવ બન્યો. વાત ફેલાતાં વાર કેટલી ? આખા શહેરમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ... આખા શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ. સંઘના આગેવાનોનાં હૈયાં હલબલી ઊઠયા. આખું પાલિતાણા આ બનાવ જોવા ગિરિરાજ પર ઊમટી પડયું. ઘણાના મગજમાં આ વાત બેસતી ન હતી ; પણ જયારે ઉપર જઈ નાસિકાથી ખંડિત થયેલા મૂળનાયક પર સહુની દષ્ટિ પડી, ત્યારે સહુનાં મસ્તક ચક્કર ચક્કર ઘૂમવા લાગ્યાં ! હવે શું થશે ? એ પ્રશ્નાર્થ સહુને ભરડો લઈ ઊભો રહ્યો. પાલિતાણાનો જૈન સંઘ આ બનાવથી ચિંતાગ્રસ્ત બની ગયો. સંઘ માટે પણ ' હવે શું કરવું ?' એ એક મોટી સમસ્યા હતી. સંઘની કેટલીક આગળ પડતી વ્યક્તિઓની એવી સખત માન્યતા હતી કે ખંડિત મૂર્તિ ન પૂજાય. એમાંય આ તો મૂળનાયકની વાત હતી, એટલે આ પ્રશ્ન હવે વધુ ઘોળાતો હતો. યાત્રિકોનો ધસારો પણ આ બનાવ પછી વધતો જ જતો હતો. નવા યાત્રિકોને આ વિષયમાં સંતોષજનક જવાબ શું આપવો, એ પણ સંઘ માટે પ્રશ્ન થઈ ચૂકયો હતો. પ્રશ્નનો જવાબ જેમ બને તેમ જલદી લાવવા સંઘના આગેવાનો સજાગ હતા. અને અંતે પ્રશ્નનો ઉકેલ આવી ગયો. સંઘમાં નિર્ણય લેવાયો કે ખંડિત મૂર્તિને બીજે સ્થાપિત કરવી અને એ સ્થળે એવી જ બીજી ભગવાન આદિનાથની મૂર્તિ પધરાવવી. પણ આબેહૂબ એવી જ મૂર્તિ મેળવવી એ પણ કામ તો કઠણ જ હતું. પણ જ્યાં ભક્તિ, ભાવના અને ભક્તોનો ત્રિભેટો જામ્યો હોય, ત્યાં ભાગ્યે જ ભગવાન સંબંધી કોઈ કામ અટકી પડે. મહાજનની વચ્ચે ઊભા થઈ એક વ્યક્તિએ ભગવાન આદિનાથની મૂર્તિની ખોજ માટેનું બીડું ઝડપ્યું. સંઘ તરફથી એ વ્યક્તિને સાભાર રજા મળી. એ વ્યકિત કોણ હતી ? ઘણાને મન એ એક પ્રશ્ન હતો. એ સુરતની એક ખ્યાતનામ વ્યક્તિ હતી. સુરત આખું જેને સંઘવી તારાચંદના નામથી ઓળખતું હતું. નવા ભગવાન પધરાવવાનો નિર્ણય પાલિતાણામાં ફરી વળ્યો. સંઘવીએ સંઘના આશીપાંદ લઇ સુરત ભણી કદમ બઢાવ્યાં, ને નૂતન બિમ્બની શોધ શરૂ કરી. આ તો ખોજનું કામ હતું. ખૂંધા વગર ખોજ થાય નહિ. સંઘવી તારાચંદે જમીન ખૂંદવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy