SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 485 કરવામાં આવે છે તે આસુરી શક્તિ. જેનાં પૂજાદ્રવ્યો દૂધ-સાકર-ફળ-મીઠાઈ આદિ હોય છે અને બીજાનું ભલું કરવા જેની સાધના કરાય, તે સુરી શક્તિ તરીકે ઓળખાય છે. સુરી શક્તિમાં પણ કેટલીક શક્તિ રુદ્ર હોય છે. જો તેમની ઉપાસના-પદ્ધતિમાં જરા પણ ગફલત થાય તો તે સાધકને યા ભક્તને શિક્ષા કરે છે. માણિભદ્ર ઇન્દ્ર સુરી શક્તિમાં સૌમ્ય પ્રકૃતિના છે. તેમની ઉપાસના સાત્ત્વિક હોય છે અને ભૂલ કરનાર સાધકને ક્ષમા બક્ષવા જેટલા ઉદાર હોય છે. | લાલ કરેણનાં ફૂલ તેમને અતિ પ્રિય છે. ચમેલીનું તેલ–અત્તર પણ તેમની મનપસંદ સુગંધ છે. તેમાં યે ખાસ કરીને અગરનું અત્તર તેમની મનભાવન પસંદગી છે. ઐરાવત હાથી એમનું વાહન છે. ત્રિશૂલ–ગદા ખાસ શસ્ત્રો છે. તેમની ઉપાસના માટેનો શ્રેષ્ઠ વાર ગુરુવાર છે. ગુરુવારે ઘી ન ખાવું. ગુરુવાર તો અવશ્ય કરવા જ. સિદ્ધમંત્ર " ૐ નમો ભગવતે માણિભદ્રાય." – રોજ આ મંત્રની એક માળા અને ગુરુવારે દસ અથવા વીસ માળા કરવી. વિદ્યાર્થીવર્ગ માટે પણ દાદાની ઉપાસના છે અને તે ગુરુવારે કરવાની હોય છે. દાદા ભક્તોનું ભલું કરવા તત્પર છેજ– આવશ્યકતા છે તેમના શરણમાં સમર્પિત ભાવપૂર્વક જવાની ! કોઈ પણ સાધના માટે શ્રદ્ધા અને સબૂરી અનિવાર્ય છે! માણિભદ્રજીને માનવામાં કે તેનાં દર્શનાદિ કરવામાં, તેની માનતા રાખવામાં સમ્યકત્વને કોઈ બાધ આવતો નથી. મગરવાડા દાદાનું મુખ્ય અને મૂળ સ્થાન છે. ગમે તે કારણસર આજે તેની પ્રસિદ્ધિ ઘણી ઓછી છે. આ જગ્યાનો વિસ્તાર અને વિકાસ કરવાની તાતી જરૂર છે. - સૌરાષ્ટ્રની જનતાને નજીક પડે અને સારી રીતે સાધના કરી શકે તે હેતુથી શ્રી મહાવીરપુરમ્ તીર્થ સંકુલમાં શ્રી આનંદમાણિક્ય માણિભદ્ર સંસ્થાન દ્રારા દાદાનું મંદિર સ્વતંત્ર બનાવી રહેલ છે. તેમાં ૬૧ ઈચની રકતવર્ષીય ઊભી મૂર્તિ પધરાવવામાં આવશે. વિશ્વમાં સૌ પ્રથમ ઊભી મૂર્તિ પધરાવવાનું આયોજન છે. આવી મૂર્તિ બનાવવા પાછળની કલ્પના વરાહાવતારના અનુકરણની રહેલી છે. વરાહાવતારનાં પ્રાચીન શિલ્પો ઊભી આકૃતિનાં જોવા મળે છે. નજીકના ભવિષ્યમાં સુરેન્દ્રનગર નજીક ચોટીલા પાસે મહાવીરપુરમમાં માણિભદ્ર શક્તિપીઠ જરૂર આકાર લેશે એવી શ્રદ્ધા છે. મારી ખાસ ભલામણ છે કે દરેક ઉપાશ્રયમાં માણિભદ્રની સ્થાપના હોવી જ જોઈએ. દરેક જૈનોએ ત્યાં દર્શન કરવા જવું જોઈએ. મહાવીરપુરમમાં હાલ પણ માણિભદ્રદાદા બિરાજમાન છે. ભાવિકો ભક્તો દર્શન કરવા જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy