SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 357 'શ્રી માણિભદ્રદેવના મંત્રો, વિધિ અને રહસ્ય, છંદરચનાઓ, સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય, આરતી વગેરે માનવસમાજમાં મોટા ભાગના મનુષ્યો સુખની પ્રાપ્તિ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ ઈચ્છે છે. તે માટે પુરશ્ચરણો, પ્રાયશ્ચિત્તો, મંત્ર, યંત્ર, સાધના, ઉપાસના, સ્તુતિઓ સ્તોત્રો વગેરે ભારે સહાયરૂપ બની રહે છે. પુની પોટિ TU સ્તોત્રમ પુજા કરતાં યે આંતરિક સન્મ સાધનામાં મંત્રજપ અને સ્તુતિસ્તોત્રો વધુ શીઘ્રતાથી અને ઝડપથી પુદ્ગલોનાં ઝાળાં બાળી નાખવામાં સાધકને સહાયતા પહોંચાડે છે. પ્રભાવપૂર્ણ સ્તોત્રમાં તો અચિંત્ય શક્તિઓ ને અખૂટ ભંડાર ભર્યો હોય છે, જેના નિત્ય પઠન-પાઠનથી કર્મક્ષય દ્વારા માનવીને મંગલમય મુક્તિપદ સુધી પહોંચાડે છે. તેમાંએ સાધુ-સાધ્વીઓને માત્ર આત્મકલ્યાણની સાધનાનું જ ધ્યેય અને લક્ષ્ય હોય છે. એ લક્ષ્ય માત્ર મોક્ષ હોય છે. ભાવરત્નો અને માણિયરત્નો સમું આ સ્તોત્રસાહિત્ય આપણી આધ્યાત્મિક ચિંતનધારાનું પ્રધાન અંગ છે એ ક્યારેય ન ભૂલવું જોઈએ. અત્રે શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રની સાધનામાં સહાયક ગુપ્ત અને પ્રગટ મંત્રો, વિધાનો, ઉપાસના, રહસ્યો, સ્તુતિઓ, સ્તોત્રો, ગીતો, છંદો, આરતી વગેરેનું વિશાળ સાહિત્ય પ્રસ્તુત છે. પરંતુ માત્ર વાંચીને અંધાધુંધ ક્રિયાઓ જાતે કરવા ન માંડવી. પૂજ્યપાદ આચાર્યો, ઉપાધ્યાયો, સાધુ-સાધ્વીજીઓના પૂરતા માર્ગદર્શન નીચે જ આ સાધનાઓ પૂરતી શરીર-મન-વાણીની અને દેશકાળની શુદ્ધિની તકેદારી લઈ સાધનભજન કરવાં. ઘણીવાર એકાદબે વાર કે દસ વારના અનુષ્ઠાન પછી પણ કાર્યસિદ્ધિ ન મળે તો આપણી કયાક મયાદી રહી ગઈ હશે તેમ માનવું અથવા પૂર્વના અનેક જન્મોના દુષ્ટ અને મલિન ઘાતી કર્મોના અંતરાયો વચ્ચે આવતા હોવાનું માની વધુ તીવ્રતાથી સાધના કરવી. વળી આ માણિભદ્રદાદાની સાધના માત્ર આપણા ટૂંકા ગાળાના સ્વાર્થસાધન માટે ન કરતાં શ્રી જિનેશ્વર ભગવાનની ભક્તિની વૃદ્ધિ માટે અને શ્રી તીર્થંકર ભગવંતોએ પ્રબોધેલા પ્રશસ્ત સર્વોચ્ચ ધ્યેયને પામવા માટે તેનાં પુરશ્ચરણ કરવાં જોઈએ. -સંપાદક સાધક: પૂ. આચાર્યશ્રી વિજય-આનંદઘનસૂરિજી મહારાજ ॐ असिआउसा नमः । श्री माणिभद्र ! दिशतु मम सदा सर्वकार्येषु सिद्धिं ॥ આ મંત્રની સાધના રવિ, મંગળ કે ગુરુવાર હોય, એટલે સુદ પક્ષમાં પહેલો રવિ, મંગળ કે ગુરુવાર હોય ત્યારે અથવા સુદ પક્ષની પાંચમ, આઠમ કે ચૌદસ તિથિ હોય ત્યારે આરંભ કરવો. એમ ૨૧ રવિ, મંગળ કે ગુરુવારે અથવા પાંચમ, આઠમ કે ચૌદસે આરંભ કરીને પૂર્ણ કરવા. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy