SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ 518 તપાગચ્છાધિષ્ઠાયક પતિવ્રતા સુશીલા ગૃહિણી પથારીમાં પડ્યાં પડ્યાં નિઃશ્વાસ નાંખી રહી હતી. સુશીલા ઘડી પરમાત્માને યાદ કરતી તો ઘડી નિરાશાના નિઃશ્વાસ નાખતી હતી. શીતળ ચાંદની તે રમાને તો કાલરાત્રિ જેવી લાગતી હતી. "દેવી! આજે કેમ ઉદાસીન જણાય છે? શરીર બરાબર નથી?" પતિદેવે દેવીને ઉદાસીન જોઈને પૂછ્યું. " તમે જાણો છો ને, આપણે બધુંય છે,–લક્ષ્મી છે, વ્યાપાર છે, ઇજ્જત-આબરૂ છે. ખાવાને ભાતભાતનાં અન્ન અને પહેરવાને મનમાન્યાં વસ્ત્ર પણ છે. છતાં પરમાત્મા એક ફૂલ, કુળભૂષણ એક રત્ન, કંકુપગલી પાડનાર ને આનંદવૃદ્ધિ કરનાર બાલ નથી આપતો. હા! શાં શાં કર્મબંધન કર્યો હશે! " એમ બોલતાં બોલતાં તો દેવીને મૂર્છા આવી ગઈ. થોડીવારે જરા શાંતિ વળી એટલે મેઘાજી શેઠે માણેકદેવીને કહ્યું, "દેવી! આમ ચિંતા કરવાથી શું વળે? દેવ-ગુરુ-ધર્મનું શુદ્ધ રીતે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક આરાધન કરીએ જેથી આપણું પુણ્ય ફળશે. ધીરજ ધર, ચિંતા ન કર, ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થા. સૌ સારું થશે." માણેકદેવી આજે ઉલ્લાસમાં છે. હર્ષમાતો નથી. પ્રાતઃકાળમાં ઊઠી જલદી જલદી પ્રાતઃક્રિયા પૂરી કરી, સ્નાન કરી, સુંદર વસ્ત્રાભૂષણ પહેરી પાસેના ગૃહમંદિરમાં પૂજન કરવા જાય છે. આજે તે પ્રફુલ્લ અને આનંદિત જણાય છે. પૂજાનો થાળ, પુષ્પહારો, ધૂપ-દીપ, નૈવેદ્ય વગેરે લઈને વિધિપૂર્વક પ્રભુપૂજન કર્યું. આજના દિવસને ધન્ય ધન્ય માનવા લાગી. ઘેર આવી પતિદેવને પ્રણામ કરી બોલી, " હે નાથ! મારું મન હર્ષથી ઊભરાઈ જાય છે, મારું હૃદય આનંદથી પ્રફુલ્લિત બન્યું છે. આજે રાત્રે મને એક મનોહર સ્વપ્ન આવ્યું ને તેમાં હું એક પુત્રરત્નની માતા બની અને તે પુત્રરત્ન મને સ્વર્ગનો માર્ગ દર્શાવ્યો. હે સ્વામિનાથ ! અવશ્ય મારું સ્વપ્ન ફળશે. હું પુત્રના મુખને જોઈ સૌભાગ્યવતી થઈશ. એ પુત્રરત્નથી આપણા કુંટુંબની કીર્તિ અમર થશે. મારા હૃદયમાં પરમાત્માની પૂજા, તીર્થોની યાત્રા, સાધુ-મુનિરાજોની ભક્તિ અને તપશ્ચર્યા કરવાના ભાવો ઉત્પન્ન થાય છે. આ પુત્ર કોઈ દેવી રત્ન હશે તેમ મને લાગે છે. " પુન્યની ભાગ્યદશા પલટાય છે ત્યારે બધા ગ્રહો અનુકૂલ થઈ જાય છે, શુભ અને મંગલમય પ્રસંગો જ આવે છે. ધર્મપરાયણ, પતિધર્મ ઉપાસક, સદ્ગણી, સુશીલા માણેકદેવીએ વિક્રમ સંવત ૧૫૪૭ના વર્ષે શુભ ગ્રહો, શુભ નક્ષત્રો ને શુભ યોગોથી સૂચવતા એવા એ પુત્રરત્નને પૂર્ણ માસે જન્મ આપ્યો. માનવી કોઈ પણ શુભ ક્રિયા કરતાં સારો દિવસ અને સારું મુહૂર્ત જુએ છે, પણ જન્મ એ માનવીના હાથની વસ્તુ નથી. છતાં ભવિતવ્યતાએ સારા દિવસે જન્મેલો બાળક સારો નીવડે છે તે જગપ્રસિદ્ધ છે. જન્મ થયો એટલામાં અભુત ચમત્કાર થયો. માતાના પલંગ પાસે શુદ્ધ મૌક્તિનો સાથિયો જોવામાં આવ્યો. કુટુંબીજનો તે જોઈ ચકિત થયાં, માતા-પિતા–કુટુંબીજનો બધાં આ ચમત્કારથી હર્ષિત થયાં અને પુત્રરત્નના ભાવિ વિષેનો આ ચમત્કાર નગરજનોના આનંદનો વિષય થઈ પડ્યો. બાળક પુત્રનું ભવ્ય લલાટ, ચકોર આંખો, પ્રતિભાશાળી ચહેરો, ગૌર વર્ણ અને લાંબા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy