SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ મૂર્તિની પ્રતિષ્ઠાવિધિ થઈ જાય છે. પરંતુ સ્વતંત્રપણે કોઈ દેવકુલિકામાં અથવા કોઈ ગોખમાં માત્ર દેવ-દેવીની નૂતન મૂર્તિ લાવી બિરાજમાન કરવાનો પ્રસંગ થાય ત્યારે નૂતન મૂર્તિ પર શુભ દિવસે શુભ મુહૂર્તે નીચેનું વિધાન કરાવી મૂર્તિની પ્રતિષ્ઠાવિધિ કરવી. અઢાર અભિષેકના તમામ મંત્રોચ્ચાર જિનેશ્વર ભગવંતને ઉદ્દેશીને હોર્દ દેવ-દેવી માટે નીચેના પાંચ અભિષેક – ત્રણ માર્જનનું વિધાન કરી પછી સમયની અનુકૂળતા મુજબ આપેલ પંચોપચાર પૂજન જે મરજિયાત છે પણ મહત્ત્વનું હોઈ - મૂર્તિ પર વિશિષ્ટ વિધાનĀરૂપ હોઈ – કરાવવું ઇચ્છનીય છે. (૧) સૌપ્રથમ જિનાલયમાં સ્નાત્રપૂજા ભણાવી, અષ્ટપ્રકારી પૂજા કરાવી અને શુભ સમયે કુંભસ્થાપન દીપકસ્થાપન શાંતિસ્નાત્રની વિધિ અનુસાર કરાવવું. (૨) શ્રી માણિ નદ્રજીની મૂર્તિ પરનાળિયા બાજોઠમાં અથવા મોટા બાજોઠ પર નાળચાવાળા થાળમાં પધરાવવી. (૩) સર્વ સામગ્રા સુવ્યવસ્થિતપણે આગળ એક પાટ પર લાલ કસુંબલ બિછાવી ગોઠવી દેવી. પૂર્વતૈયારીરૂપે સૂચનાઓ : પ્રથમ પૂજનસ્થળ તથા નૂતન દેવકુલિકા / નૂતન ગોખને સાફ-સફાઈથી સ્વચ્છ અને દૂધપાણીથી શુદ્ધ કરાવી તથા આસોપાલવ ને ફૂલોનાં તોરણોથી સુશોભિત બનાવી તેમ જ વાતાવરણને ધૂપથી સુગંધીમય પવિત્ર બનાવવું. ૨. પૂજનસ્થળનાં નૂતન દેવકુલિકામાં / નૂતન ગોખમાં ગાદીની પાછળ અષ્ટગંધયુક્ત કેસરથી ' ૐ મૈં નમ : ' લખવું. ૩. મૂર્તિ પ્રતિમાં ઠત કરવાનો હોય તો ગાદી નીચેની જગ્યામાં સોનું-ચાંદી વગેરે દ્રવ્યોથી ગાદી ભરી કેસરનો તથા અક્ષતનો સ્વસ્તિક કરવો. તે મધ્યે સોપારી ને ૧૧ રૂપિયો પધરાવવો. આજુબાજુ મંગળ દ્રવ્ય તરીકે અષ્ટગંધ, સર્વોષધિ, સરસવ, સાત ધાન્યના બાકુળા તથા સોનારૂપ નાં ફૂલ વેરવાં. સોપારી જ્યાં પધરાવેલ છે તેની નીચે ચાંદીનો સાથિયો પણ પધરાવ ૫. (ચાંદીના કૂર્મની જરૂર નથી, તેની આવશ્યકતા માત્ર જિનબિંબ માટે હોય છે. ) ગાદી પર શ્રી માણિભદ્રજીનો સિદ્ધ કરેલો અભિમંત્રિત યંત્ર પધરાવી શકાય. ૧. 589 ૪. મૂર્તિ પધરાવવાના ઉપ૨તા (છતના) મધ્યભાગે છત્ર લટકાવવાં, અગાઉથી પિત્તળનો હૂક ફિટ કરાવવો. ૫. ગોખના અથવા દેવકુલિકાના મુખ્ય દરવાજે શ્રીફળ-તોરણ લગાવવાં પણ બંને બાજુ પિત્તળના બે હૂક અગાઉથી ફિટ કરાવી રાખવા. ૬. પૂજન-સામગ્રી સર્વ શુદ્ધ, સારી, ઊંચી જાતની લાવવી. દેરાસરનાં સર્વ વાસણો અગાઉથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy