SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ 328 તપાગચ્છાધિષ્ઠાયક જ્યારે તેમને મૈથુનકર્મની ઇચ્છા થાય છે ત્યારે પહેલા અને બીજા દેવલોકની અપરિગ્રહિતા દેવીઓ શણગાર સજીને ત્યાં ઉપસ્થિત થાય છે અને વિષયવાસનાથી તૃપ્ત થઈને મુક્ત બને છે. પાંચમા અને છઠ્ઠા દેવલોકના દેવો, દેવીઓના રૂપ-રંગ અને શણગાર તથા તેમના હાવભાવ જોઈને વિષયવાસનાથી તૃપ્ત થઈ જાય છે. સાતમા અને આઠમા દેવલોકના દેવો, બીજી દેવીઓના મધુર શબ્દો સાંભળવા માત્રથી જ તૃપ્ત બને છે અને પરમ સંતોષને ધારણ કરે છે. જ્યારે નવમા, દશમ, અગિયારમા અને બારમા દેવલોકના દેવોને તો જ્યારે મનમાં વિષય વાસનાની ઇચ્છા થાય છે ત્યારે માનસિક ભાવનાથી જ તેમને વિષયવાસનાની તૃપ્તિ થતાં તે દેવો અનુપમ સુખમાં મસ્ત રહેનારા હોય છે. ( વિશાળ સાગર સમાન શ્રુતજ્ઞાનમાંથી એક નાનકડા ટીપા સમાન આ લેખમાં ઊર્ધ્વદેવલોકના દેવો વિષે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં તેમાં મતિદોષ, અજ્ઞાનતા અને પ્રમાદના કારણે તથા શ્રુત-અભ્યાસની અલ્પજ્ઞતાના કારણે જે કોઈ ક્ષતિઓ રહી ગઈ હોય અથવા મતિમંદતાથી જે કંઈ જિનાજ્ઞાની વિરુદ્ધ લખાયું હોય તો તે બદલ " મિચ્છામી દુક્કડ" માંગું છું. ૨ રૂT ૪ TS | ૬ ચૌદ રાજલોક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy