SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ 528 તપાગચ્છાધિષ્ઠાયક ધરતાં ધરતાં વિક્રમ સંવત ૧૫૮૪માં સ્વર્ગે સંચર્યા.આખા નગરમાં ગુરુવિરહના દુઃખથી ગંભીરતા છવાઈ ગઈ. શ્રીસંઘે ગુરુદેવની અંતિમ ક્રિયા મહાન સમારોહપૂર્વક કરી. જો કે મહાપુરુષોનાં મૃત્યુ મહાપુરુષને મન તો ઉત્સવ સમાન હોય છે; પરંતુ તેનો ઉપકૃત ભક્તવર્ગ તેમના ગુણના લાભ અને તેમના જીવન-સંસર્ગથી થતી ઉન્નતતાને સંભારી રડે તે સ્વાભાવિક છે. ગુરુદેવના સ્મારકચિહ્નરૂપે શત્રુંજય તીર્થ ઉપર પરમ પાવન રાયણનાં પગલાંની જોડે પુનિત પાદુકા આજે પણ તેમનું સ્મરણ કરાવી રહી છે. પગલાં છે ત્યાં જ તેમનો સ્તૂપ પણ છે, તેમ જ છાલા કુંડ નજીક યતિઓની ટૂકમાં પણ ગુરુદેવનો સ્તૂપ છે. બેટા માણેક ! તું નહિ જ માને કે ! ના માતાજી, હું નહિ જ માનું! હું જોઉં છું કે યતિઓમાં શિથિલાચાર ખૂબ વધી ગયો છે, સાચા સાધુ હું જોતો નથી. હું એવા દંભી અને ક્રિયાહીન યતિઓને નહિ માની શકું. મારો ધર્મ પવિત્ર ધર્મ છે. ચારિત્ર અને તપશ્ચર્યા એ ધર્મના મુખ્ય સિદ્ધાંતો છે. આજે તો નથી ચારિત્રનું ઠેકાણું કે નથી તપ-જપનું. આવા સાધુઓ સમાજ અને ધર્મને ભારરૂપ છે. ભાઈ! તું મારું વચન એક જ વખત માન. મારે વર્ધમાન તપની ઓળીનું વ્રત છે, તપશ્ચર્યામાં કોઈ મુનિરાજનાં દર્શન કરવાની મારી ભાવના છે. હે વત્સ! તું જા તો ખરો. તને શ્રદ્ધા ન બેસે તો પાછો આવજે. કહે છે કે નદીકિનારે મહાન તપસ્વી આવ્યા છે, ઉગ્રધ્યાની છે અને મહાપ્રભાવશાળી છે. માતા !, ભલે! આપને દુ:ખી દેખી નથી શકતો; પણ જો મને તે સાચું સુવર્ણ લાગશે તો જ નમીશ. હા, ભાઈ! જેવી તારી ઇચ્છા. હે શાસનદેવ ! મારા પુત્રને સન્મતિ આપજો. બેટા ! તું જા. ગ્રામાનુ ગ્રામ વિહાર કરતા, જ્ઞાનધ્યાનથી જૈનધર્મનો ઉદ્યોત કરતા ગુરુદેવ શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી શિષ્ય-સમુદાય સાથે માળવામાં આવેલ ઉજ્જયિની નગરીમાં પધાર્યા. ત્યાં તેઓશ્રીએ એક માસની ઘોર તપશ્ચર્યા આરંભી અને ક્ષિપ્રા નદીના કાંઠે " ગંધર્વ સ્મશાનમાં ધ્યાનસ્થ રહ્યા. ધ્યાનમાં એટલા બધા નિશ્ચલ હતા કે દેવો પણ તેમને ચલાયમાન ન કરી શકે. માણેકચંદ શેઠ ત્યાં આવ્યા, અને કાઉસ્સગ્ગ ધ્યાને ઊભેલા પૂજ્ય આચાર્યદેવને જોઈ તેની પરીક્ષા કરવા કુતૂહલ થયું. મશાલ સળગાવીને ગુરુદેવની દાઢી આગળ ધરી. દાઢી સળગી, ગુરુદેવનું મુખ પણ દાઝયું; છતાં આચાર્ય ભગવંત મેરુ પર્વતની જેમ નિશ્ચલ રહ્યા અને માણેકચંદ શેઠની પ્રત્યે કરુણાદષ્ટિથી જોવા લાગ્યા. - ગુરુદેવ વિશ્વપ્રેમી હતા ને વિશ્વપ્રેમની ભાવનાથી ગુરુદેવના આત્મામાં અણુ અણુએ શુદ્ધ પ્રેમ જ ભરેલો હતો. માણેકચંદ શેઠના મન પર અજબ પરિવર્તન થયું. ગુરુદેવને આવી રીતે કષ્ટ આપવા બદલ માણેકચંદને પોતાના દિલમાં પશ્ચાત્તાપ થયો. આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે સુધાસિંધુ પાણી દ્વારા તેના બળતા અંતરમાં અમૃતસિંચન કર્યું ને કહ્યું કે ભાઈ ! જરા પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy