SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ 636 તપાગચ્છાધિષ્ઠાયક ઊંડી ગર્તામાં ફેંકી દે છે. તેથી જ તો એક વિચારકે ભગવાનને વીનવતાં કહ્યું, " પ્રભુ..... મારે સંપત્તિ ન જોઈએ. સન્મતિ જોઈએ. સંપતિ વિના સન્મતિ ચાલી શકે. સન્મતિ વિના સંપત્તિ હરગિજ ન ચાલે." - સૂર્યનારાયણની સામે ધૂળ ફેંકનારનાં જ તનબદન ગંદા થતાં હોય છે, પરંતુ દુર્જન આ સત્યને સ્વીકારવા કયારેય તૈયાર નથી. સાધુઓએ સાધના આરંભી; પણ સિદ્ધિ-મોક્ષની પ્રાપ્તિ માટે નહિ. તપસ્યા પ્રારંભી પણ કર્મનાશ માટે નહિ. જાપ શરૂ કર્યો પણ ભગવાનની ભક્તિ માટે નહિ. ધ્યાન ચાલુ કર્યું પણ મનશુદ્ધિ માટે નહિ. આશયની વિકૃતિ સાથે સાધના પણ વિકૃત બની ગઈ. ભૈરવદેવની પ્રસન્નતા માટે તાંત્રિક-માંત્રિક–યાંત્રિક પ્રયોગો ચાલુ થયા અને અંતે ભૈરવદેવ હાજરા હજૂર થયા. " શાને યાદ કર્યો મને મુનિઓ....! જે હોય તે કહી દો" " આચાર્ય હેમવિમલસૂરિના સાધુઓને નષ્ટ કરી દો, ખતમ કરી દો." કડવામતી સાધુઓના આ આદેશને સાંભળીને બે ક્ષણ તો ભૈરવદેવ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આટલી નિમ્ન કક્ષામાં ઊતરી પડ્યા આ સાધુઓ...! પોતાની માન્યતાઓથી વિપરીત માન્યતાઓવાળા તરફ આટલો બધો ખતરનાક દ્વેષ..! અને આવા રાગ-દ્વેષ વચ્ચે સાધુતા..! પણ માંત્રિક શક્તિથી બંધાયેલ ભૈરવદેવે તથાસ્તુ' કહી વિદાય લીધી. સાધુઓએ હાશ સાથે શાંતિનો શ્વાસ ગ્રહણ કર્યો. - જ્ઞાન, ધ્યાન અને તપ-ત્યાગના ઓજ–તેજથી દીપતા સૂરિસમ્રાટ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી હેમવિમલસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.આ. ભ. શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે પોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં આગ્રાની આસપાસનાં ક્ષેત્રોને લાભ આપીને મરુધર તરફ વિહારનાં વહેણ માંડવા નિર્ણય કર્યો પણ તે સાથે જ - એક નવજુવાન મુનિવર... માત્ર અઢાર વર્ષની ઉંમર, દેહની ડાળીઓમાં તો હજુ યૌવનનો નવપ્રવેશ છે, હૃદયના આંગણે હજુ તો વૈરાગ્યરંગની રંગોળીઓ નવી જ શણગારાયેલી છે. દિલના દ્વારે હજુ તો સંયમના સ્વસ્તિક તાજા જ મંડાયા છે–અને આવા હજારોમાં એક મુનિવર અચાનક એક ચીસ સાથે ઢળી પડે છે. મુનિનો કરુણ અવાજ સાંભળતાં જ બધા મુનિઓ દોડી આવ્યા. આચાર્ય ભગવંત તરત જ મુનિ પાસે પહોંચી ગયા. શ્રીસંઘના કાને સમાચાર મળતાં જ હજારો શ્રાવક-શ્રાવિકાઓ પણ ઉપાશ્રયમાં આવી ગયાં. આગ્રા શહેરના રામબાણ ઇલાજ કરનાર સિદ્ધહસ્ત વૈદ્યોએ આવીને મુનિની નાડી પરીક્ષા કરી, પણ બધા સ્તબ્ધ... રોગ પકડમાં જ આવતો ન હતો. ઔષધોપચારનો પ્રયોગ કર્યો, કિંમતી દવાઓ આપવામાં આવી; પણ કોઈ અસર નહિ. મુનિની સ્વચ્છતા માટે ચતુર્વિધ સંઘમાં જાપ પણ પ્રારંભાયો. છતાંયે અશાન્તિ વધતી ગઈ અને એક દિવસ....એ મુનિવરે સદાને માટે આંખો બંધ કરી દીધી. સાથી મુનિવરની અચાનક વસમી વિદાય. ત્યાગ ને વૈરાગ્યના રંગમાં રંગાયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy