SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ 734 સૌમ્ય-સુંદર દીસતી હતી. ત્યાં તો ગાંગજીના ઘરમાં ધમાલ ધમાલ મચી ગઈ. , ખુદ ગાંગજીને કંઈક થઈ ગયું હતું. તેની વાચા હણાઈ ગઈ હતી. ગામના લોકોને જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ સહુ ગાંગજીના ઘર તરફ જવા લાગ્યા. ધીમે ધીમે ગાંગજીનું આખું ઘર ભરાઈ ગયું. જે આવતા તે સહુ ઉપચાર બતાવતા. ' ડૂબતો માણસ તરણું ઝાલે' એ ન્યાયે સહુના ઉપચારોનો પ્રયોગ ગાંગજી ઉપર થતો રહ્યો પણ વેદના ઘટવાને બદલે વધતી જ ચાલી. સહુ મૂંઝાઈ ગયા. હવે કોઈ ઉપચાર પ્રાયઃ બાકી રહ્યો ન હતો; પણ બધું પથ્થર પર પાણી હતું. નવા ઉપચારો વિચારાઈ રહ્યા હતા ત્યાં એક જણે કહ્યું : ' ભાઈ ! ગામમાં શ્રી મયાવિજયજી મહારાજ બિરાજે છે. તેઓ બહુ ચમત્કારી કહેવાય છે. એમને વિનંતી કરો. તેઓ કરુણાવંત છે. કદાચ આમાં તેઓ મદદ કરશે.' તપાગચ્છાધિષ્ઠાયક સવાર પડતાં બે ભાઈઓ ઉપાશ્રયમાં ગયા. મહારાજને માંડીને વાત કરી. પછી વિનંતી કરી. શ્રી મયાવિજયજી મહારાજ બંને ભાઈઓની સાથે ગાંગજીના ઘરે આવ્યા. કાંઈ મંત્ર બોલી વાસક્ષેપને મંત્રિત કર્યો. ગાંગજીના મસ્તક પર એ વાસક્ષેપ નાંખ્યો, ઓઘો ફેરવ્યો. થોડી જ વારમાં ગાંગજી બેઠો થઈ ગયો. પહેલાં જેવો થઈ ગયો. સહુ સ્વજનો આનંદમાં આવી ગયાં. શ્રી મયાવિજયજીનો મહાન ઉપકાર માની એમના પગમાં પડી ગયા. ગાંગજી પણ ગળગળો થઈ ગયો. પગમાં પડીને તેણે કહ્યું,' આપે મને જીવતદાન આપ્યું છે. આપનો ઉપકાર કદી નહિ ભુલાય. શ્રી મયાવિજયજીએ ત્યાં બેસીને થોડો ધર્મ-ઉપદેશ સંભળાવ્યો. પ્રાંતે ધીર ગંભીર સ્વરે તેમણે ગાંગજીને કહ્યું : ' જો ગાંગજી ! દેવીદેવતા એ આપણા માતાપિતા સમાન છે. એમની મશ્કરી કરવાથી, એમના વિષે જેમતેમ બોલવાથી એમની આશાતના થાય. માટે જીવનમાં કયારેય દેવી—દેવતા માટે આડું અવળું બોલીશ નહિ. ગાંગજી નીચું જોઈ ગયો. શરમથી એનું મસ્તક નમી ગયું. એણે મનોમન નિશ્ચય કર્યો, હવેથી કયારેય હું દેવદેવીની મશ્કરી નહિ કરું. ગાંગજીએ આજે શ્રી મયાવિજયજી મહારાજના ચમત્કારનો અનુભવ કરી લીધો હતો. શ્રી મયાવિજયજી ઉપાશ્રયે પધાર્યા અને અન્ય સહુ મહારાજના ચમત્કારની વાતો કરતા પોતપોતાના ઘરે પહોંચ્યા. ગાંગજીના ઘરે આવેલા ભાઈઓમાંથી કેટલાક જુવાનિયાઓને દેવી—દેવતાની સાધના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગી. એ લોકો આખો દિવસ ઉપાશ્રયમાં જ રહેવા લાગ્યા. શ્રી મયાવિજયજીના સતત સહવાસથી તેઓને મહારાજ સાથે ગાઢ સ્નેહ સંબંધ બંધાઈ ગયો. આ જુવાનિયાઓમાંથી નગીનદાસ નામનો એક જુવાનિયો તો મહારાજનો અનન્ય ભક્ત બની ગયો. એક દિવસની વાત છે. બપોરનો સમય હતો. શ્રી મયાવિજયજી મહારાજ જુવાનિયાઓ સન્મુખ બેઠા હતા. જુદી જુદી વાતો ચાલતી હતી. ત્યાં એક જણે ધીમે રહીને પૂછ્યું : ' મહારાજ સાહેબ !' આપશ્રી જે ચમત્કારો બતાવો છો, તેની પાછળ કોની સાધનાનું બળ છે ?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy