SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ 236. તપાગચ્છાધિષ્ઠાયક આ અજબ બનાવથી તીર્થરક્ષકોનાં દિલ ધડકી ઊઠ્યાં! ગજબ થયો! બીજું બધું તો ઠીક પણ ભગવાન આદિનાથની નાસિકા ખંડિત બની ગઈ એ મહાન દુઃખની વાત હતી. પાલિતાણા એટલે તીર્થની તળેટીનું શહેર. તીર્થરક્ષકોએ વિચાર્યું કે ગમે તે હિસાબે આ ભયંકર બનાવની ખબર વહેલી તકે પાલિતાણાના સંઘને જણાવવી જોઈએ. પણ જણાવાય શી રીતે? મેઘરાજના તોફાન વચ્ચેથી પસાર થઈ ઠેઠ નીચે પહોંચવું એટલે ગમે તેવા માટે જાનનું જોખમ હતું. એક તો આ બનાવ જ તીર્થ માટે ભયંકર બની ચૂક્યો હતો. એમાં વળી નીચે સંદેશો પહોંચાડનાર જ વચમાં ઢળી પડે, તો તો... બનાવ ઓર ભયંકર બની જાય! તીર્થરક્ષકોએ ભેગા મળી નિર્ણય કર્યો, કે હમણાં કોઈએ નીચે જવું નહીં. વરસાદ બંધ ન થાય ત્યાં સુધી નીચે જવું જોખમ છે. બંધ થયા બાદ તરત નીચે સંદેશો પહોંચતો કરવો. મેઘરાજ પણ આજ માઝા મૂકીને વરસતા હતા. શત્રુંજયના પગથિયે પગથિયાને મેઘરાજે ધોઈને સાફ કરી દીધાં હતાં. આ વરસાદ વધુ લંબાય તો શત્રુંજયનું મુખ્ય શિખર પણ જોખમમાં હતું, કારણ કે શિખરના મુખ્ય ધૂમટમાં વીજે મોટી ફાટ તો પાડી જ દીધી હતી. તીર્થરક્ષકોનાં હૈયાં હવે પળે પળે આંચકા અનુભવતાં હતાં. રખે ને બીજી એકાદી વીજ તૂટી પડે ને મંદિરો માટી ભેગાં મળી જાય. ભગવાન આદિનાથની નાસિકાથી ખંડિત મૂર્તિ જોતાં એમની આંખ મીંચાઈ જતી! કારણ, એ મૂર્તિ એમને મૂર્તિ રૂપે દેખાતી ન હતી , એ મૂર્તિમાં તો તેઓ મૂર્તિમાન ભગવાનને જોતા હતા. ભગવાન એમના દિલમાં વસ્યા હતા. ભગવાનના એ ભક્ત હતા. ભગવાન સામે એ ભક્ત હૃદયોની એક જ પ્રાર્થના હતીઃ ભગવાન ! હવે આ વરસાદ બંધ કરો. પ્રાર્થના એમની નમાલી ન હતી. શ્રદ્ધાનો એમાં પ્રાણવાયુ પુરાયેલો હતો. શ્રધ્ધા સાથે કરાયેલી પ્રાર્થના પણ ન ફળે તો સમજવું કે એ શ્રદ્ધા પણ અધૂરી હશે. શ્રદ્ધાની અધૂરાશ જ પ્રાર્થનાને નિપ્રાણ બનાવે છે. પરંતુ અહીં તો શ્રદ્ધાની માટીમાંથી જ પેદા થયેલી પ્રાર્થનાની વેલ હતી. એ ફળ્યા વગર રહે ખરી? ધીરે ધીરે ધૂંધળું આકાશ ફરી સ્વચ્છ બનવા માંડ્યું. મેઘરાજે પોતાની માયા સંકેલી લીધી. તીર્થરક્ષકોનાં ધડકતાં દિલ બેંક શાંત થયાં. ઉપરથીસ્તો, અંદર તો આ ભયંકર બનાવે લગાવેલી લાય સળગતી જ હતી. એ થોડી જ આમ, કઈ શાંત થાય? હવે નીચે ઊતરવામાં કંઈ જોખમ જેવું હતું નહિ, અને જોખમ હોય તો ય એ જોખમને ખમી ખાવાનો તીર્થરક્ષકોએ નિર્ણય કરી લીધો હતો. તીર્થરક્ષકો નીચે સંદેશો પહોંચાડવા ઝડપભેર ઊતરવા લાગ્યા. વર્ષાનાં પાણીમાં ભીના કરી દીધેલ પગથિયાં પર પગ લપસી જવાનો ભય રહેતો હતો, છતાં એ તો ઝપાટાબંધ નીચે ઊતરે જ જતા હતા. જોત જોતામાં તળેટી આવી પહોંચી. શહેર હજી અહીંથી થોડે દૂર હતું. વર્ષાના કારણે ખોરવાઈ ગયેલો ધમધોકાર જનવ્યવહાર ફરી હળવો ચાલુ થઈ ગયો હતો. શહેરમાં જઈ તરત જ પ1િ /11 ના મહાજનને એકઠું કરવા માટે એક માદાર રી વળ્યો - -- - - --- - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy