SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ 358 તપાગચ્છાધિષ્ઠાયક = = દિવસે ૨૧ માળા ગણવી અને વચ્ચેના દિવસોમાં એક એક માળા ગણવી. તે દિવસે જિનમંદિરમાં સ્નાત્રપૂજા, આંગી આદિ કરવાં. એ પ્રમાણે જાપ અને તપ કરનાર અનેક સંકટોમાંથી બચી જાય છે. રોગ-શોક-દુઃખ અને દારિદ્રય ટળે છે. ઈચ્છાઓ પૂર્ણ થાય છે. શ્રી માણિભદ્રદેવ નિયમા સમકિતધારી દેવ છે માટે જેને ધર્મનું વિધિયુક્ત પાલન કરનારનાં દુઃખો ટાળવા માટે સંપૂર્ણ રીતે તે સહાયક થાય છે. ॐ ह्रीं श्रीं क्लीं ब्लीं क्रीं श्री माणिभद्रवीराय, चतुर्भुजाय ___ हस्तिवाहनाय, मम कामार्थसिद्धि कुरु कुरु स्वाहा ॥ વિધિઃ અટ્ટમ કે ત્રણ આયંબિલ કરી સાડાબાર હજાર જપ કરવા, એક એક મંત્રે એક એક ફૂલ કરેણનું ચઢાવવું. એમ ૧રા હજાર જાપ કરવા, સવાશેર ઘીની સુખડી ચઢાવવી, ધૂપ-દીપ અખંડ રાખવો. આહ્વાન, ભૂમિશુદ્ધિ, વિસર્જન વગેરે ગુરુમુખે જાણી લેવું. ઈષ્ટદેવ સિદ્ધ થાય. ધારેલું કાર્ય જરૂર સિદ્ધ થાય છે. શ્રી મણિભદ્રવચ્ચ -H: 7: પૂર્તત (ત્રણ વાર બોલીને નીચેના મંત્રનો આરંભ કરવો.) ॐ नमो भगवते माणिभद्राय क्षेत्रपालाय कृष्णरूपाय चतुर्भुजाय जिनशासनभक्ताय नवनाग सहस्रावलाय । । किंनर किंपुरुष गंधर्व यक्ष राक्षस भूत प्रेत पिशाच सर्व शाकिनीनां निग्रहं कुरु कुरु स्वाहा मां रक्ष रक्ष स्वाहा ॥ વિધિઃ આ મંત્રના ત્રણ દિવસમાં સાડાબાર હજાર જાપ કરવા. આયંબિલ અથવા એકાસણું કરવું. બ્રહ્મચર્ય પાળવું. ગોવૃતનો દીવો અખંડ કરવો, પછી રોજ એક માળા ગણવી અથવા ત્રિકાલ એક એક માળા ગણવી. મંત્ર સિદ્ધ થશે. ગમે તેવા ભૂત-પ્રેત-વળગાડ નાસી જાય છે. ॐ क्लीं क्लीं क्लीं माणिभद्र चेटकाय सर्वसिद्धि कराय मम स्वप्ने अमुकं दर्शय दर्शय स्वाहा ॥ વિધિઃ દર બેસતા મહિનાના ગુરુવારથી જાપ શરૂ કરવા. માણિભદ્ર વીરની છબી સન્મુખ, ઉત્તર દિશા તરફ આપણું મોટું રાખી, છબીની વાસક્ષેપથી તથા અષ્ટપ્રકારની પૂજા કરવી. આંબાના પાટલા ઉપર સાથિયો અને તેના પર શ્રીફળ મૂકવું. લાલ કરેણનાં અથવા લાલ રંગનાં ફૂલ ચઢાવવાં. રોજ રાતના અગિયાર માળા ગણવી. નવ દિવસ સુધી ગણવી ને ફક્ત મગનાં જ નવ આયંબિલ કરવાં. પુરુષના હાથની રસોઈલેવી. જે વસ્તુની માગણી કરવી હોય તે મંત્રાક્ષરમાં (અમુક) શબ્દની જગ્યાએ માગણીના શબ્દો બોલવા. ॐ ह्रीं माणिभद्र चेटकाय रुद्राय मम अंतरात्मने आगंतुक सर्वसृष्टिं दर्शय स्वाहा ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy