SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 197 પ્રતિમાને પ્રણમીએ છીએ. તેમની પૂજા–સ્તવના અને અર્ચના કરીએ છીએ. પણ આપે મૂર્તિને વંદનીય-પૂજનીય નહીં માનનારા સાધુઓના સંગમાં સપડાઈ જઈને કેટલાક સમયથી જિનમૂર્તિપૂજા કરવાનું બંધ કર્યું છે. આ સમાચારથી માતાનું જિનભક્ત હૃદય કેવું વેદનાગ્રસ્ત બન્યું હશે તેનો તમે કદી વિચાર કર્યો છે ખરો? આ જ કારણે માતાએ પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી મારો પુત્ર પુનઃ સન્માર્ગે પાછો નહિ વળે ત્યાં સુધી હું ઘી નહીં ખાઉં." આનંદરતિએ એકીશ્વાસે આ બધું કહી દીધું. " આ તો મારી ધાર્મિક શ્રદ્ધાનો સવાલ છે અને સ્નેહની સાથે શ્રદ્ધાની સેળભેળ કરવાની વાત મને તો યોગ્ય નથી લાગતી. છતાં પણ એ તું નિશ્ચિત જાણજે કે હું માતાને સમજાવી લઈશ. છતાં તેઓ નહીં માને તો માતાના હૃદયને પીડા આપે તેવી કોઈ પ્રવૃત્તિ હું નહિ જ કરું. આ મારું તને વચન છે." " અને જ્યાં સુધી માતાને ઘીનો ત્યાગ છે, ત્યાં સુધી મારે પણ ઘી–ત્યાગની પ્રતિજ્ઞા છે." આનંદરતિએ પોતાની વાત પણ જણાવી દીધી. "આનો અર્થ એ કે તું અને માતા, બને એક બની ગયાં છો. પણ કાંઈ વાંધો નહિ. તું માતા સાથે જેમ વધુ અભિન્ન બને તે તો મારે મન આનંદની બીના જ હોય ને? છતાં એ ચોક્કસ જાણજે કે માતાની અને તારી પ્રતિજ્ઞા થોડા જ દિવસોમાં હું અવશ્ય છોડાવીશ." માણેકશાહે પોતાનો મનોભાવ સ્પષ્ટ કરી દીધો. પ્રાતઃકાળ થયો. સહસ્રરશ્મિએ પોતાનાં તેજકિરણોથી ધરતીને સોનલવર્ણ કરી મૂકી. શ્રી નમસ્કાર મંત્રના જાપ સાથે માણેકશાહે નિદ્રા તજી અને તેઓ માતા જિનપ્રિયાને નમન કરવા તેમના ખંડમાં ગયા. માતાનાં ચરણોમાં માથું મૂકીને માણેકશાહે નમસ્કાર કર્યા. નમન કર્યા પછી ઘણીવાર સુધી તેઓ વિનત-મસ્તકે અને નત નયનોએ ઊભા રહ્યા. પુત્રને સૂનમૂન જોઈ માતાએ પૂછયું: " બેટા! તું આજે આમ ઉદાસ કેમ છે? લાગે છે કે મારી પ્રતિજ્ઞાની વાત તારા સુધી પહોંચી ગઈ લાગે છે!! તારી ઉદાસીનું કારણ મારી પ્રતિજ્ઞા જ છે ને? તો બેટા! મારી પ્રતિજ્ઞા છૂટી થાય તેનો ઉપાય તારા જ હાથમાં છે." માણેકશાહે હવે મસ્તક ઊંચું કર્યું અને માતાને કહ્યું " હે પૂજનીય માતાજી ! આપની વાત સત્ય છે; પરંતુ મારા મુદ્દાઓ પણ મનનીય છે. પહેલી વાત તો એ કે તમારા સ્નેહની સાથે તમે મારી શ્રદ્ધાને સાંકળી લો છો તે મને ઉચિત લાગતું નથી. બીજી વાત મને મૂર્તિ-અપૂજક સાધુઓના પરિચય દ્વારા એ વાત સુપેરે સમજાઈ ગઈ છે કે મોક્ષ મેળવવા માટે મૂર્તિપૂજા અનિવાર્ય નથી. આપણાં આગમોમાં પણ મૂર્તિપૂજાની વાત આવતી નથી. તો પછી આપ મને જિનમૂર્તિની પૂજા કરવાનો આગ્રહ શા માટે કરો છો ? છતાં હું આપને ખાતરી આપું છું કે સાચા જ્ઞાની શ્રમણ ભગવંતોનો સુયોગ પ્રાપ્ત થતાં જો મારી વિચારધારા અસત્યસિદ્ધ થશે તો તે જ ક્ષણે હું તેનો ત્યાગ કરીશ. પરંતુ આપ આજથી જ ઘી વાપરવાનું શરૂ કરી દો." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy