SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 733 હોશ ન રહ્યા. સહુએ મનોમન નિર્ણય કર્યો... હવેથી આ જગ્યાએ આ જનમમાં તો ક્યારેય ન આવવું. આ બાજુ ઝાડ પર ચોકીદારો છુપાઈને આ તમાશો જોઈ રહ્યા હતા. જેવા આ વિધર્મીઓ ભાગ્યા એટલે એમણે દબાવી રાખેલું હાસ્ય બહાર ઊછળી આવ્યું. તેઓ ખૂબ ખૂબ હસ્યા. આમ ને આમ સવાર પડી ગઈ. બધા ચોકીદારો નીચે ઊતર્યા. પેલા લોકોનાં કપડાં અને શસ્ત્રો ભેગાં કર્યા. એનાં પોટલાં બાંધ્યાં અને ઉપાડીને ગામમાં લાવ્યા, અને શ્રી મયાવિજયજી મહારાજ સામે લાવીને ઢગલો કર્યો. તમાશાને વળી તેડું કયાંથી? આખું ગામ ઉપાશ્રયમાં આ તમાશો જોવા ભેગું થઈ ગયું. ચોકીદારોએ બધી માંડીને વાત કરી. લોકો તો પેટ પકડીને ખૂબ હસ્યા. ત્યાં તો એક જણે ચોકીદારોને પૂછ્યું: 'પણ ભાઈઓ! એ તો બતાવો, આ ઘોડેસવારો છૂટયા ક્યાંથી ?' ચોકીદારોએ કહ્યું, ' આ બાપજીએ એક મંત્રેલો ઘોડો આપ્યો હતો. એ જે ઝાડ પર બાંધેલો ત્યાંથી ઘોડેસવારો છૂટતા હતા. શ્રી મયાવિજયજી મહારાજે કરેલો આ દૈવી ચમત્કાર આખા ગામમાં ફેલાઈ ગયો. પવને આ વાત પોતાની પાંખમાં લીધી અને આસપનાં બીજાં ગામોમાં પણ આ સમાચાર પહોંચી ગયા. ગામમાં પણ આ વાત આવી ગઈ. સાંભળીને તે સૌ એવા બીઈ ગયા કે હવે ક્યારેય તળાવને કાંઠે ન જવું એવો ઠરાવ કરી નાંખ્યો. આમ કાયમ માટેની હિંસા બંધ થઈ ગઈ. જૈનોના ઘરે ઘરે આનંદ છવાઈ ગયો. આખું ગામ પણ રાજી રાજી થઈ ગયું. છતાં સાવધાની માટે હોજ ઉપર એક—બે ચોકીદારો તો રખાતા હતા. થોડા દિવસો પસાર થઈ ગયા. ગામમાં ચોરે ને ચૌટે શ્રી મયાવિજયજી મહારાજના ચમત્કારની વાત ચર્ચાઈ રહી છે. કોઈ આને સાચી વાત માને છે તો કોઈ આને ગપ માને છે. એક દિવસની વાત છે. બપોરનો સમય હતો. લગભગ ચારેક વાગ્યા હશે. ઉપાશ્રયની સામે એક ઓટલો હતો. આ ઓટલા પર ગામના કેટલાક જુવાનિયાઓ બેસીને અલકમલકની વાતો કરી રહ્યા હતા. વાત દેવી-દેવતાઓની નીકળી. સૌ પોતપોતાનો મત જણાવતા હતા. કોક દેવી-દેવતાની સિદ્ધિ કરતા હતા, તો વળી કોક અશ્રદ્ધાળુ આ જમાનામાં દેવદેવી જેવું કશું છે જ નહિ એવું સિદ્ધ કરવા મથતા હતા. આમ દેવદેવીઓની સિદ્ધિ–અસિદ્ધિની ચર્ચા ઠીક ઠીક ચાલી. પછી તો બોલવામાંય મર્યાદા ઓળંગાવા લાગી. ગાંગજી નામના એક જુવાનિયાએ તો ખૂબ ઠેકડી ઉડાવી. એણે કહ્યું : આજના કાળમાં વળી દેવ કેવા ને દેવી કેવી? આ બધું તો ધતિંગ છે ધતિંગ. આજના જમાનામાં આવાં ધતિંગો ન ચાલે. બીજા કેટલાક જુવાનિયાઓએ પણ આમાં ટાપસી પુરાવી. સાંજ પડવા આવી. જમવાનો સમય થઈ ગયો. સહુ પોતપોતાના ઘર તરફ વળ્યા. આકાશના આંગણે સંધ્યાએ સુંદર રંગોની રંગોળી ભરી. પંખીઓ પોતાના માળા ભણી મધુર કલરવ સાથે પાછા ફર્યા. ખેડૂતો ગોધનને લઈને સીમથી ઘર તરફ ચાલ્યા. પ્રકૃતિ આખી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy