SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 251 રીતે? વર્ણનાતીત તીર્થાધિરાજને ભાવવંદના. આ પ્રમાણે અવનવી-નવનવી રીતિ-નીતિથી શત્રુંજય તીર્થ પ્રતિ પ્રીતિ ઉત્પાદિત કરવામાં આચાર્યશ્રી સફળ થયા. માણેકશાહે ધનોપાર્જન માટે અનેક ક્ષેત્રોની સ્પર્શના કરેલ, પણ તીર્થાધિપતિ શત્રુંજયની સ્પર્શના જીવનમાં એકવાર પણ ન થયેલ. તેથી તેમનું તન-મન સિદ્ધગિરિગુણગાન સાંભળ થનગની ઊયું તે તીર્થને ભેટવા. હૈયામાં હામહતી જે હોઠ વાટે પ્રગટ થઈ જ ગઈ. અનેકદિવસોની પોષણ પામેલી પુષ્ટ ભાવના કામના રૂપે જીભ ઉપર આવી ગઈ, તેથી તેઓએસિદ્ધાચલજીનાં પ્રત્યક્ષ પોંખણાં કરવાના કલ્પનાકારને સાકાર કરવા આચાર્યશ્રી પાસે અરજ રજૂ કરી કે પોતાને આકરો અભિગ્રહ કરાવી આશિષ બક્ષી શુભ પ્રયાણ કરવા અનુમતિ પ્રદાન કરે કે જેથી જય શત્રુંજયની વિજયયાત્રાનો વાવટો તેઓ પગે પહોંચી ફરકાવી શકે, તેમની આ યાત્રા–ભાવનામાં વિવિધ વિકલ્પો સંકલ્પો બની સમાયેલા હતા, સાથે સાથે આચાર્યશ્રીએ પણ સંપૂર્ણ ચાતુર્માસમાં કરાવેલ સાધના-આરાધના, વ્યાખ્યાન-આખ્યાનના શ્રમની સાર્થકતા માણેકશાહ શેઠના માધ્યમે સંપૂર્ણ સફળતા પામે તેવી શુભ વેળા આવી ઊભેલી જોઈ આસો સુદ પાંચમના શુભ દિવસે શુભ લગ્ન વેળાએ ફક્ત ત્રણ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવી છ'રી પાળતા ગિરિસમ્રાટ સુધી સફર ખેડવા સહમતી પ્રદાન કરી પ્રતિજ્ઞાનું પણ મહાદાન કર્યું માણેકશાહનો ઉરઉલ્લાસ ઊછળવા લાગ્યો. પાંચમો આરો એટલે શુભ અધ્યવસાયો પણ સીમા સુધી જ સોપાનો સર કરાવી શકે; પણ ક્ષપક કે ઉપશમ શ્રેણિઓ ન માંડી શકાય. છતાંય શુભ અને શ્રેષ્ઠ આશા-અરમાનોના આધારબળે પળે પળે પ્રસ્થાનવેળા ટૂકડી આવી ગઈ. ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં જ શેઠ માણેકશાહે ઉપવાસ આદર્યા, મૌનના કવચથી મનને સિદ્ધગિરિની સુખદ સફર માટે એકાગ્ર કર્યું અને નવકાર મહામંત્રને આત્મસાત્ કરી અડવાણે પગે એકલા બની, આચાર્યશ્રીના આશીર્વાદ લઈ શુભ પ્રસ્થાન કર્યું. તેમના દેઢ સંકલ્પ સાથેના સાહસ–કદમ પડતાં જ કલ્પના કરી કે જાણે સિદ્ધગિરિના પ્રસિદ્ધ પુણ્ય-પરમાણુ ચેતનવંત બની માણેકશાહને સિદ્ધશિલાના સોપાને ચડાવી દેવા આકર્ષવા લાગ્યા હતા. શેઠ માણેકશાહ પણ ગુમભાન બની બસ મહાગિરિ તથા મહામંત્રમાં મુગ્ધ બની કોઈક અગમ્ય ગતિથી આગળ-આગળ ધપી રહ્યા હતા. જેમ જેમ ડગ અને પગ તીર્થદિશા તરફ ધપી રહ્યા હતા તેમ તેમ ભાવદશા પણ ભવ્ય-ભવ્યાતિભવ્ય બની ભવ્યાત્મા માણેકશાહના અદમ્ય ઉલ્લાસને વધાવી રહી હતી, પણ પણ... આ અવસર્પિણીનો આકરો કાળ તેમાંયહૂંડા કહેવાતો ભૂંડામાં ભૂંડો કાળ. તે કાળનો ક્રૂર ભાવ-પ્રભાવ જ એવો છે કે તે દરેક સાધકોની સાધનાને જાણે બાધના કરવા–પહોંચાડવા પર્યાપ્ત છે. ભાવિભોર માણેકશાહ આગ્રાથી છેક મગરવાડા સુધી આવી ગયા ને હવે સિદ્ધાચલ શત્રુંજય ઘણું નિકટ હતું. પણ તે વિકટ વિસ્તારમાં તેઓ ડાકુઓ વડે લૂંટાણા-કપાણા અને આકસ્મિક મરણને શરણ થઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy