SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ 664 તપાગચ્છાધિષ્ઠાયક હેમવિમલસૂરિજીના સાધુઓનાં ચિત્ત ભ્રમિત કર્યો. ૧૭ સાધુઓમાંથી ૧૦ સાધુઓ તો કાળધર્મ પામ્યા. આ ઉપદ્રવની જાણકારી માટે શ્રી હેમવિમલસૂરિ ધ્યાનમગ્ન બન્યા. તેમણે ધ્યાનમાં ગુજરાત-પ્રવેશ વખતે અઠ્ઠમ તપ કરવાનો આદેશ સાંભળ્યો. પાલનપુર પાસેના મગરવાડામાં રાયણવૃક્ષ નીચે ગુરુ મહારાજ અઠ્ઠમ તપ કરી કાઉસ્સગ્નમાં બેઠા. માણિભદ્રદેવને અવધિજ્ઞાનથી આ વાતની જાણ થઈ. પોતાના પ્રેરક ગુરુ મહારાજ સમક્ષ માણિભદ્ર પ્રગટૅ થયા. તેમણે ગુરુ મહારાજને પોતાના સ્વરૂપનો ખ્યાલ આપ્યો. પોતાની ડાકુઓ દ્વારા થયેલી હત્યાની વાત કહી. ગુરુની આજ્ઞાથી માણિભદ્રજીએ ભૈરવનો ઉપદ્રવ શાંત કર્યો, પરંતુ તેમના સ્થાનક પાસે ભૈરવને સ્થાન આપવાની વિનંતી સ્વીકારી. જૈનશાસનની સેવા કરતા રહેવાનો તેમણે ગુરુમહારાજને સધિયારો આપ્યો. માણિભદ્રવીરે ગુરુ હેમવિમલસૂરિજીને વિનંતી કરી," ગુરુદેવ! આ જગ્યાએ મારા પગ પડ્યા છે. આથી પગની પિંડીની સ્થાપના આપના હસ્તે કરો, જેથી આ સ્થાનનો પ્રભાવ રહેશે. આ સ્થાને આપની પાટ–પરંપરાના તપાગચ્છના જે જે નૂતન આચાર્યો આવીને અટ્ટમ તપ કરશે, તેનાથી મારું આસન ચલાયમાન થશે. મને આચાર્ય મહારાજ આવ્યાની જાણ થતાં હું તેમની સેવામાં હાજર થઈશ. જે એ પ્રમાણે મને ધર્મલાભરૂપી આશીર્વાદ આપશે તેની સેવામાં રહી ધર્મમાં સહાય કરીશ. એથી મને શાસનભક્તિનો ધર્મલાભ પ્રાપ્ત થશે. સમકિત નિર્મલ રહેશે. જૈનશાસનની ઉન્નતિમાં હું સહાયક બનીશ." પૂ. આચાર્ય શ્રી હેમવિમલસૂરિજીએ મહા સુદિ પાંચમે મગરવાડામાં માણિભદ્રવીરની પગની પિંડીની સ્થાપના કરી. આગલોડનું સ્થાનક પૂ. આચાર્ય શાંતિસોમસૂરિજીએ આ સ્થાને જૈન શાસનની ઉન્નતિ માટે ૧૨૧ ઉપવાસ કર્યા. આથી શ્રી માણિભદ્રવીર પ્રત્યક્ષ થયા. શ્રી માણિભદ્રવીરની આજ્ઞાનુસાર વિ. સં. ૧૭૭૩માં મહાસુદ ૫ ના દિવસે આગલોડ ગામની બહાર વીરના સૂચવેલા સ્થાને માટીના પિંડનું ધડ સ્થાપન કર્યું. પૂ. શાંતિસોમસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી. માણિભદ્રવીરે કહ્યું, " જે આચાર્યપદ પ્રાપ્ત કર્યા પછી મગરવાડા સ્થાનકે ન જઈ શકે તે આગલોડના માણિભદ્રના સ્થાનકે આવી અઠ્ઠમતપ કરશે તેમની ઇચ્છા પૂર્ણ કરીશ." આ સ્થાને આચાર્ય મહારાજના ઉપદેશથી શિખરબંધી જૈનશાસનના રક્ષક દેવનું મંદિર છે. માણિભદ્રના કહેવા મુજબ તેમનાં ત્રણ સ્થાનકો છેઃ (૧) ઉજ્જૈનમાં જન્મ છે, ત્યાં મસ્તક પૂજાય છે. (૨) આગલોડમાં ધડ પૂજાય છે અને (૩) મગરવાડામાં પગની પિંડી પૂજાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy