SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ પણ માણિભદ્રજી મનાય છે અને સાંભળવા મુજબ દિગમ્બર સંપ્રદાયમાં પણ માણિભદ્રજીનું આદરભર્યું સ્થાન છે. વ્યંતરેન્દ્ર તરીકે આ દેવેન્દ્ર ભગવાનના સમવસરણમાં પ્રતિહાર તરીકે પ્રભુની સેવામાં હાજર રહે છે. પ્રાચીન પૂજનોમાં 'વીર' નામોલ્લેખપૂર્વક એનું પૂજન થાય છે. એક એવી ગેરસમજ પ્રવર્તે છે કે દાદા એ બાવન વીર પૈકીના એક વીર છે અને તેને સિંદૂર ચઢે છે તેમ જ સ્ત્રીઓ તેમનાં પૂજન-અર્ચન કરી શકતી નથી. ટૂંકમાં, દાદાને વીર હનુમાનની સમકક્ષ ગણવામાં આવે છે. જો કે આ માન્યતા ખોટી છે. સાચી વાત તો એ છે કે દાદા ઇન્દ્ર છે અને તેની પુરુષ અને સ્ત્રીઓ બંને પૂજા-અર્ચના કરી શકે છે. તેઓ 'વીર' નથી. વચગાળામાં જતિઓ–ગોરજીઓના પ્રભુત્વના સમયમાં ઈન્દ્રમાંથી 'વીર' ગણાવાઈ ગયા હોવાનું સંભવે છે ! 483 માણિભદ્રજી હાજરાહજૂર છે. ભક્તોનાં તમામ કાર્યો કરે છે. પાલનપુર પાસે મગરવાડા, ઉત્તર ગુજરાતમાં વિજાપુર પાસે આગલોડ, મધ્યપ્રદેશમાં ઉજ્જૈન – આ ત્રણેય સ્થળે એમની મુખ્ય શક્તિપીઠો છે અને મહારાષ્ટ્રમાં પાબલ અને સુરત–રાંદેરમાં ખૂબ જ ચમત્કારિક પ્રસિદ્ધ યાત્રાધામો આવેલાં છે. બંગાળમાં કલકત્તામાં પણ કૅનિંગ સ્ટ્રીટમાં પ્રભાવશાળી દાદા બિરાજમાન છે. દાદાની ખૂબી એ છે કે તેઓ હંમેશાં ભક્તોને સહાય કરવા તત્પર હોય છે; પણ બદલામાં કોઈ ચોક્કસ માગણી હોતી નથી. તેઓએ અગાઉ પણ એમ કહ્યું છેઃ ” ધર્મની વૃદ્ધિ કરવી, જિનભક્તિ વિશેષ કરવી અને કામ હોય ત્યારે મને યાદ કરવો.” મગરવાડામાં પિંડી પૂજાય છે. આગલોડમાં ધડ પૂજાય છે અને ઉજ્જૈનમાં મસ્તક. આ વાત સહજ રીતે ન માની શકાય. આપણે જરૂર માની શકીએ કે મૃત્યુ વખતે તેમના શરીરના ત્રણ ટુકડા થઈ ગયા, એટલે અવશેષોનાં પ્રતીકોની પૂજા કરાતી હોય; પણ શરીરના કટકા જે તે જગ્યાએ પડ્યા અને તેથી તે તે જગ્યાએ વસ્તુ પૂજાય છે, એ વાત નિરાધાર લાગે છે. કારણ એ કે મગરવાડાની સ્થા``ના પછી આગલોડની સ્થાપના થઈ છે. એવું સંભવે કે શરીરના ત્રણ ટુકડા થયેલા, એટલે ત્રણ સ્થાનકે અલગ-અલગ અંગોની પૂજા થતી હોય ! ચમત્કારો ઃ આજથી ૫૦૦થી થોડાંક વધુ વર્ષો અગાઉ પ્રગટ થયેલી આ મહાશક્તિના ઠેર ઠેર સેંકડો ચમત્કારો નોંધાયા છે. કપડવંજ પાસે નાનકડા આંતરોલી ગામમાં માણિભદ્રની પાટ તરીકે ચમત્કારિક પાટ પ્રસિદ્ધ છે. સ્થાપના વિવિધ આકૃતિઓ, અનેકવિધ આયુધો ધરાવતી દાદાની મૂર્તિઓ જોવા મળે છે, તો વળી કયાંક શ્રીફળ અથવા તો સોપારી ઉપર આહ્વાનાદિ વિધિ કરીને સ્થાપના કરેલી, આકૃતિ વિનાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy