SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ 614 દાઢા ઉપર જિનાલય આકારની રાયણવૃક્ષની શાખા ધારણ કરેલ છે. તે દેવકુલિકારૂપે શાખામાં શ્રી આદીશ્વરજી પરમાત્મા વિરાજમાન છે. પરમાત્માના અનંત પરમ પ્રભાવે તેઓશ્રીના પરમ તારક ધ્યાન અને સ્મરણથી યક્ષેન્દ્ર જેવા ઊંચા પદને પામ્યો એ અનંત ઉપકાર સદાય મારી સ્મૃતિમાં રહે અને પરમાત્માનાં દર્શન નિરંતર થતાં રહે તે માટે મેં સહેજ ત્રાંસી દષ્ટિવાળું વરાહનું મુખ ધારણ કરેલ છે. તપાગચ્છાધિષ્ઠાયક માનોન્માનયુક્ત મનોહર અને દર્શન કરનારને અતિ પ્રિય લાગે તેવા મારા હાથ, પગ, મુખ, નાસિકા, હોઠ અને જીભ છે. તેનો વર્ણ રક્ત છે. મહાતેજસ્વી માણેકાદિ દિવ્ય રત્નોથી જડિત સુવર્ણમય મુગટ મારા મસ્તકે ધારણ કરેલ હોય છે. અન્ય અંગ-ઉપાંગ દિવ્ય રત્નોથી જડિત વિવિધ પ્રકારનાં અત્યાકર્ષક આભૂષણોથી વિભૂષિત હોય છે. ત્રિશૂલ, ડમરૂ, મુદ્ગર, અંકુશ, નાગપાશ, રત્નમાળા આદિ આયુધો મારા હાથમાં હોય છે. સાત સૂંઢવાળો ઐરાવણ ગજરાજ મારું વાહન છે. તેની પ્રથમ સૂંઢમાં અભિષેક કરતો પૂર્ણ કળશ હોય છે અને બીજી સૂઢોમાં રક્તવર્ણા પુંડરીક કમળ હોય છે. ઐરાવણ ગજરાજનું અંગ દિવ્ય રત્નજડિત સુવર્ણના અનેક પ્રકારના અલંકારોથી અલંકૃત હોય છે. બાવન વીર, ચોસઠ યોગિની અને મારા જેવા અચિત્ત્વ રિદ્ધિ-સિદ્ધિવાળા વીસ હજાર સામાનિક દેવો તેમ જ કાળા ગોરા અને બટુક ભૈરવ આદિ દેવોનો હું સ્વામી છું. નવ હજાર નાગ એટલે નવ હજાર ઐરાવણ ગજરાજ એટલું અચિત્ત્વ બળ મને પ્રાપ્ત થવામાં હે ભગવન્ ! આપના અનંત ઉપકારનો જ મહાપ્રભાવ છે. હે ભગવન્ ! હું આપની શી સેવા કરું ? 带 પૂ. ગુરુ મહારાજશ્રીએ પૂછ્યું : પરમ આદર્શ સંયમધર્મની આરાધના કરતા મુનિવરો ઉપર આ મહા અધમ પિશાચકૃત્ય અર્થાત્ મરણાંત ઉપદ્રવ કોણ કરે છે? અને તે ઉપદ્રવ સદંતર ટળવો જોઈએ. શ્રી માણિભદ્રજીએ તત્કાળ જ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકયો. અવધિજ્ઞાનથી જાણ્યું, આ તો મારા આજ્ઞાંકિત દેવો કાળા–ગોરા ભૈરવો જ મહા-અધમ પિશાચકૃત્ય ઉપદ્રવ કરે છે. શ્રી માણિભદ્રજીએ કાળા–ગોરા ભૈરવને બોલાવીને પૂછ્યું, તમે મહા—અધમ પિશાચકૃત્ય રૂપ ઉપદ્રવો કરીને પરમ ત્યાગી સંયમી મુનિવરોને શા માટે ત્રાસ આપો છો ? પરમ યોગીશ્વર • મુનિવરોની તો તમારે સેવા–શુશ્રૂષા કરવી જોઈએ, તેના બદલે પ્રાણ ચાલ્યા જાય તેવો અક્ષમ્ય ત્રાસ આપો છો. એ મહા ઘોર પાપ છે. આ મહાપાપના કારણે તમારે અગણિત કાળ પર્યન્ત ભવભ્રમણ કરવું પડશે. માટે આ મહા અધમાધમ પાપકૃત્ય બંધ કરો. ભૈરવોએ કહ્યું, હે સ્વામિન્ ! કડવામતી આચાર્યે અમારી સાધના કરી અમને પ્રત્યક્ષ કરીને અમારી પાસેથી વચન લીધું છે. મન્ત્રાધિના લેવા એ ન્યાયે અમે મંત્ર અને વચનથી બંધાયેલ હોવાથી કડવામતી આચાર્યના આદેશાનુસાર અમારે કરવું પડે છે એટલે અમે લાચાર છીએ. મુનિઓ ચિત્તભ્રમિત થાય તેવો અમારાથી કરાયેલ અને કરાતો ઉપદ્રવ બંધ નહિ થાય. ઉપદ્રવ બંધ કરવાની આપની આજ્ઞાનું પાલન થવું અમારાથી શકય નથી. શ્રી માણિભદ્રજી યક્ષેન્દ્ર મહારાજાએ જણાવ્યું, મારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy